કવીઓ જૈન
ગુંદાલાના પોપટલાલ ગાલા (ઉં. 82) 12મીએ અરિહંતશરણ પામ્યા છે. તે તારાબેન (દેવકાબેન) રામજી લાલજી ગાલાના પુત્ર. શાંતાબેનના પતિ. કિંજલ, અવનીના પિતા. કેસરબેન કાનજી વેલજી ગંગરના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. નિ.: પોપટલાલ ગાલા, 202, દિનાર બિલ્ડિંગ, સ્ટેશન રોડ, સાંતાક્રુઝ (પ.).
મોટા લાયજાના દિનેશ શાંતીલાલ શાહ (ગાલા) (ઉં. 74) 11મીએ અરિહંતશરણ પામ્યા છે. તે પૂર્વી, ચાર્મી, ઉર્વીના પિતા. ગીરીશ, અનીલ, મંજુલા, ઉષાના ભાઈ. વીરબાઈ મોરારજી જેઠાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: દિનેશ શાહ, એ-602, ગીત, ગૌરવ ગાર્ડન, કાંદિવલી, મું.-67.
નાના ભાડીયાના વિનોદ ગોગરી (ઉં. 82) 12મીએ અવસાન પામ્યા છે. તે લીલબાઈ શીવજી લખમશીના પુત્ર. સ્વ. વાસંતીના પતિ. શૈલેષ, વીરેશ (બોબી)ના પિતા. સ્વ. હરખચંદ, ઇંદુબેન જાદવજી જગશી, સ્વ. હેમલતા પ્રકાશ શામજીના ભાઈ. સોનબાઈ લખમશી રવજી બોરીચાના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. ઠે.: વિરેશ ગોગરી, સી-602, પાવાપુરી, એમ. જી. રોડ, જી. એચ. હાઈ સ્કૂલની સામે, બોરીવલી (પૂ.).
પાટણ જૈન
પાટણના પ્રવીણાબેન રોહિતભાઈ ઝવેરી (સાયબા) (ઉં. 76) 13મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે રોહિતભાઈના પત્ની. અલ્પા, સપનાના માતા. જસ્મીનભાઈ, ચિંતનભાઈના સાસુ. માના, અનાયાના નાની.
ઝાલાવાડ દિગંબર જૈન
વિંછિયાના સ્વ. શાંતિલાલ જીવરાજ વોરાના પુત્ર નીતિનના પત્ની જાગૃતિબેન (ઉં. 61). તે કાજોલ, ખુશ્બૂના માતા. પૃથ્વીરાજ ઝાલાના સાસુ. પિયર પક્ષે સ્વ. બુધાલાલ આત્મારામ શાહના પુત્રી 12મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. રાખી નથી. ઠે.: નીતિન શાંતિલાલ વોરા, ડી/11, દેવ દર્શન ટાવર, ધનજીવાડી, માલાડ (પૂ.).
કચ્છી લોહાણા
કચ્છ ભુજના નિરૂપાબેન રૂપારેલ (ધારાણી) (ઉં. 70) 12મીએ રામશરણ પામ્યાં છે. તે વિજયના પત્ની. ચિરાગના માતા. સ્વ. ડાહીબાઈ તુલસીદાસના પુત્રવધૂ. સ્વ. ભગવતીબેન નારાયણજી પાંધીના પુત્રી. સ્વ. બાલાબેન, સ્વ. દમયંતીબેનના ભાભી. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
મોઢ વાણિયા વૈષ્ણવ
અમદાવાદના ગુણવંત પરીખના પત્ની સરોજ પરીખ (ઉં. 94) રવિવાર, 13મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે સ્વ. મુકુલ-અમી, અજય-પારૂલ, દર્શન-લીનીતાના માતા. અભિષેક-અમી, અપેક્ષા ચિરાગકુમાર દામાણી, ખુશ્બુ, આકાશના દાદી. પિયર પક્ષે લાલદાસ પટવારીના દીકરી. લૌ. વ્ય. રાખી નથી. ઠે.: અજય ગુણવંત પરીખ, 2302, ટાવર 8, પાઈનવૂડ, રૂણવાલ ગ્રીન્સ, ભાંડુપ (પ.).
કપોળ
અમરેલીવાળા સ્વ. ચીમનલાલ મગનલાલ ગાંધીના પુત્ર પરિમલના પત્ની અ.સૌ. પ્રિતીબેન (ઉં. 63) 13મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ભાસ્કરભાઈ નાગરદાસ પારેખની પુત્રી. શામળદાસ દુર્લભદાસ સંઘવીની ભાણેજ. લિપી, ઉત્સવના માતા. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ મસ્કાના સ્વ. મોતીબેન ગોવિંદજી વેલજી ચોથાણીના પુત્ર ભરતભાઈ શનિવાર, 12મીએ શ્રીરામશરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. સ્વ. ધનલક્ષ્મીબેન જેઠાલાલ કાનાણીના જમાઈ. ભાવિકના પિતા. ભૂપેન્દ્ર, મમતાબેન અતુલ રૂપારેલના ભાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
દેલવાડાવાળા સ્વ. નીલમબહેન તથા સ્વ. હરકિસનદાસ દેવીદાસ સંઘવીના પુત્ર બકુલેશભાઈ (ઉં. 80). તે નીલમબહેનના પતિ. બીજલ જિગર વોરાના પિતા. આર્યનના નાના. સ્વ. દુર્લભદાસ હરિદાસ મહેતાના જમાઈ. સ્વ. અરુણાબહેન ઉપેન્દ્રભાઈ વ્યાસના ભાઈ. સ્વ. રતિલાલ દેવીદાસ સંઘવીના ભત્રીજા શનિવાર, 12મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.