• ગુરુવાર, 30 એપ્રિલ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

કોટડા (રોહા)ના સુરેશ વિકમાણી (ઉં. 49) 27મીએ અવસાન પામ્યા છે. તે ગુણવંતી ધારશીના પુત્ર. જશ્મીનાના પતિ. કીમ, શુભના પિતા. રસીલા, નીતીન, વર્ષા, રીટાના ભાઈ. જયવંતી જગશીના જમાઈ. પ્રા.: શ્રી વ.સ્થા.જૈ. શ્રા.સં.સં. કરસન લધુ હોલ, દાદર (પ.). ટા. 2 થી 3.30. ચક્ષુદાન કર્યું છે.

 

નાના રતડીયાના ગં.સ્વ. હેમલતા સાવલા (ઉં. 72) 26મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. જેઠીબાઈ પાલણ સાવલાના પુત્રવધૂ. સ્વ. માવજીના પત્ની. શિલા, લતા, વાસંતી, કલ્પેશના માતા. સ્વ. જેઠીબાઈ માણેક લખમશી ગોસરની દિકરી. સ્વ. વિસનજીભાઈ, કલ્યાણજીભાઈ, સ્વ. કેસરબેન, સ્વ. પ્રવિણભાઈ, નવીનભાઈના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: કલ્પેશ સાવલા, 24/26, મિન્ટ રોડ, પટેલ મેનશન, રૂમ નં. 49, 5 મો માળ, ફોર્ટ, મું.-1.

 

ચાંગડાઈના અ.સૌ. દમયંતી નાગડા (ઉં. 75) 25મીએ અવસાન પામ્યાં છે. તે હીરબાઈ શીવજીના પુત્રવધૂ. લખમશીના પત્ની. સુંદરબાઈ/ મુલબાઈ લાલજીના પુત્રી. માવજી, લીલાઘર, ઉમરશી, કુંવરજી, દેમીબાઈ મોરારજી, મકુબાઈ શામજી, કેસર કલ્યાણજી, ખેતબાઈ ભવાનજી, લક્ષ્મીબેન જીવરાજના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: લખમશી નાગડા, 304/એ, નેહા એપાર્ટમેન્ટ, એલ.બી.એસ. રોડ, ભાંડુપ (પ.).

 

ભુજપુરના ભાનુમતી ગડા (ઉં. 89) 25મીએ અવસાન પામ્યાં છે. તે ખીમઈબેન સોજપાર પુનશીના પુત્રવધૂ. જેતબાઈ પ્રેમજીના પુત્રી. ડુંગરશીના પત્ની. પ્રભા, લક્ષ્મી (નૈના), કાંતી, અરાવિંદ, મણીલાલ, પરેશ, અશોકના માતા. સુંદરબેન, કુંવરજીના બેન. પ્રા.: શ્રી. વ. સ્થા. જૈન શ્રા. સં. સ.કરસન લધુ નીસર હૉલ, દાદર (પ) 29મીને બુધવારે બપોરે 4થી 5.30. ઠે.: મણીલાલ ગડા, 5/એ પરેરા સદન, નટરાજ સ્ટુડિયોની સામે, એમ. વી. રોડ, અંધેરી (પૂ.).

 

રાયણના મીનાબેન ગડા (ઉં. 74) 27મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે નાનબાઈ નાનજીના પુત્રવધૂ. સ્વ. મુલચંદના પત્ની. હિરેન, જ્યોતીના માતા. કેસરબેન લખમશી ગાલાના પુત્રી. શાંતિલાલ, લીલાવંતી, મણીબાઈના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: હિરેન ગડા, 502, કલ્યાણ સ્મૃતિ, એમ. જી. ક્રોસ રોડ 3, કાંદિવલી (વે.), મું.-67.

 

સાડાઉના લક્ષ્મીબેન સાવલા (ઉં. 81) 26મીએ અવસાન પામ્યા છે. તે મઠાબાઈ વેલજી જીવરાજના પુત્રવધૂ. પોપટભાઈના પત્ની. અશ્વિન (ચેતન), નિતીનના માતા. ભચીબાઈ કુંવરજી ખીમજીના પુત્રી. લક્ષ્મીચંદ, હીરબાઈ હરશી, રતનબેન કાનજી, મણીબેન કેશવજી, જવેરબેન કોરશીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: અશ્વિન સાવલા : 603-બી, કમલ પાર્ક, એલ.બી.એસ. માર્ગ, ભાંડુપ (પ.).

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

જેતપુરના સ્વ. યોગેશભાઈ રતિલાલ બાવીશીના પત્ની નીતાબેન બાવીશી (ઉં. 60). તે અંકિત, દિશા ધવલ ઝાટકીયાના માતા. સલોની, ધવલના સાસુ. બીનાબેન મનીષભાઈ બાવીશી, દક્ષાબેન પ્રવિણભાઈ બખાઈ, હર્ષાબેન મૂળરાજભાઈ મહેતા, સ્વ.  ઇલાબેન મહેશકુમાર શાહના ભાભી. પિયર પક્ષે મધુબેન રમેશચંદ્ર સંઘાણીના દિકરી 26મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 30મીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન મોટા ઉપાશ્રય, શંકર મંદિર સામે, લોહાણા મહાજન વાડી સામે, એસ.વી. રોડ, કાંદિવલી (પ.).

 

કચ્છી દશા શ્રીમાળી વણિક જૈન

કચ્છ (દરશડી)ના મનસુખલાલ મહેતા (ઉં. 78) 27મીએ અરિહંત શરણ પામ્યા છે. તે ઉષાબેનના પતિ. સ્વ. ગૌરીબેન છગનલાલ મહેતાના પુત્ર. પ્રતિક્ષાબેન, અમિતભાઈના પિતા. કતિશ્માબેનના સસરા. સાસર પક્ષે મનહરલાલ મોહનલાલ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા 30મીએ સાંજે 5થી 7. ઠે.: ગોપુરમ હોલ, ડૉ. આર. પી. રોડ, વર્ઘમાન નગરની બાજુમાં, મુલુંડ (પ.).

 

જામનગર હાલર તથા મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન

જોડીયાના સ્વ. હીરાબેન અમૃતલાલ ધોલાણીનાં પુત્રવધૂ અ.સૌ. પ્રતિભા મનોજ ધોલાણી (ઉં. 71). તે કિશોરભાઈ, ભુપતભાઈ, પ્રમોદભાઈ, જયેન્દ્રભાઈનાં ભાભી. જેનીશા નિકુંજ શાહ, નિકીતા નીલ શાહના માતા. સ્વ. જયાબેન જેઠાલાલ પારેખના દીકરી. હસમુખભાઈ, જયંતભાઈ, દિનેશભાઈ, ભૂપતભાઈ, અનિલભાઈના બેન 28મીએ અહિરંતશરણ પામ્યાં છે. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી મૂર્તિપૂજક જૈન

જોરાવરનગરના શકુંતલાબેન (ઉં. 80) 27મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. દિવ્યકાંત રમણલાલ શાહના પત્ની. સ્વ. છોટાલાલ ફુલચંદ શાહના પુત્રી. પૂર્વી, જયરાજ, દેવરાજ, વિક્રમના માતા. નીરવ, પાયલ, હીના, મનાલીના સાસુ. સ્વ. શશીબેન, સ્વ. ઉષાબેન, સ્વ. કિરણબેન, સ્વ. પુષ્પાબેન, અરુણાબેન, સ્વ. પૂર્ણિમાબેન, સ્વ. શૈલીબેન, હેમેન્દ્રભાઈના ભાભી. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

પાલિતાણાવાળા નિર્મળાબેન રતિલાલ પરમાણંદદાસ શેઠના પુત્રવધુ અ.સૌ. વર્ષાબેન (ઉં. 67) 27મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે હેમેન્દ્રભાઈના પત્ની. જલ્પા-રાકેશકુમાર, વલય-સિદ્ધિ, ઉત્સવ-ધારાના માતા. સૂર્યાબેન અરુણકુમાર શાહ, હર્ષદભાઈ, સુરેશભાઈ, બિપીનભાઈ, કિરણબેન રાજેન્દ્રકુમાર શાહ, કમલેશભાઈ, યેગેન્દ્રભાઈના ભાભી. બાબુલાલ શામજીભાઈ શાહના દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

અમરેલીના કાંતીભાઈ શાહ (ગોડા) (ઉં. 90). તે સ્વ. જયાબેન તથા સ્વ. માણેકચંદભાઈના પુત્ર. વનિતાબેનના પતિ. જયેશભાઈ-સ્વ. હર્ષાબેન, સ્વ. રાજુભાઈ, ચેતનભાઈ-રશ્મીબેન, પ્રીતીબેનના પિતા. સુથેંદુ-પુજા, રાહુલ-હિરલના નાના. સ્વ. જયંતભાઈ, સ્વ. ચંપકભાઈ, સ્વ. પ્રવિણાબેન, સ્વ. મધુબેનના ભાઈ મંગળવાર, 28મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 30મીએ સવારે 11થી 12. ઠે.: બોલરૂમ, પુના ટર્ફ ક્લબ.

