• રવિવાર, 13 સપ્ટેમ્બર, 2026
મારણ નોંધ
હિન્દુ મરણ

જનોડ એકડા વીસા ખડાયતા

સ્વ. કાન્તિલાલ હરજીવનદાસ શાહના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 84). તે નીરૂબેનના પતિ. ગૌરવ, રીના, દીપા, તેજલના પિતા. પંક્તિ, મનીષકુમાર, અમીષકુમાર, મેહુલકુમારના સસરા. સ્વ. નટવરલાલ ચુનીલાલ શાહના જમાઈ 1લીએ મુંબઈ મુકામે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રવિવાર, 13મીએ સવારે 9.30થી 11. ઠે.: ઋણાનુબંધ હૉલ, ગ્રાઉન્ડ ફ્લોર, યશવંતરાવ ચવ્હાણ સેન્ટર (વાય.બી. ચવ્હાણ) જનરલ જગન્નાથરાવ ભોસલે માર્ગ, નરીમાન પોઇન્ટ, મુંબઈ-21.

 

ભટ્ટ મેવાડા બ્રાહ્મણ

ઉમેદગઢના હેમંતભાઈ જોષી (ઉં. 53). તે ગં. સ્વ. દેવબાળાબેન કૃષ્ણકાન્ત (કિર્તીભાઈ) જોષીના પુત્ર. રૂપલબેનના પતિ. પૃષ્ની, જૈત્રના પિતા. છાયાબેન અતુલકુમાર પંડયા, ગીતાબેન જયદત્તકુમાર વ્યાસ, નિશાબેન જયકુમાર જોષીના ભાઈ. ગં.સ્વ. મધુબેન રમેશચંદ્ર શામળદાસ પંડયાના જમાઈ 4થીએ એકાલિંગજી શરણ પામ્યા છે. સર્વ પક્ષની પ્રાર્થનાસભા 13મીને રવિવારે સાંજે 4થી 6. ઠે.: પહેલા માળે, યોગેશ્વર મહાદેવ ધામ મંદિર, યોગી નગર, બોરીવલી (.). લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી લોહાણા

સ્વ. કંચનબહેન તથા રમણીકલાલ અમૃતલાલ વસાણી પુત્ર દિલીપભાઈ (ઉં. 81). તે જયશ્રીબેનના પતિ. કરણ, તન્વીના પિતા. સુધા પ્રતાપ કોટક, રૂપા કીર્તિ જોશીના ભાઈ. સ્વ. નર્મદાબહેન તથા સ્વ. હેમરાજ શિગાડાના જમાઈ શુક્રવાર 4થીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

અંબારેલી (ધોળકા)વાળા ચંદુલાલ માણેકલાલ ધનજી મહેતા (ઉં. 92). તે સ્વ. રણછોડભાઈ, સ્વ. નંદલાલભાઈ, સ્વ. ભોગીલાલ, સ્વ. વેણીલાલ, ગં.સ્વ. ચંપાબેન જગજીવનદાસ શાહના ભાઈ. ચંદ્રિકા (ચંપા)બેનના પતિ. મીના મુકેશ મહેતા, રૂપા ભાવેશ જાંગલા, હીના અતુલ ગાંધી, છાયા ભાવન ગાંધી, સુનીલના પિતા. સોનલના સસરા. સ્વ. મોહનલાલ જમનાદાસ કોઠારીના જમાઈ 9મીને બુધવારે ગોવિંદચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

મહુવાના સ્વ. વિજયાબેન તથા સ્વ. હરગાવિંદદાસ દોશીના પુત્ર સુશીલકુમાર (ઉં. 89) 10મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હર્ષાબેનના પતિ. પ્રીતિ, દેવાંગના પિતા. જશવંતીબેન અરુણભાઈ મહેતા, સ્વ. મનુભાઈના ભાઈ. બબુબેન તથા વાડીલાલ ગાંધીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે

 

કચ્છી પરજિયા પટ્ટણી  સોની 

નાનીખાખરના સોની મોહનલાલ  (ખીમજી) થલેશ્વર (ઉં.  94). તે સ્વ. લક્ષ્મીબેન રામજી થલેશ્વરના પુત્ર. સ્વ. પુરબાઇ પરષોતમ ધકાણના જમાઈ. સ્વ. રાધાબેનના પતિ. જેઠાલાલભાઈ, જયંતિભાઈ, ઉષાબેન કિશોરભાઈના પિતા. ભારતીબેન, સ્વ. ગીતાબેન, શોભાબેનના સસરા 10મીએ રામશરણ પામ્યા છે. સ્વરાંજલિ 12મીને શનિવારે સાંજે 4થી 5.30. ઠે.: જયંત કે. ફર્નિચર્સ અવસર હૉલ, જ્યોતિ સ્ટુડિયો કમ્પાઉન્ડ, કેનેડી બ્રિજ, નાના ચોક, ગ્રાન્ટ રોડ, મુંબઈ.

 

સિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ

સિહોરના સ્વ. ઈન્દુમતી મહાસુખરાય ત્રિવેદીના પુત્ર સ્વ. પ્રફુલ્લભાઈનાં પત્ની દીનાબેન 7મીને સોમવારે અવસાન પામ્યાં છે. તે કિરીટભાઈનાં ભાભી. માધવી, દિપ્તી હેમેન દવે, નીશા પ્રશાંત રાવળનાં માતા. સ્વ. ભાનુબેન તનસુખભાઈ રાવળનાં પુત્રી. લૌ. વ્ય. બંધ છે

 

દશા સોરઠિયા વણિક

બોધીકાના ભૂપતરાય કુલેરિયા (ઉં. 85) 10મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. કૈલાસબેનના પતિ. જયેશ, રાજેશ, નીતાના પિતા. ગીતા, શીલ્પાના સસરા. પુનીત, કુનાલ, નેહાના દાદા. લૌ. વ્ય. બંધ છે.

જૈન મરણ

કવીઓ જૈન

ભુજપુરના ગાંગજી ગાલા (ઉં. 96) 10મીએ અરિહંતશરણ પામ્યા છે. તે પાનબાઈ ભીમશીના પુત્ર. કેસરબેનના પતિ. જગદીશ, દિલીપ, વિનોદના પિતા. શાંતિલાલ, સુંદરજી, ધીરજલાલ, નિર્મલા, કસ્તુર, કલ્પના, ભારતીના ભાઈ. ભચીબાઈ રતનશી સાવલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: ગાંગજી ગાલા, બી-703, કર્મયોગ બિલ્ડિંગ, કાર્ટર રોડ નં.3, બોરીવલી (પૂ.).

 

ડુમરાના પુરબાઈ પાસુ હરીઆ (ઉં. 70) 10મીએ અવસાન પામ્યાં છે. તે પમીબાઈ કરમશીના પુત્રવધૂ. સ્વ. હસમુખ, સ્વ. રેવંતી, સ્વ. રક્ષા, સ્વ. હિતેન્દ્રના માતા. વેજબાઈ જીવરાજ ગાલાના પુત્રી. લક્ષ્મીબેન (જયાબેન), તેજશી પુરબાઈ આસુ, લક્ષ્મીબેન ટોકરશીના બેન. સ્વ. રતનબેન દેવજી, સ્વ. મણીબેન ભવાનજી, વેજબાઈ કુંવરજી, પુરબાઈ ચાંપશીના ભાભી. પ્રાર્થનાસભા રાખી નથી. ઠે.: જયેશ ગાલા, સાંઈધામ, બી-102, જવાહરનગર, સાંઈબાબા રોડ, ખાર (પૂ.).

 

દશા શ્રીમાળી સ્થા.જૈન

વઢવાણના પ્રેમલ શાહ (ઉં. 62). તે સ્વ.વસુબેન તથા કાંતિલાલ અમૃતલાલ શાહના પુત્ર. ઉરેશભાઈ, સ્વ.પ્રદીપ, મુકેશના ભાઈ. સુધાબેન, દેવયાનીબેનના દિયર. નિધિ, બિનલના પિતા. હિરેન, મેધા, જીમીક, ધારાના કાકા બુધવાર, 9મીએ અરિહંતશરણ પામ્યા છે. ઠે. : જી -11, નુતન નગર, બાંદરા. લૌ. વ્ય. બંધ છે.

 

શ્રી પાટણ જૈન 

ઝવેરી વાડા- પાટણના સ્વ. લીલાવતીબેન સૂરજમલ શાહના પુત્ર હસમુખભાઈ (ઉં. 85) 10મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. તે રાગિણીબેનના પતિ. ઉદય, સરજુના પિતા. સ્વ. દિલીપભાઈ, સુનંદાબેન, કંચનબેન, જસવંતલાલ, મધુબેન ધીરજભાઈના ભાઈ. લૌ. વ્ય. બંધ છે. 78/15 શ્રી પાટણ જૈન મંડળ, મરીન ડ્રાઈવ.

 

મચ્છુકાંઠા વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

વાંકાનેરના ડૉ. અનોપચંદ શાહ (ઉં. 94) 10મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યા છે. તે ચંચળબેન શાંતિલાલ કાનજી શાહના પુત્ર. ચંદ્રિકાબેનના પતિ. પરાગભાઈ, નેહાબેન, વિરલભાઈના પિતા. સ્વ. પ્રવીણચંદ્ર શાહ, સ્વ. વસંતબેન વખારિયા, હંસાબેન શાહ, સ્વ. લલિતભાઈ શાહના ભાઈ. શાંતિબેન ગોકળદાસ ગાંધીના જમાઈપ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો