• બુધવાર, 24 એપ્રિલ, 2024

રાજસ્થાનમાં કૉંગ્રેસના નેતા પાયલટ નવો પક્ષ રચવાની પેરવીમાં?  

નવી દિલ્હી, તા. 6 : રાજસ્થાન કોંગ્રેસમાં વિવાદ શમવાનું નામ નથી લેતો. હજુ થોડા સમય પહેલાં પક્ષના સચિન પાયલટે મુખ્યમંત્રી અશોક ગેહલોત પર ગંભીર આરોપો લગાવી પક્ષ સામે મોરચો ખોલ્યો હતો ત્યાં હવે કોંગ્રેસને ઝટકારૂપ સમાચારમાં નારાજ પાયલટ નવો પક્ષ રચી શકે છે તેવી અટકળો સંભળાઈ રહી છે. 

અહેવાલોમાંથી મળતી માહિતી મુજબ પક્ષથી ઘણા લાંબા સમયથી નારાજ સચિન પાયલટ 11 જૂનના તેમના પિતાની પુણ્યતિથિના દિવસે કોઈ મોટી રેલીનું આયોજન કરી શકે છે અને પોતાના નવા પક્ષની રચનાની ઘોષણા કરી શકે છે.

જ્યારે પાયલટના નજીક મનાતા રાજ્યમંત્રી મુરારિલાલ મીણાએ પક્ષ રચનાની વાતને રદિયો આપતાં જણાવ્યું હતું કે, નવા પક્ષની રચના અંગે કોઈ જાણકારી નથી, અમે પાર્ટીની વિચારધારા મુજબ કાર્ય કરીએ છીએ. બીજી બાજુ સચિન કોંગ્રેસ હાઈકમાન્ડની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક