• રવિવાર, 26 એપ્રિલ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

ચીઆસરના અ.સૌ. લક્ષ્મીબેન મારૂ (ઉં. 63) 23મીએ અવસાન પામ્યાં છે. તે કેસરબેન રતનશી દેવરાજનાં પુત્રવધૂ. દિલીપનાં પત્ની. પ્રતિક, વિંકીતા (વિધી)નાં માતા. ધનબાઇ હરશીના પુત્રી.  ડુંગરશી, વલ્લભજી, મણીલાલ, તલકશી, દામજી, ગાવિંદજી, પ્રવિણ, પ્રેમીલા જયંતીલાલના બહેન. પ્રાર્થના : શ્રી ક.વિ.ઓ. દે. જૈ. મહાજન સં. શ્રી જીરાવલ્લા દેરાસર - વાડી, દેરાસર લેન, ઘાટકોપર (પૂ.). બપોરે 3.30થી 5. હાડકાં, માંસપેશીઓ, ત્વચા અને નેત્ર દાન કર્યું છે.

 

બેરાજાના અ.સૌ. જ્યોતિ (જયવંતી) સૂર્યકાંત કક્કા (ઉં. 67) 23મીએ અવસાન પામ્યાં છે. તે અમૃતબેન દામજીનાં પુત્રવધૂ. વિરલ, અંકિતનાં માતા. રતનબેન (ભચીબેન) રામજી હિરજી ગાલાનાં પુત્રી. ઝવેરચંદ, જેઠાલાલનાં બહેન. પ્રાર્થના રાખી નથી. ત્વચાદાન, ચક્ષુદાન, હાડકાંદાન કર્યું છે. નિ.: સૂર્યકાંત કક્કા, 7, શ્રી દર્શન, વાલજી લધા ક્રોસ રોડ,મુલુંડ (પ.).

 

પ્રભાસ પાટણ જૈન

પ્રભાસ પાટણના અશ્વિનભાઈ મણીલાલ (શેસ્કરન) શાહ (ઉં. 72) 23મીને ગુરુવારે અરીહંત શરણ પામેલ છે. તે કિશોરીબેન ના પતિ. કૌશલ, કલ્પેશના પિતા.  દિપાલીના સસરા.  શકુંતલાબેન હરેશભાઈના ભાઈ. શ્વસુરપક્ષે જયંતીલાલ ભોગીલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા  શનિવાર, 25મીએ 3થી 5. ઠે.: ભારતીય વિદ્યા ભવન, ચોપાટી.

 

વીસા નીમા જૈન 

કપડવંજના સ્વ. અશોકભાઈ જયંતીલાલ શાહનાં પત્ની શકુંતલાબેન (ઉં. 80) 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સિમોલ (પિંકી), આનલનાં માતા. રવિન્દ્ર, દીપેન્દ્રનાં સાસુ. ટીયા, પીહુ, કાયરાનાં નાની. લૌ.વ્ય. બંધ છે.

 

મોરબી દશાશ્રીમાળી દેરાવાસી જૈન                

મોરબીના સ્વ. નગીનદાશ કાશીદાશ દોશીનાં પત્ની ભાનુબેન (ઉં. 86)  ગુરુવાર, 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે નયનભાઈ, ભાવેશભાઈ, જીજ્ઞા ગુડકા (પિન્કીબેન)નાં માતા. બિનલબેન , નીપાબેન, વીરેનભાઈ ગુડકાનાં સાસુ. ફિલોની, પ્રશિલ, પ્રિષા, આર્ય, ક્ષમાના દાદી. વનેચંદભાઈ લવજીભાઈ મેહતાનાં દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા 25મીને શનિવારે 4થી 5.30 ઠે.: લાયન્સ કોમ્યુનિટી હોલ, ગારોડીયા નગર, ઘાટકોપર. લૌ. વ્ય. બંધ છે.

 

જૈન વીસા ઓસવાલ  

અ.સૌ. કોકિલાબેન મીનેષભાઈ ઝવેરી (ઉં. 75). તે સ્વ. સુમનબેન તથા સુરાભાઈ મણીભાઈ ઝવેરીનાં પુત્રવધૂ. સ્વ.ચંપાબેન વાડીલાલ ઉજમશી શાહનાં દીકરી. સુકેતુ, સુરેખા, ઋષિ, દક્ષા, બીનોય, પારૂલનાં ભાભી. સિદ્ધાર્થ કિંજલ, અમિત સોના, અમિતા શકીલનાં માતા. પિયરપક્ષે મહેન્દ્રભાઈ, અશોકભાઈ, કિશોરભાઈ, ભરતભાઈનાં બહેન. પ્રાર્થનાસભા 25મીએ 3.30થી 5.30. ઠે.: સર્વોદય હૉલ, વર્ધમાન સ્થા જૈન સંઘ,  ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (પ.). 

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ચલાલાના શેઠ મણીલાલ લક્ષ્મીચંદ દોશીના પુત્ર નરેન્દ્રભાઈ (ઉં. 78). તે ભારતીબેનના પતિ. સોહીલના પિતા. નવીનભાઈ, બિપીનભાઈ, બટુકભાઈ, ચંદ્રાબેન, દમુબેન, રેખાબેનના ભાઈ. સસરા પક્ષે જેચંદભાઈ લલ્લુભાઈ શાહના બનેવી 23મીએ અરિહંતશરણ પામ્યા છે. બન્ને પક્ષની સાદડી 25મીએ સાંજે 4થી 5.30. ઠે.: ઘાટકોપર બ્રાહ્મણ સમાજ, જોશી લેન, એમ. જી. રોડ, ઘાટકોપર (પૂ.).

 

કચ્છી દશા શ્રીમાળી જૈન

અંજારના સ્વ. કનુભાઈ જાદવજી ગાંધીનાં પત્ની ગં.સ્વ. તારામતી (ઉં. 95). તે અજય, યોગેશનાં માતા. મીરા, પારૂલનાં સાસુ. જીગર, પ્રિયાંશુના દાદી-સાસુ ગુરુવાર, 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. જેઠાલાલ વનેચંદ સંઘવી અને કાંતાબેન ચંદુલાલ શેઠનાં બહેન. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થા. જૈન

લીંબડીના બિપીનભાઈ (બંસીભાઈ) (ઉં. 79) 24મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ધીરજબેન પ્રાણલાલ તલસાણિયાના પુત્ર. જ્યોતિબેનના પતિ. સ્વ. દેવાંગ, સ્વ. કલ્પેશના પિતા. કીર્તિભાઈ, નયનાબેન અશોકભાઈ શાહ, લતાબેન કિશોરભાઈ ઠોસાણીના ભાઈ. સ્વ. રંજનબેન પ્રમોદલાલ શેઠના જમાઈ. ભાવયાત્રા 26મીને રવિવારે ઠે.: હિંગવાલા લેન સ્થા. ઉપાશ્રય, 2જે માળે, ઘાટકોપર (પૂ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

લુવારિયાના સ્વ. રમણીકલાલ દુર્લભદાસ પાનાચંદ વોરાના પત્ની દમયંતીબેન (ઉં. 82) ગુરુવાર, 23મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે પ્રાણલાલભાઈ - નિર્મળાબેન, સ્વ. જયસુખભાઈ - જશુમતીબેન, જસવંતભાઈ - પદ્માબેન, સ્વ. નિર્મળાબેન, કાન્તાબેન, શારદાબેન, કળાબેનના ભાભી. કમલેશભાઈ - પાયલ, બિંદુ ચંદ્રકાંતકુમાર, કિરણ હિમાંશુકુમાર, ચૈતાલી સંદીપકુમાર, હેમાલી નિલેશકુમારના માતા. ઋષભ - વીરતી, પ્રતીક, હિનલ, લબ્ધિ, ધૈર્ય, વત્સલ, નૈતિક, હિયાના દાદી/નાની. પિયર પક્ષે મહેતા મગનલાલ વીરજીના દીકરી. સાદડી અને લૌ. વ્ય. બંધ છે. ઠે.: કમલેશ રમણીકલાલ વોરા, 204, યમુના હાઈટ્સ, વિતરાગ દર્શન બિલ્ડિંગની પાછળ, તાંબેનગર, મુલુંડ (પ.).

હિન્દુ મરણ

ક્ષત્રિય સુતાર  

લુણાવાડાના રાજ (ઉં. 34). તે સ્વ. શાંતિલાલ શિવરામ મિસ્ત્રીના પૌત્ર. કિરણબેન જીતેન્દ્ર મિસ્ત્રીના પુત્ર. સ્વ. પુષ્પાબેન નરોત્તમદાસ મહેતાના દોહિત્ર. સ્વ. ભારતીબેન જમનાદાસ ગણાત્રા, કિશોરીબેન પ્રકાશકુમાર લાખાણી, સરોજબેન રમેશચંદ્ર મજીઠીયા, રક્ષાબેન નરેશકુમાર રાયઠઠા, વિપુલ મહેતાના ભાણેજ ગુરુવાર, 23મીએ શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

પરજિયા સોની 

જૂના સાવરવાળા કાંતિલાલ અમૃતલાલ સાગર (ઉં. 77) 23મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. ભાનુબેનના પતિ. સ્વ. અમૃતલાલ આત્મારામ ધકાણના જમાઈ. સ્વ. કુંદનબેન ભાસ્કરભાઈ ધકાણ, સ્વ. ઇન્દુબેન પ્રમોદભાઈ ધકાણ, ભગવાનભાઈ, અનુભાઈ, સ્વ. જનકભાઈ, અશોકભાઈના ભાઈ. પુષ્પાબેન મુકેશભાઈ ધોરડા, કિરણબેન પરેશભાઈ થડેશ્વર, પ્રમોદભાઈ, દીપકભાઈ, રાકેશભાઈના પિતા. પ્રીતિબેન, કિન્નરીબેન, હર્ષિતાબેનના સસરા. પ્રાર્થનાસભા 25મીને શનિવારે સવારે 11થી 12. ઠે. : સોની વાડી, શિંપોલી રોડ, બોરીવલી.

 

કપોળ 

તણસાવાળા ગં.સ્વ. ભારતીબેન પ્રતાપરાય મથુરિયા (ઉં. 80) 20મીને  સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. રમાબેન ભગવાનદાસ મહેતાનાં પુત્રી. મિતાનાં સાસુ. જીતેન, નયના હિરેન કાણકિયા, કલ્પના તુષાર મહેતાનાં માતા. રિશી તનીશ, ધ્રુવેશ-કૃતિ, ફોરમ-સાર્થક, ઋષિ-હેતવી, ચૈતન્ય-પ્રિયંકાનાં બા. સ્વ. સુરેશભાઈ, સ્વ. સતીશભાઈ, રાજેશભાઈ, સ્વ. ચંદ્રબાળાબેન, ગં.સ્વ અરુણાબેન મુકુંદભાઈ મહેતા, ગં.સ્વ. મૃદુલાબેન શશીકાંત ચિતલિયા, જ્યોસનાબેન સુરેન્દ્ર મહેતાનાં બહેન. પ્રાર્થનાસભા 25મીને શનિવારે સાંજે પથી 7. ઠે.: આઈએમએ હૉલ, જુહુ શોપર્સ સ્ટોપની પાસે,જેવીપીડી, મુંબઈ-49. લૌ. વ્ય. બંધ છે. 

 

લુહાર સુથાર  

રાજુલાવાળા સ્વ. નથુભાઈ ભુરાભાઇ પરમારનાં પુત્રવધૂ અ.સૌ. માલતીબેન ધીરજલાલ પરમાર (ઉં. 70) 22મીએ રામશરણ પામ્યાં છે. તે વૈશાલી, તેજલ, ધ્રુવનાં માતા. આકૃતિનાં સાસુ. સ્વ. મગનભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. લવજીભાઈ, ઈશ્વરભાઈ, મંજુબેન, જસુમતિબેન, પુષ્પાબેનનાં ભાભી. સ્વ. વશરામ ઝવેરભાઈ ડોડીયાનાં દીકરી. પ્રાર્થનાસભા  27મીએ સાંજે 5થી 7. ઠે.: લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ 3, અંબા માતા મંદિર પાસે, બોરીવલી (પૂ.). 

 

હાલાઈ લોહાણા

સાંતાક્રુઝના અ.સૌ. સુશીલાબેન મધુસુદન કાંતિલાલ સુચક (ઉં. 84). તે સ્નેહલ, એંજલ, સ્વાતિબેન, સુમાબેનનાં માતા. છાયા, આરતી, શ્રેયસ ગણત્રા, યોગેશ દત્તાણીનાં સાસુ. કુસુમબેન અતુલભાઈ શેઠનાં ભાભી. સુરેશભાઈ વ્રજલાલ કારીયા, સ્વ. દિલીપભાઈ, સ્વ. હંસાબેન મહેશભાઈ પંજવાણી, મંદાબેન ચંદ્રકાંતભાઈ સાકરિયાનાં બેન. ચાંદની, લેખા, કનક, રૂહી, પાયલ, નિધિ, અમી, ઉર્મીનાં દાદી-નાની 23મીને ગુરુવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.

 

કચ્છી રાજગોર

વારાપધરના ઉમિયાશંકર મુરજી પેથાણીનાં પત્ની ગં.સ્વ. ઉષાબેન (નર્મદા) (ઉં. 80) 23મીને ગુરુવારે રામશરણ પામ્યાં છે. તે સ્વ. બાયાબાઈ મુરજી પ્રેમજી પેથાણીનાં પુત્રવધૂ. બકુલભાઈ પેથાણી, સંખ્યાબેન જોષી, જ્યોતિબેન મહેતાનાં માતા. સ્વ. ઝમકુબેન શંકરલાલ ભટ્ટ, સ્વ. ભવાનજીભાઈ, સ્વ. મોહનલાલભાઈ, સ્વ. લક્ષ્મીચંદભાઈ, રતિલાલભાઈનાં ભાભી. સ્વ. સાવિત્રીબેન હરિશંકર પદમશી નાકરનાં પુત્રી. સાદડી રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

મોટી વમોટીવાળા સ્વ. વેલજી પુંજા આઈયાનાં પુત્રવધૂ સ્વ. રણછોડદાસનાં પત્ની સરલાબેન (ઉં. 86) 23મીએ રામશરણ પામ્યાં છે. તે સ્વ. ખીમજી કુંવરજી કારિયાનાં પુત્રી. નીતિનભાઈ ખીમજી કારિયા, કુસુમ, જયા, દમયંતી, રમા, મુરુદુલાનાં બેન. કિશોર, દક્ષા, વિનાનાં માતા. પ્રાર્થનાસભા 25મીને શનિવારે 5થી 7. ઠે.: કાલિદાસ મેરેજ હોલ, પી. કે. રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

સુરતી લોહાણા

વસઈના પ્રકાશ કુમુદચંદ્ર પાનવાલાનાં પત્ની પલ્લવી (ઉં. 72) 22મીને બુધવારે સ્વર્ગવાસ પામ્યાં છે. તે જીગરનાં માતા. બેલાનાં સાસુ. સ્વ. હીરાબેન જેયન્દ્રનાથ ગોકાણીનાં દીકરી. કન્યાકુમારી, સ્વ. દિલીપ, સ્વ. નરેશ ગોકાણીનાં બેન. પ્રીતિ, પંકજ પારેખનાં વેવાણ. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

વેળાવદરના સ્વ. વસંતબેન ત્રંબકલાલ વૃજલાલ જાગાણીના પુત્ર કમલેશભાઈ (ઉં. 61). તે સ્વ. ઈલાબેનના પતિ. રાજ, મીતલબેન ચિંતનકુમાર શેઠના પિતા. ભરતભાઈ, સ્વ. રમેશભાઈ, સંજયભાઈ, સ્વ. ગીતાબેન કિશોરકુમાર મહેતા, સ્વ. નીતાબેન ગીરીશકુમાર રૂપાણીના ભાઈ. સ્વ. દામજીભાઈ રામજીભાઈ મહેતાના જમાઈ 21મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. તથા પ્રાર્થનાસભા બંધ છે.

 

કપોળ

રાજુલાવાળાના ગં.સ્વ. ઇન્દુમતી હિમતલાલ ભુતા (ઉં. 83). તે સ્વ. શાંતાબેન શાંતિલાલ ભુતા, સ્વ. શાંતાબેન શામળદાસ ભુતાના દેરાણી. ભારતીબેન પ્રતાપરાય સંઘવીના કાકી. કલ્પેશ, રૂપલ હિતેશકુમાર મોદી, પારૂલ ભરતકુમાર ગોરડિયા, સ્વ. છાયાના માતા. ગીતાનાં સાસુ. પિયર પક્ષે કાંતિલાલ હરિદાસ ગાંધીના દીકરી 24મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. 

 

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

સીંમરના મોહનલાલ ભટ્ટ (ઉં. 89) 23મીને ગુરુવારે કૈલાસવાસી પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેન ભગવાનજી મહાદેવભાઈ ભટ્ટના પુત્ર. સ્વ. લલિતાબેનના પતિ. હર્ષદભાઈ, નિલેશભાઈ, હિતેષભાઈના પિતા. સ્વ. હીરુબેન મૂળજીભાઈ જોશી, સ્વ. રળિયાતબેન નાગજીભાઈ ઠાકર, સ્વ. વિઠ્ઠલદાસ ભગવાનજી ભટ્ટ, સ્વ. રવિશંકર ભગવાનજી ભટ્ટના ભાઈ. સ્વ. દિવાળીબેન પ્રભાશંકર મહાશંકર ઓઝાના જમાઈ. પ્રાર્થનાસભા/ ગુણાનુવાદ સભા 25મીને શનિવારે સાંજે 4થી 6. ઠે.: શ્રી સ્વામિનારાયણ મંદિર (બીએપીએસ), 1લે માળે, સેક્ટર -10, શાંતિનગર, મીરા રોડ.

 

ઈડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ

ચિત્રોડાના સ્વ. ચંદુલાલ મહાશંકર વ્યાસનાં પત્ની નિર્મળાબેન (ઉં. 85) 22મીએ અક્ષરનિવાસ પામ્યાં છે. તે અતુલ, દીપક, હેમાંશુ, દેવેશનાં માતા. તૃપ્તિ, પારુલ, અમિતા, ભાવનાનાં સાસુ. ગં.સ્વ. ઈન્દુબેન, સ્વ. કોકિલાબેન, સ્વ. જયાબેન, ગં. સ્વ. કૈલાસબેનનાં ભાભી. સ્વ. કમળાબેન નરોત્તમદાસ વ્યાસનાં પુત્રી. બંને પક્ષની પ્રાર્થનાસભા 25મીને શનિવારે સાંજે 5થી 7. ઠે.: સોની વાડી, શિંપોલી ક્રોસ લેન, ઓફ એસ. વી. રોડ, બોરીવલી (પ.). 

સ્પોર્ટ્સ
વધુ વાંચો