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા

ગં.સ્વ. કલ્પનાબેન. તે સ્વ. સૂર્યકાન્તભાઈ રૂપારેલિયાના પત્ની. સ્વ. પ્રભાબેન જમનાદાસ કાનાબારની પુત્રી. પ્રીતિબેન હરીશભાઈ ત્રિપાઠીના માતા. ચંદ્રકાંતભાઈ, રાજુભાઈ, જીતેન્દ્રભાઈ, હેમંતભાઈ રૂપારેલિયા, જ્યોતિબેન ખાખરીયા, જીજ્ઞાબેન તન્નાના ભાભી. શિખર, શૌર્યાના નાની સોમવાર, 27મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 30મીએ સાંજે 4થી 6. ઠે.: કેવલ બાગ ટ્રસ્ટ, કિલાચંદ રોડ, કાંદિવલી ફ્લાય ઓવરની નીચે, શંકર ગલીની સામે, કાંદીવલી (પ.).

 

કચ્છી ભાટિયા

રૂપક ટોપરાણી (ઉં. 78). તે સ્વ. ઇન્દુમતી કરસનદાસ ટોપરાણીના પુત્ર. સ્વ. અજીતાસિંહ, સ્વ. દિનેશ, જ્યોતિ ગુલાબાસિંહ ગાજારિયા, સ્વ. રેણુકા અરુણકુમાર આશરના ભાઈ. ભાનુમતિ, મીનાના દિયર.  હેમંતિ પ્રશાંત સુતારીયા, વૈશાલી રાજેશ શાહ, તૃપ્તિ યશ કાપડિયા, રાજનીશ, નીરજના કાકા. હેમાલી હેમંત આશર, માનસી કૃષ્ણકુમાર મેનન, મિતેશ, કેતકી સંદીપ ગુજરાતીના મામા 27મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ભાવનગરી મોચી

ઉમણીયાવદરના ભુપતભાઈ રામજીભાઈ સોડાંગર (ઉં. 74). તે પુષ્પાબેનના પતિ. મથુરભાઈ, રાધવભાઈના ભાઈ. ઉમેશ, અનીતાના પિતા. રાહુલ, ઘનશ્યામ, જીજ્ઞા, મહેશ, ચેતના, ધર્મીષ્ઠા, સોનલના મોટા (પપ્પા). પૂજા, જીગ્નેશ સવજીભાઈ પરમારના સસરા. પ્રાર્થનાસભા 30મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: લાડવાડી, સી.પી. ટેન્ક, મુંબઈ.

 

ભાવનગરી મોચી

પડવાના દુલાભાઈ માવજીભાઈ વાઘેલાના પત્ની. ભાનુબેન (ઉં. 57) 28મીએ મંગળવારે રામચરણ પામ્યાં છે. તે શૈલેષભાઈ, રક્ષાબેન, હર્ષાબેન, અલ્પાબેનના માતા. સ્વ. બળવંતકુમાર, રાજેશકુમાર, ઉમેશકુમાર, હિનાબેનનાં સાસુ. સ્વ. ભાનુબેન ચુનીભાઈ વાઘેલા, સ્વ. મંજુલાબેન કાંતિભાઈ વાઘેલા, નિર્મળાબેન જેન્તીભાઈ વાઘેલાના દેરાણી. લીલાબેન બાબુભાઈ સરવૈયાના ભાભી. સ્વ. કલ્યાણભાઈ ગગુભાઈ સોલંકીના દીકરી. પ્રાર્થનાસભા 30મીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે.: શુખ શાંતિ બિલ્ડિંગ, રાયડોંગરી કાર્ટર રોડ નં. 5. બોરીવલી (પૂ.).

 

ચાર ગામ દશા પોરવાડ વૈષ્ણવ

ચિ. દેવ (ઉં. 20) 27મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે ગં.સ્વ. અરુણાબેન દિનેશચંદ્ર પરીખના પૌત્ર. નેહા બ્રિજેશભાઈ પરીખના પુત્ર. મનીષા રાજેશભાઈ મંડાણી, ઝંખના બિરજુભાઈ પરીખના ભત્રીજા. ગં.સ્વ. સરયુબેન જયેશભાઈ શાહના દોહિત્ર. ખુશ્બુ, ક્રિશ, ધ્રુવના ભાઈ. બેસણું તથા લૌ. વ્ય. બંધ છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો