• ગુરુવાર, 18 એપ્રિલ, 2024

`કાલભૈરવ રહસ્ય'નું સ્ટાર ભારત પર રિ-રન  

2017માં સ્ટાર ભારત પરથી કાલભૈરવ રહસ્ય સિરિયલ પ્રસારિત થઈ હતી જેણે દર્શકોના માનસ પર ઊંડી છાપ છોડી હતી. આ સિરિયમલાં અભિનેતા રાહુલ શર્મા મુખ્ય ભૂમિકામાં હતો અને તેના સાથે ઈકબાલ ખાન, સરગુન કૌર લુથરા અને છવિ પાંડે મહત્ત્વની ભૂમિકામાં હતાં. હવે આ સિરિયલનું પુન:પ્રસારણ સ્ટાર ભારત પર જ સાંજના સાત વાગ્યે શરૂ થયું છે. રાહુલ અને ઈકબાલ આ પુન:પ્રસારણથી વધુ ઉત્સાહિત છે. રાહુલે જણાવ્યું હતું કે, આ સિરિયલથી મારા જીવનમાં પરિવર્તન આવ્યું છે. મેં સાત વર્ષ કાલ ભૈરવ બાબાની પૂજા કરી છે અને આ સિરિયલ મળવી એ ઈશ્વરના આશીર્વાદ ગણાય. હવે ફરી આ સિરિયલ શરૂ થઈ છે તો ભૂતકાળ મારી સમક્ષ તાદૃશ્ય થયો છે. 

ઈકબાલે કહ્યું કે, સ્ટાર ભારત પર હંમેશા અનોખા વિષયની સિરિયલો જ પ્રસારિત થઈ રહી છે. આમાં મને અભિનય કરવાની તક મળી એનો આનંદ છે. આ સિરિયલ એક કમ્પલીટ પેકેજ હતું અને મને આશા છે કે દર્શકોને ફરી તે જોવી ગમશે.