• શુક્રવાર, 17 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

કપાયાના જવેરબેન સંગોઈ (ઉં. 87) 14મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સુંદરબેન દેવજીના પુત્રવધુ. લીલાધરના પત્ની. વર્ષા, મીના, જયશ્રી, વસંતના માતા. મોંઘીબેન રામજીના પુત્રી. હિંમત, ચંદ્રકાંત, મણીબેન દેવશી, રૂક્ષ્મણી રાઘવજી, વનિતા માવજી, છાયા દિનેશના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: વસંત સંગોઈ. 22, હેન્દ્રે મેન્શન, વાડિયા સ્ટ્રીટ, તારદેવ, મું.-34. 

 

ડુમરાના કાંતિલાલ શાહ/કારાણી (ઉં. 72) 13મીએ અરિહંતશરણ પામ્યા છે. તે લક્ષ્મીબેન પ્રેમજી ભારમલના પુત્ર. જયવંતીબેનના પતિ. મયુર, મિનલના પિતા. દમયંતીબેન, પ્રફુલ્લ, અરાવિંદના ભાઈ. જવેરબેન પ્રેમજી ખીમજી શાહના જમાઈ. પ્રાર્થના : શ્રી સુમતિનાથ જિનાલય (પાંચમે માળે), ગુજરાત કલબની બાજુમાં, કિંગ્સ સર્કલ/માટુંગા, મું.-19.  2થી 3.30. 

 

ઝાલાવાડી દશા શ્રીમાળી શ્વે. મૂ. જૈન

ધાંગધ્રાના અનિલભાઈ કપાસી (ઉં. 70) શનિવાર 11મીએ અરીહંતશરણ પામ્યા છે. તે સ્વ. લાભુબેન, સ્વ. ધીરજલાલ કપાસીના પુત્ર. રીટાબેનના શ્રાવક. શ્રેયાંશ, કૃપાના પિતા. જીતેન્દ્રભાઈ, સ્વ. સ્મિતાબેન, ગાર્ગીબેન, ચેતનાબેનના ભાઈ. સ્વ. શાંતિભાઈ નટવરલાલ શાહના જમાઈ. બંને પક્ષની પ્રાર્થના સભા 16મીએ ગુરુવારે બપોરે 4થી 5.30. ઠે.: 1લો માળો, શ્રી કરસનભાઈ લધુભાઈ નિશાર જૈન ધર્મ સ્થાનક, 12, જ્ઞાન મંદિર રોડ, એસ. કે. બોલે રોડ, દાદર (પ.). 

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

જેતપુરના સ્વ. હરખચંદ નાથાલાલ કામદારના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉં. 78) 14મીએ મંગળવારે સ્વર્ગવાસ પામ્યા છે. 

તે પ્રિતીબેનના પતિ. લલીતભાઈ, સ્વ. સુરેશભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. ભરતભાઈ, શિરીષભાઈ, વર્ષાબેન, મિનાક્ષીબેન, સરલાબેનના ભાઈ. સ્વ. બાબુભાઈ દેસાઈના જમાઈ. જીગીષા, દર્શન, અપુર્વના પિતા. પ્રાર્થનાસભા 16મીએ ગુરુવારે  સાંજે 4થી 6. ઠે.: કલબ હાઉસ, રાહેજા ટીપકો હાઈટ, પાસપોર્ટ ઓફીસના ઉપર, મલાડ (પૂ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

વિસાવદરના ચુનીલાલ હીરાચંદ મોદી (બાદશાહ)ના પત્ની તારાબેન મોદી (ઉં. 97) 11મીએ શનિવારે અરિહંતશરણ પામ્યા છે. તે શાંતાબેન મોનજી રૂપાણીના દીકરી. રમણીકભાઈ, જયંતીભાઈ, ધનકુંવરબેનના બેન. ભરતભાઈ, મીરાબેન, કિશોરભાઈ, અનિલભાઈ, દિનેશભાઈ, રાજેશભાઈ, ડોલરભાઈના માતા. શીલાબેન, દિનકરરાય, સાધનાબેન, સાલનીબેન, રશ્મીબેન, છાયાબેન, છાયાબેન (કવિતાબેન)ના સાસુ. બંને પક્ષની પ્રાર્થનાસભા 16મીએ ગુરુવારે સાંજે 4થી 6. ઠે.: લોટસ હોલ, ચોથા માળે, રઘુલીલા મોલ ,કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે. 

 

જૈન

પાટણના સ્વ. કલાબેન કિલાચંદ શાહના પુત્ર અશ્વિન (ઉં. 89) 14મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રંજનબેનના પતિ. દેવાંગ, વિકાસના પિતા. સ્વ. અમિચંદ, સ્વ. નાનાલાલ, સ્વ. રમીલાબેન, સ્વ. શર્મીષ્ઠાબેન, સ્વ. ઉર્મિલાબેનના ભાઈ. સ્વ. ભગવતીબેન મહાસુખલાલ શાહના જમાઈ. ઠે.: બી/5, સિદ્ધાર્થ કુટિર કો.ઓ. હાઉસિંગ સોસાયટી, મંછુભાઈ રોડ, મલાડ (પૂ.).

 

સોરઠ વીસા શ્રીમાળી જૈન 

લાખાપાદર (અમરેલી જીલ્લો)ના અ.સૌ. હેતલ રામાણી (ઉં. 52) 14મીએ મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. 

તે દેવયાનીબેન (ચંદ્રીકાબેન) ધીરેન્દ્ર દોશીના પુત્રી. અરૂણાબેન નવીનચંદ્ર રામાણીના પુત્રવધુ. દિવ્યેશના પત્ની. ભુમીના માતા. સમીરભાઈ, કલ્પેશભાઈના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌ.વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારશે બ્રાહ્મણ

ભડી ભંડારિયાના અરુણકુમાર દવે (ઉં. 82) 14મીએ મંગળવારે કૈલાશવાસ પામ્યા છે. તે સ્વ. ઈચ્છાશંકર અને સ્વ. લીલાવતીબેનના પુત્ર. પન્નાબેનના પતિ. સ્વ. રતિલાલ મહેતાના જમાઈ. સ્વ. સરલાબેન, સંજયભાઈના ભાઈ. મિનલ, જતીન, ગૌરાંગના પિતા. બંને પક્ષની પ્રાર્થનાસભા 17મીએ શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: જાનકીબાઈ હોલ, દાદાભાઈ રોડ, ભવન્સ કોલેજની નજીક, અંધેરી (પ.).

 

કપોળ 

ચોગઠવાળા ભરતભાઈ ત્રંબકલાલ દેસાઈ (ઉં. 74) 14મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે રંજનબેનના પતિ. દર્શના, રચના, ધવલના પિતા. દેવાંગ મહેતા, હિરેન ગાંધી, પાયલના સસરા. સ્વ. હસમુખભાઈ, સ્વ. યોગેશભાઈ, વસંતભાઈ, કિરણબેન મુકેશકુમાર કાચરીયાના ભાઈ. સ્વ. નાનાલાલ ભાયચંદ ચિતલીયાના જમાઈ. પ્રાર્થનાસભા 16મીએ સવારે 9થી 11. અમદાવાદ મુકામે રાખી છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા સોરઠિયા વણિક

મહુવાના સ્વ. નવીનચંદ્ર કલ્યાણજી મહેતાનાં પત્ની ગં.સ્વ. મંજુલાબેન (ઉં. 80) 14મીએ મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે પલ્લવી હરેશ ગગલાણી, પીનલ પીયુષ પારેખનાં માતા. વલ્લભદાસ કપૂરચંદ ઘીયાના દિકરી. સ્વ. હસમુખરાય, ગીરીશભાઈ, સ્વ. કિશોરભાઈ, રક્ષાબેન મગનલાલ વસાણીના ભાભી. કોમલ, ધ્રુવ, જીગ્નેશના નાની. સાદડી પ્રથા તથા લૌ. વ્ય. બંધ છે. 

 

કાછિયા પટેલ

ભાવનગરના ગં.સ્વ. શકુંતલાબેન ચંદ્રકાંતભાઈ કંકુવાલાના પુત્ર હરેશ (ઉં. 45) સોમવાર, 13મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે ગિરીશ, નીતાના ભાઈ. માયાના દિયર. નિલેશભાઈ અજવાળીયાના સાળા. સલોની, યાસનાના કાકા. પ્રાર્થનાસભા ગુરુવાર, 16મીએ 4થી 6. ઠે.: બાબુભાઈ ડી. ચાલ, દત્તપાડા રોડ નં. 2, રીટા બ્યુટી પાર્લરની પાછળ, બોરીવલી (પૂ.). લૌ. વ્ય. બંધ છે. 

 

હાલાઈ લોહાણા 

રાજકોટવાળા સ્વ. નિર્મળાબેન જામનદાસ ચોટાઈના પુત્ર મુકેશભાઈ (ઉં. 67) તે ગીતાબેનના પતિ. સ્વ. પુરુષોત્તમભાઈ બદિયાનીના જમાઈ. મેહુલભાઈના પિતા. ઉષાબેન પ્રકાશ ઠક્કર, કિશોરભાઈ, હસુમતીબેન નરેન્દ્ર રૂધાણીના ભાઈ. 14મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 16મીએ 5.30થી 7. ઠે.: પેલેસ બેન્કવેટ, નેતાજી સુભાષ રોડ, મુલુંડ (પ.). 

 

હાલાઈ લોહાણા  

ગુરગઢના દિલીપ સચદેવ (ઉં. 75) સોમવાર 13મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. દ્વારકાદાસ સચદેવ અને સ્વ. દમયંતીબેનના પુત્ર. સ્વ. હિનાબેનના પતિ. સ્વ. રંભાબેન નારાયણદાસ ગોકાણીના જમાઈ. સ્વ. હરેશભાઈ, જયંતભાઈ, હંસાબેન રાવલ, વિણાબેન ખટાઉ, કલ્પનાબેન રાડીયાના ભાઈ. દિપા ચેતના તન્ના (સચદેવ), રીટા, ચિરાગના પિતા. બન્ને પક્ષની પ્રાર્થના સભા ગુરુવાર 16મીએ સાંજે 4.30થી 6. ઠે.: રઘુવંશી હોલ, શ્રી થાણા હાલાઈ લોહાણા મહાજન વાડી, ખારકર આળી, થાણા (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા સોરઠિયા વણિક

કાનપરના ગં.સ્વ. ઇન્દુબેન (ઉં. 74) તે સ્વ. રમેશચંદ્ર ન્યાલચંદભાઈ સાંગાણીના પત્ની 12મીએ રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ત્રિકમદાસ કાનજી ભુપતાણીની દિકરી. રાજેશ, શિલ્પા હિતેશકુમાર કઢી, શિતલ દેવાંગકુમાર સંઘાણીના માતા. સ્વ. મનસુખભાઈ, સ્વ. જગમોહનભાઈ, અરાવિંદભાઈ, અશોકભાઈ, મધુકાંતભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ. કાંતાબેન બાબુલાલ કાચાલિયા, સ્વ. કંચનબેન ચંપકલાલ માંડવિયા, ગં.સ્વ. મંજુલાબેન સાકરલાલ શેઠ, સ્વ. નિર્મળાબેન ધીરજલાલ લોટિયા, જયશ્રીબેન વિનોદરાય ભુપતાણી, ગં.સ્વ. શશિકલાબેન શશિકાંત ભુપતાણીના ભાભી. સ્વ. મુક્તાબેન જયંતીલાલ સાંગાણી, સ્વ. હંસાબેન સુરેશભાઈ સાંગાણી, પ્રવિણાબેન કાંતીલાલ ધાબલિયા, ગં.સ્વ. હેમલતાબેન સુર્યકાંતભાઈ સાંગાણીના બેન. પ્રાર્થના સભા 17મીએ શુક્રવારે બપોરે 4થી 6. ઠે.: સર્વોદય હૉલ, ડાયમંડ ટૉકીજની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (પ.).

 

સૌરાષ્ટ્ર ખડાયતા વણિક 

માંગરોળના પ્રવિણભાઇ વૃંદાવનદાસ કગરાણા (ઉં. 85) શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રતિભાબેનના પતિ. જયશ્રી, હેમા, પરેશના પિતા. સમીરભાઈ, અંબરીશભાઈ, મેઘનાબેનના સસરા. સ્વ. લીલાબેન તથા પ્રભુદાસભાઈ નરસાણાના જમાઈ. સ્વ. પ્રિયવદનભાઇ, સ્વ. લલિતાબેન વિઠ્ઠલદાસ શાહ, સ્વ. ઇન્દિરાબેન ચંદ્રકાંત નંદોલા, કુસુમબેન અમરચંદભાઈ શાહના ભાઈ. 12મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના સભા ગુરુવારે 16મીએ સાંજે 5થી 7. ઠે.: આરજેસી બેન્ક્વેટ, એસએનડીટી વિમન્સ કૉલેજ, આરએ કિડવાઈ રોડ, માટુંગા, કિંગ સર્કલ, મું.-19.

 

સોની

મુંબઈના અશોકભાઈ મંગળદાસ સોની (ઉં. 77) 14મીએ મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. તે કિરણબેનના પતિ. જાસ્મિન, મિથુનના પિતા. સોનિયાના સસરા. ચુનીલાલ ચંદારાણાના જમાઈ. લૌ. પ્રથા બંધ છે. પ્રાર્થનાસભા 16મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: મુક્તાંગન હૉલ, કમલા રહેજા કૉલેજ, વિદ્યાનિધિ માર્ગ, જુહુ સ્કીમ. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો