• ગુરુવાર, 02 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

રાયધણજરના શૈલેષ ગડા (ઉં. 46) 28મીએ અવસાન પામ્યા છે. તે દેવકાબાઈ રતનશીના પુત્ર. માનસીના પતિ. ઉદયના પિતા. ભાઈલાલ, સ્વ. ગીરીશ, હીતેન્દ્ર, દિનેશ, જયા, સરલા, કલ્પનાના ભાઈ. જયશ્રી હેમંત જોશીના જમાઈ. પ્રાર્થના દેશમાં રાખી છે. ચક્ષુદાન-ત્વચાદાન કર્યું છે. ઠે.: શૈલેષ રતનશી ગડા, 701, જી-વિંગ, નવનીતનગર, દેશલેપાડા, ડ ાંબિવલી (પૂ.).  

 

મોટા લાયજાના ભારતીબેન ગાલા (ઉં. 77) 29મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સુંદરબેન રતનશીના પુત્રવધૂ. કિશોરભાઈના પત્ની. અમિત, વૈશાલીના માતા. સુંદરબેન પોપટલાલના પુત્રી. ભવાનજી, જયંતિલાલ, ધીરજ, તનસુખ, મંજુલાબેનના બેન. પ્રા.: શ્રી માટુંગા કચ્છી શ્વે. મૂ. જૈન સંઘની નારાણજી શામજી મહાજનવાડી, 1લે માળે, ભાઉદાજી રોડ, માટુંગા (સે.રે.), મું.-19. ટા. સાંજે 4થી 5.30.

 

ઝાલાવાડી  વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

વઢવાણના અનોપચંદ શાહ (ઉં. 88). તે સ્વ. જ્યોતિબેનના પતિ. સ્વ. ઝવેરીબેન કપુરયંદ શાહના પુત્ર. બિરેન, બિમલના પિતા. સ્વ. નિર્મળાબેન લલિતચંદ્ર કોઠારીના જમાઈ. સ્વ. ચંદુભાઈ, સૌભાગ્યચંદભાઈ, સ્વ. કુસુમબેન, જયાબેન, સ્વ. રસિલાબેન, જ્યોત્સ્નાબેનના ભાઈ 29મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી દિગમ્બર જૈન

વિછિયાના અનિલભાઈ ચુનીલાલ અજમેરા (ઉં. 65) 30મીએ અવસાન પામ્યા છે. તે સંગીતાબેનના પતિ. રિદ્ધિ ચિંતન સાંગણી, રિયા જૈમિન મહેતાના પિતા. સુધીરભાઈ, મહેશભાઈ, કીરીટભાઈ, સ્વ. સરોજબેન તુરખિયા, ચંદ્રિકાબેન કામદાર, પારુલબેન શાહ, વર્ષાબેન ઉદાણીના ભાઈ. કિર્તીભાઈ જોબાલીયાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી શ્વેતામ્બર જૈન

અગતરાઈના સ્વ. ભગવાનદાસ મીઠાણીના પુત્ર ભરતભાઈ (ઉં. 69). તે સ્વ. પ્રીતિબેન (પુષ્પાબેન)ના પતિ. ચિરાગ, લવ, કુશના પિતા. કિરીટભાઈ, ઇલાબેન જીતેન્દ્રભાઈ ગાઠાણીના ભાઈ. સ્વ. રસિકલાલ દેવચંદ રૂપાણીના જમાઈ 28મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

વીસા શ્રીમાળી 108 ગોળ

મોઢેરાના શારદાબેન શાહ (ઉં. 89). તે સ્વ. ચીમનલાલ ઉત્તમચંદ શાહના પત્ની. પરેશભાઈ, રાકેશભાઈ, વિનશભાઈ, ભાવેશભાઈના માતા. રીટાબેન, મનીષાબેન, વૈશાલીબેન, જીજ્ઞાબેનના સાસુ. જીનલ, જલક, તીર્થ, દૃષ્ટિ, ખુશ્બુ, લબ્ધિ, કોમલ, જૈની, શિખર, સુષિતના દાદી. પિયર પક્ષે હરગોવિંદદાસ હિરાચંદ શાહ પરિવાર 30મીને મંગળવારે અરિહંતશરણ પામ્યાં છે. માતૃ વંદના 2જીએ બપોરે 3થી 5. ઠે.: જસ્મીન હૉલ, 4થે માળે, રઘુલીલા મોલ, પોઈસર બસ ડેપોની પાછળ, કાંદિવલી (પ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

સાવરકુંડલાના દોશી દેવચંદભાઈ છગનલાલના પુત્ર સ્વ. શરદભાઈનાં પત્ની પન્નાબેન (ઉં. 62) 29મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સિદ્ધાર્થ-જીનલ, હાર્દિક-રિદ્ધિનાં માતા. પ્રમોદભાઈ-સુશીલાબેન, મધુબેન સુરેશકુમાર દોશી, મયનાબેન નવીનચંદ્ર દોશી, આશાબેન ચંદ્રકાંત મહેતા, માયાબેન શાલીભદ્ર શાહના ભાઈનાં પત્ની. પિયર પક્ષે દોશી વિજયાબેન ફત્તેચંદ કપૂરચંદનાં દીકરી. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: 101, રામાસ ટાવર, પાટિલ પેરાડાઈઝ, તાંબેનગર, એસ. એન. રોડ, મુલુંડ (પ.).

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન 

હળવદના ચંપકલાલ કેશવલાલ શાહનાં પત્ની શારદાબેન (ઉં. 86) 29મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે નિમેષ, ભાવેશ, મિલન, સ્વ. તેજસ, પીના, પ્રિતીનાં માતા. સ્નેહા, ભૂમિકા, કિરીટકુમાર, ચેતનકુમારનાં સાસુ. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. જશવંતભાઈ, સ્વ. પ્રભાબેન, સ્વ. કલાબેન, સ્વ. ઇન્દુબેન ગં.સ્વ. સરોજબેન, હંસાબેન પ્રવિણચંદ્ર કોઠારીનાં ભાભી. પિયરપક્ષે સ્વ. વિજયાબેન વિરપાળ હીરાચંદ શાહના દીકરી. પ્રાર્થનાસભા 2જીએ 10.30થી 12.30. ઠે.: વર્ધમાન સ્થા જૈન સંઘ, ચોથે માળે, એસ. વી. રોડ, પારેખ ગલ્લી કોર્નર, કાંદિવલી (પ.).

 

જૈન

જીવાપરના કુ. નમ્રતા મહેતા (ઉં. 40) 29મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. દક્ષાબેન અશોકભાઈ લાલચંદભાઈ મહેતાની પુત્રી. સ્વ. મનુભાઈ, ગુણવંતરાય, ભૂપતરાય, સ્વ. સુરેશભાઈની ભત્રીજી. હેમંતભાઈ રમણીકલાલ શાહની ભાણેજ. પ્રાર્થના અને લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

કચ્છી લોહાણા

કચ્છ-વાયોરના સ્વ. ચંદ્રકાંત ભીમજી હંસરાજ દાવડાનાં પત્ની ગં.સ્વ. ક્રિષ્ણાબેન (ઉં. 70). તે મિતેશ, કાજલ મિથિન જૈનનાં માતા. સ્વ. ગાવિંદજી મુલજી ચોથાણીનાં પુત્રી. દિપ્તી, મિથિન જૈનનાં સાસુ. સ્વ. જશોદા શાન્તિકુમાર કોઠારી, સ્વ. તારાબેન તુલસીદાસ કોટક,  શારદા જગદીશભાઈ રાયકુંડલીયા, સ્વ.મમતા રમેશ રેલણનાં ભાભી 28મીએ શ્રીરામશરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 1લીને બુધવારે સાંજે 5થી 7. ઠે. : પરમેશ્વરી સેન્ટર, 1લે માળે, નંદનવન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે, મદનમોહન માલવિયા રોડ, અચિજા હોટલની બાજુમાં, ફેડેક્સની ઉપર, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે. અંગદાન કર્યું છે.

 

કચ્છી બ્રહ્મક્ષત્રિય 

હસ્તકાંત લીયા (ઉં. 84). તે સ્વ. રામાબેન શિવજી લીયાના પુત્ર. સ્વ. હંસાબેનના પતિ. વંદના, હેમાનીના પિતા. સ્વ. નિર્મળાબેન નટવરલાલ મામતોરાના જમાઈ. અવનિશકુમારના સાસરા. સ્વ. સુંદરજી, સ્વ. મણિલાલ, સ્વ. રવિલાલ, રસિકભાઈ ગં.સ્વ. કાંતાબેન ચુનીલાલ નિર્મળ, ચંપાબેન કિશોર ટાટારીયા, સ્વ. હીરાબેન રજનીકુમાર ક્ષત્રિયના ભાઈ 28મીએ રામચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 1લીને બુધવારે 5થી 6. ઠે.: પાંજીવાડી, બેન્કવેટ હૉલ, કંજૂરમાર્ગ (પૂ.).

 

મોઢ વણિક

ખંભાતના ગં.સ્વ. શારદાબેન શાહ (ઉં. 95). તે સ્વ. બાબુલાલના પત્ની. સ્વ. ભરતભાઈ, કિશોરીબેન, કેતનના માતા. ભારતીબેન, રાજેશ્રી, દિલીપભાઈના સાસુ. નિકિતા, અદિત, રેશ્મા, જીત, દિશાના દાદી 29મીએ શ્રીજીચરણ પામ્યાં છે.  લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.

 

નાઘેર દશા શ્રીમાળી વણિક

વાવરડાંના ગં.સ્વ. રમાબેન (ઉં. 92) 28મીને રવિવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. મનોરદાસ કપુરચંદ સગાળીયા (શાહ)નાં પત્ની. સ્વ. શશીકાન્ત, શૈલેષ, કલ્પના, રક્ષા, ચેતના, ગીતાનાં માતા. મીનલ-ભારતીબેન, પ્રવીણચંદ્ર સોમાણી, મુળરાજભાઈ શાહ, અતુલભાઈ ચકાયા, રોહિતભાઈ ચાવડાનાં સાસુ. પ્રેક્ષા આકાશ ધર્માવત, હિરેનનાં દાદી. સ્વ. જયંતિભાઈ, સ્વ. નગીનભાઈ, સ્વ. વૃજલાલભાઈ, ગં.સ્વ. કુમુદબેન, નેત્રાબેનનાં બેન. લૌ. વ્ય. બંધ છે.

 

ભાવનગરી મોચી

ઉમણીયાવદરના સ્વ. ચકુરભાઈ રામજીભાઈ સોડાંગરનાં પત્ની રમાબેન (ઉં. 76) 29મીને સોમવારે રામચરણ પામ્યાં છે. તે અશોકભાઈ, લાલજીભાઈ, વસંતબેન, રેખાબેન, અનીતાબેનનાં માતા. ફાલ્ગુનીબેન, કુંદનબેન, સુરેશભાઈ, જીગ્નેશભાઈ, વિનુભાઈનાં સાસુ. ધનુષ, ઉત્સવ, દિપનાં દાદી. સ્વ. જીવણભાઈ રાજાભાઈ પરમારનાં દીકરી. પ્રાર્થનાસભા 3જીને શુક્રવારે સાંજે 4થી 6. ઉત્તરક્રિયા 9મી જુલાઈને ગુરુવારે ઉમણીયાવદર મુકામે રાખી છે.

 

કચ્છી ભાટિયા

નાલાસોપારાના હરેનભાઈ (ઉં. 57). તે સ્વ. ભગવાનદાસ તથા સ્વ. ભાવનાબેન દુતિયાના પુત્ર. સ્વ. કસ્તુરીબેન તથા ગોરધનદાસ કરસનદાસ દુતિયાના પૌત્ર. હિનાબેન, મુકુંદકુમાર પોરેચા, અસ્મીતા રાજેશકુમાર પંચોલીયા, શેખરના ભાઈ. સ્વ. ઝવેરબેન ધનજીભાઈ કપાણીના દોહિત્ર 28મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

રાજકોટના સ્વ. મગનલાલ પાનાચંદ બગડાઈ તથા સ્વ. શારદાબેનના પુત્ર મહેન્દ્રભાઈ (ઉં. 73). તે હેમાંગીબેનના પતિ. સ્વ. પ્રભુદાસ દેવીદાસ સુતરીયાના જમાઈ. રમેશભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, હર્ષદભાઈ, રાજેન્દ્રભાઈ, બીનાબેનના ભાઈ. રીમા આકાશ બાદિયાણી, મીરા સૌરભ ડૉક્ટર, પૂજા યતિ ભટ્ટ, પ્રણવના પિતા 29મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 2જીને ગુરુવારે સવારે 10થી 11.30. ઠે.: પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા 

નાંદરખી (જુનાગઢ)ના સ્વ. દિવાળીબેન નારણદાસ રૂપારેલીયાના પુત્ર સ્વ. દક્ષાબેનના પતિ રતીલાલ (ઉં. 70) 28મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે ભીખુભાઈ જયાબેન, મેનાબેન હંસાબેનના ભાઈ. નિતિનભાઈ, યતીનભાઈના પિતા. સ્વ. માથુરદાસ ઓધવજી મીઠીયાના જમાઈ. પ્રાર્થનાસભા 2જીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે.: કરસન લઘુ નિસર જૈન સ્થાનક, પહેલે માળે, તાલિંજ રોડ, ચાર રસ્તા, રામદેવ ઝેરોક્સની ઉપર, નાલાસોપારા (પૂ.).

 

કપોળ 

ચંદ્રપુરવાળા સ્વ. ગુણવંતરાય વૃજલાલ મહેતાનાં પત્ની ગં. સ્વ. કાંતાબેન (ઉં. 81) 27મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે પૂર્ણિમા વિલાસ મેશ્રામ, નીતા નીતિનભાઈ મહેતા, અસ્મિતા જતીન શાહનાં માતા. સ્વ. નવનીતરાય, સ્વ. વિનોદરાય, સ્વ. કનૈયાલાલ, સ્વ. ચંપાબેન મોદી, સ્વ. વિમળાબેન કાણકિયા, સ્વ. જયશ્રીબેન મહેતાનાં ભાઈનાં પત્ની. કરશનદાસ વછરાજ મહેતાનાં દીકરી. અંકિત, રોહિન, જીલ, મહેક, હેતનાં નાની. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

બેડ જામનગરના ગૌ.વા. હંસાબેન તથા ગૌ.વા. હરીશભાઈ નરાસિંહદાસ ખીમાણીના પુત્ર શૈલેષભાઈ (ઉં. 62). તે સ્વાતિબેનના પતિ. યશ, બન્સરીના પિતા. મેહુલભાઈના ભાઈ. ગૌ.વા. ઉષાબેન અને ગૌ.વા. અરુણભાઈ સોઢાના જમાઈ સોમવાર, 29મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો