• શુક્રવાર, 29 મે, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

નાગલપુરના અરાવિંદ લાલન (ઉં. 73) 25મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કસ્તુરબેન ધનજીના પુત્ર. નયનાના પતિ. અમિત, પ્રતિકના પિતા. હેમલતા, સ્વ. રજની, કાંતી, નુતનના ભાઈ. રાણબાઈ ડુંગરશી ગંગરના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ પ્રતિક અરાવિંદ લાલન, 701-બી, ગજાનન હાઈટ્સ, નેરૂરકર રોડ, સંગીતાવાડી, ડોંબિવલી (પૂ.).

 

ભુજપુરના કુસુમ શાહ (દેઢિયા) (ઉં. 83) 26મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. દામજીના પત્ની. માકામાં જીવરાજ સુરાના પુત્રવધુ. પરેશ, બીનાના માતા. શુકરાબેન ભવાનજી ગાંગજી ગડાના પુત્રી. લક્ષ્મી લાલજી, ઝવેર જેઠાલાલ, વિમલા હીરજી, કલ્યાણજી, અશ્વિન, રતન મનુભાઈ, ઉષા રામજી, મુકતા રમેશના બેન. પ્રાર્થના રાખી નથી. હાડકાં, માંસપેશિયો, ત્વચા અને નેત્રદાન કર્યું છે. નિ.ઃ પરેશ દામજી શાહ, 302 ચેરિયટ, નવઘર રોડ, મુલુંડ (પૂ.).

 

રામાણીયાના જાદવજી રાંભીયા (ઉં. 77) 26મીએ મંગળવારે અવસાન પામ્યા છે. તે સુશીલાના પતિ. મોંઘીબેન નથુ દનાના પુત્ર. નાનબાઇ પાસુ તેજશીના જમાઈ. રક્ષા, અમીષના પિતા. મણીલાલ, દિનેશ, હેમલતા મોહનલાલ, જયંતીલાલના ભાઇ. પ્રાર્થના રાખી નથી. ઠે.ઃ અમીષ રાંભીયા, 304, સહજાનંદ સ્ટેટસ-1, આણંદ-સોજિત્રા રોડ, આણંદ.

 

રાધનપુર તીર્થ જૈન

રાધનપુરના કલ્પનાબેન શાહ (ઉં. 82) તે સ્વ. ભુરીબેન સુરેન્દ્રલાલ શાહના પુત્રવધુ. સ્વ. દિનેશચંદ્રના પત્ની. સ્વ. કમળાબેન ચીમનલાલ શાહના પુત્રી. સ્વ. અમરીશ, સ્વ. હેતલ, દેવાંગ, પીનલ, સંદીપ, અલ્કા, હેમલ, કુમાર શેઠના માતા. હાર્દિક, કશિશ, સોનલ, હર્ષ, રાજવી, કિંજલ, રાહિલ, પ્રતિક, જીનાલી, યશ, જય, કૃપા, કુશલ, સમીક્ષા, રૂહાન ધૃતિ, કવીરના નાની/દાદી 26મીએ મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. ઠે.ઃ 208 ઇ એમ એમ રોડ, 36, શાંતિનાથ જૈન બિલ્ડીંગ, પાયધુની, મુંબઈ.

 

સુરત જૈન વીસા પોરવાડ

નિલેશભાઈ જવેરી (દેવડી)  (ઉં. 60) 25મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રજનીકાંત અને સ્વ. હંસાબેનના પુત્ર. સ્વ. હરેશભાઈના ભાઈ. બિનાબેનના પતિ. ક્રિશ્મા, અભિષેકના પિતા. સાહિલભાઈ, નિધીના સસરા. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ગોંડલના ભરતભાઈ છોટાલાલ શેઠના પત્ની અ.સૌ. નીલાબેન (ઉં. 85) તે નીશીથભાઈના માતા. સ્વ. રસિકભાઈ, સ્વ. દીનેશભાઈ, સુરભીબેન દીનેશભાઈ શાહના બેન. કૃપાલીના સાસુ. નિરંજનભાઈ, હર્ષદભાઈ, વિજયભાઈ, અશોકભાઈ, સ્વ. અશ્વિનભાઈ, સુધાબેન, ચંદ્રીકાબેન, મીનાબેન, સ્વ. કલાબેનના ભાભી 25મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

જૈન

કુંઢડાના સ્વ.બાબુલાલ લક્ષ્મીચંદભાઈ શાહના પુત્ર મહીપત બાબુલાલ શાહ (ઉં. 64) 25મીએ સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે નયનાબેનના પતિ. ખુશ્બુ વિશાલ કુમાર વેજાણી, હેમના પિતા. પ્રવીણભાઈ, દિલીપભાઈ, ભૂપતભાઈ, ઉષાબેન લલિતકુમાર દોશીના ભાઈ. બાલુભાઇ, ધનજીભાઇ, મણીભાઇ, અભેચંદભાઇના ભત્રીજા. સ્વસુર પક્ષે કાંતિલાલ મોહનલાલ પારેખના જમાઈ. પ્રાર્થના સભા 29મીએ શુક્રવારે સવારે 9.30થી 11.30. ઠે.ઃ રઘુલીલા મોલ,લોટસ બેન્કવેટસ, ચોથા માળે, પોઇસર, કાંદિવલી (પ.).

હિન્દુ મરણ

ગીરીનારાયણ બ્રાહ્મણ

જૈમીન પુરોહિત (ઉં. 61) 25મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. જીતેન્દ્ર કરસનદાસ પુરોહિત, જ્યોતિબેનના પુત્ર. કેતકીબેનના પતિ. હિરના પિતા. સંકેતના સસરા. આરતી, પરાગના ભાઈ. ઠે.ઃ એ-304, અરિહંત, સુધા પાર્ક, ગારોડિયાનગર, ઘાટકોપર (પૂ.). ચક્ષુદાન કર્યું છે. લૌ. વ્ય. બંધ છે.

 

દશા સોરઠિયા વણિક

લંડનના સ્વ. તારાબેન પાનાચંદ શેઠના પુત્ર નરેન્દ્રભાઈ શેઠ (ઉં. 81) તે રમેશભાઈ, સ્વ. મધુભાઈ, સુરેશભાઈ, કિરીટભાઈ, ભરતભાઈ, હર્ષદાબેન, કિરણબેન, સ્વ. કોકિલાબેનના ભાઈ. ડિમ્પલના પિતા. 23મીએ શ્રીજીશરણ પામ્યા છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

ભટ્ટ મેવાડા બ્રાહ્મણ

કાનપુરના સતિષચંદ્ર અમથાલાલ જોષી (ઉં. 79) 20મીએ એકાલિંગજી શરણ પામ્યા છે. તે રંજનબેનના પતિ. હેમંતભાઈ, ચેતનાબેન, હેતલબેન, બિન્દુબેનના પિતા. ચેતનકુમાર, કૌશિકકુમાર, મિલનકુમારના સસરા. સ્વ. નરહરિ પરમાનંદ પંડ્યાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 29મીએ સવારે 11થી 3. ઠે.ઃ કાનપુર, તા. ઇડર, જી. સાબરકાંઠા.

 

શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારશે બ્રાહ્મણ

દયાળના સ્વ. જયંતીલાલ રતિલાલ મહેતાના પત્ની હંસાબેન (ઉં. 80) 25મીએ કૈલાશવાસ પામ્યા છે. તે મહેશ, મુકેશ, ભાવના (ભારતી) કિરણ રાવલના માતા. હર્ષા, કવિતા, કિરણકુમારના સાસુ. સ્વ. મુક્તાબેન નર્મદાશંકર જીવરામશંકર ભટ્ટના દીકરી. સ્વ. જયદેવભાઈ, સ્વ. ચુનીલાલના બહેન. બંને પક્ષની પ્રાર્થનાસભા 28મીએ 4થી 6. ઠે.ઃ બીજો માળ, કરસન  લધુ નિસર જૈન સ્થાનક, રામદેવ ઝેરોસની ઉપર, તાલિંજ રોડ, નાલાસોપારા (પૂ.).

 

લુહાર

બાબરીયાધારવાળા લાભુબેન પરમાર (ઉં. 95) 25મીએ રામશરણ પામ્યા છે.  તે સ્વ. ચંદુભાઈના પત્ની. સ્વ. મોહનભાઈ, સ્વ. મણીબેન કવાના પુત્રી. સ્વ. ભગવાનજી મુળજી પરમાર તથા મણીબેનના પુત્રવધુ. લતાબેન પ્રવીણભાઈ ચુડાસમા, દક્ષાબેન નરેન્દ્રભાઈ ચિત્રોડા, વિદ્યા ભરતભાઈ ચુડાસમા, રાજેશભાઈ, મનોજભાઈના માતા. રેખાબેન, નીલીમાબેનના સાસુ. પ્રાર્થના સભા 28મીએ સાંજે 5થી 7. ઠે.ઃ રાજશ્રી હોલ, રવીન્દ્ર હોટેલ પાસે, મુવી જેમ થીયેટરની સામે, એસ. વી. રોડ, દહીસર (પૂ.).

 

કચ્છી લોહાણા 

ઢોરીના સ્વ. રાધાબેન ભગવાનદાસ નરસીંહભાઈ સચદેના પુત્રવધુ મધુબેન (ઉં. 65) રવિવાર 24મીએ રામશરણ પામ્યા છે. તે રમેશભાઈના પત્ની. કાશ્મીરા, દીપા, હર્ષના માતા. અમી, ભૂષણ કારિયા, ચેતન સોમૈયાના સાસુ. સ્વ.ગોદાવરી શંકરલાલ ભાગચંદ ગણાત્રાના પુત્રી. બન્ને પક્ષની પ્રાર્થના સભા ગુરુવાર 28મીએ સાંજે 5.30થી 7. ઠે.ઃ મહાજન વાડી, આર.આર.ટી. રોડ, મુલુન્ડ (પ.).લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છ વાગડ લોહાણા

થોરિયારીના દક્ષાબેન (ઉં. 59) 26મીએ મંગળવારે અવસાન પામ્યા છે. તે સ્વ. ગોદાવરીબેન પાનાચંદભાઈ વાલજીભાઈ નાથાણી ઠક્કરના પુત્રી. ભરત, કિશોર, હરેશ, પ્રદીપના બહેન. ચંદ્રિકાબેન, ભારતીબેનના નણંદ. સંદીપ, મયુર, સાગર, વૈભવના ફૂઈ. તૃપ્તિ, શ્વેતા, રેશમા, ડિમ્પલના ફુઈજી સાસુ. પ્રાર્થનાસભા 28મીએ ગુરુવારે સાંજે 4થી 6. ઠે.ઃ સ્વામીનારાયણ મંદિર હોલ, 90 ફીટ રોડ, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

ભાવનગરી મોચી

સોસિયાના શાંતાબેન ચુનીલાલ પરમાર (ઉં. 83) 25મીએ સોમવારે સ્વર્ગવાસ પામ્યા છે. તે દિનેશભાઈ, હસમુખભાઈ, કલ્પનાબેનના માતા. રાધિકાબેન, દર્શનાબેન, સ્વ. વિજયભાઈ જેઠવાના સાસુ. ધર્મેશ, ભાવિકા, ધ્રુવ, ધર્મીષ્ઠા, માધુરી, મેઘના, યશના દાદી. પાયલના દાદીસાસુ. હેતના પરદાદી. પ્રાર્થનાસભા 28મીએ ગુરુવારે સાંજે 4થી 6. ઠે.ઃ મનશ્રી હોલ, ગણપતિ મંદિરની સામે,  સમતા નગર, વસઈ (પ.).

 

નાગર બ્રાહ્મણ

જામનગરના તુષારભાઈ (ઉં. 69). તે સ્વ. ભારતીબેન અને સ્વ. યશવંત પંડÎાના પુત્ર. મમતાના પતિ. જુગલના પિતા. કોમલના સસરા. સ્વ. નિશ્ચલાબેન અને સ્વ. વિજયરાય દેસાઈના જમાઈ. 25મીએ અવસાન પામ્યા છે. પ્રાર્થના સભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ફોર્ટ સોનગઢવાળા સ્વ. અરવીંદભાઈ કૃષ્ણલાલ મહેતાના પત્ની મધુબેન (ઉં. 78) 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. હેમાંગ, નીપુણના માતા. મનીષાના સાસુ. અશોકભાઈ, શૈલેષભાઈ, લતાબેન, કીશોરકુમાર શાહ, જ્યોત્સનાબેન ભરતકુમાર મેહતા, જયશ્રીબેન ભદ્રેશકુમાર પારેખ, રૂપા રાજેશકુમાર મુનીના ભાભી. પીયર પક્ષે સ્વ. છોટાલાલ જીવરાજ મહેતાના દીકરી. લૌ. વ્ય. બંધ છે.

 

વડનગરા-નાગર

વડનગરાના અ.સૌ. ગીતાબેન બંકીમ ધોળકીયા (ઉં. 75) મંગળવાર 26મીએ અવસાન પામ્યા છે. તે ધ્રુવ, સિદ્ધિના માતા. અક્ષય અગ્રવાલના સાસુ. સ્વ. પદમાબેન બચુભાઈ ધોળકીયાના પુત્રવધુ. ગં.સ્વ. સુશીલાબેન હરીરામભાઈ ઠક્કરના પુત્રી. ઘનશ્યામ, જયેશ, સ્મિતા કર્મવીર માંકડના ભાભી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ ભાટિયા 

ખટાલાલજીવાળા તેજસ નેગાંધી (ઉં. 48) તે સ્વ. ઈન્દુ ભગતસિંહ જીવણદાસ નેગાંધીના પુત્ર. બંસીના પતિ. દેવના પિતા. સ્વ. કિરણ કિશોર ભાટિયાના જમાઈ. દેવાંગ, દર્શના (િરદ્ધિ), હર્ષીદા, હેમાંગ, કોમલના ભાઈ. 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 28મીએ સાંજે 5થી 7. ઠે.ઃ ભાટિયા ભાગીરથી, દાદીશેઠ અગિયારી લેન, મુંબઈ-2. 

સ્પોર્ટ્સ
વધુ વાંચો
હેડલાઇન્સ