અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 19 : મહાશિવરાત્રિ નિમિત્તે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને તેમના પુત્ર આકાશ અંબાણી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી. કે. લહેરી અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઇ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂજારીએ ચંદન અને ઉપવત્ર દ્વારા તેઓનું સન્માન કર્યું હતું. મુકેશ અંબાણીએ સોમનાથ મહાદેવની મહાપૂજામાં પણ ભાગ લીધો હતો. તેમ જ તેઓએ શ્રી સોમનાથ ટ્રસ્ટને રૂા. 1.51 કરોડનું દાન આપ્યું હતું.