• શુક્રવાર, 29 માર્ચ, 2024

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અને જગત ગુરુ રામભદ્રાચાર્ય 11મી જૂને સુરતમાં  

અમારા પ્રતિનિધિ તરફથી  

સુરત, તા. 6 : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી સુરતમાં આવશે. સુરતમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 11મી જૂને સુરત આવશે. જગતગુરુ રામભદ્રાચાર્ય અને ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં લગ્નમાં હાજરી આપશે. 

સુરતમાં ફરી એકવાર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનથી તેમના ભકતોમાં ખુશીનો માહોલ છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી 10 જૂનના રોજ રાત્રે સુરત આવશે અને 11 જૂનના રોજ તેઓ એક લગ્નમાં હાજરી આપશે. જોકે તે એક દિવસ અગાઉ એટલે કે 10 જૂને જગતગુરુ રામભદ્રાચાર્ય પણ સુરત આવવાના છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતને લઈને તાડમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક