• શુક્રવાર, 09 મે, 2025
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

ગુંદાલાના નાનજી વેલજી સતરા (ઉં. 85) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે પ્રતીભા (અનીતા)ના પતિ. જ્યોતિ (જેસીકા), લીના, હેમાંગના પિતા. રતિલાલ, વસંત, અમૃતલાલ, પ્રવીણ, રૂક્ષ્મણી મણીલાલ પ્રેમજી, ભાનુમતી મણીલાલ ખીમજીના ભાઈ. લક્ષ્મીબેન નરસીદાસ સાવલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: નાનજી સતરા, સી-32, ભાવેશ્વર દીપ, રોડ નં. 21, ચેમ્બુર. 

 

ઝાલાવડી દશાશ્રીમાળી જૈન 

લિંબડીના રમેશચંદ્ર અમૃતલાલ શાહ (ઉં. 83) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. તે પ્રેમીલાબેનના પતિ. જાગૃતિ, શ્રદ્ધા, જુહી, સાગરના પિતા. સ્વ. રેખાબેન નવીનચંદ્ર શાહ, નિરુપમાબેન અશ્વિનભાઈ મડિયા, રમાબેન અમૃતલાલ શાહ, હરેશભાઈ અમૃતલાલ શાહ, કલ્પનાબેન અરુણભાઈ ગાંધીના ભાઈ. કેતનભાઈ, નિહારભાઈ, પ્રિયંકાબેનના સસરા. સ્વ. મંગળજી વર્ધમાન કોઠારીના જમાઈ.

 

વેરાવળ જૈન

વેરાવળના સુભાષભાઈ શાહ (ઉં. 81) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કાંતાબેન કાંતિલાલ શાહના પુત્ર. સ્વ. વાસંતીબેનના પતિ. આશિષના પિતા. રાગિણીના સસરા. શેવંતીભાઈ, હર્ષવદનભાઈ, સ્વ. રમેશભાઈ, કમલેશબેન (બીના), ચંદ્રાબેન, જયશ્રીબેનના ભાઈ. વિનયચંદ્ર છોટાલાલ શેઠના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

વેરાવળ વીસા ઓશવાળ જૈન

વેરાવળના સ્વ. વનિતા હરીલાલ મુલચંદ શાહનાં પુત્રવધૂ. મુકેશભાઈનાં પત્ની હંસાબેન (ઉં. 74) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. વિમલાબેન હરકિશનદાસ મોતીલાલ શાહનાં પુત્રી. કૃપાલી ઉષાંગભાઈ ઝવેરી, ચૈતાલીબેન નિકુંજભાઈ પટેલનાં માતા. નિરંજના ભુપેનભાઈ, દિનેશભાઈ, વસુમતીબેન સતિષભાઈ કાપડિયાનાં ભાભી. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

કચ્છી પરજિયા પટણી સોની  

નાનીખાખરના ગં.સ્વ. શાંતીબેન ધકાણ 5મીએ રામશરણ પામ્યા છે. તે સ્વ.જમનાદાસભાઈનાં પત્ની. સ્વ. પુરબાઈ પુરુષોત્તમ ધકાણનાં પુત્રવધૂ. સ્વ. સાકરબેન જેઠાલાલ સુસણીયાનાં પુત્રી. ઇશ્વરભાઇ, કિર્તીભાઈ, પલ્લવીબેન, મંજુલાબેનનાં માતા. હરિરામ,  લક્ષ્મીદાસ, સ્વ. ચંચલબેન પ્રાગજીભાઈ સાગર, સ્વ. રાધાબેન મોહનલાલ થલેશ્વર, ગં.સ્વ. કમળાબેન શામજીભાઈ થલેશ્વરનાં ભાભી. લૌ. વ્ય. બંધ છે.

 

સુરતી વીસા લાડ વણિક

કિશોરભાઈ દલાલ (ઉં. 84). તે સ્વ. અંજનીબેનના પતિ. સોનાલી, મમતાના પિતા. સ્વ. ચીમનલાલ પ્રાણજીવનદાસ દલાલ અને કળાવતીબેનના પુત્ર. સ્વ. નટવરલાલ, સ્વ. ચંદ્રવદનભાઈ, સ્વ. સુરેશભાઈ, દિલીપભાઈ, સ્વ. સુશીલાબેન, સ્વ. ઉષાબેન, સ્વ. અંજનાબેનના ભાઈ. સ્વ. નટવરલાલ ખાંડવાળાના જમાઈ 6ઠ્ઠીને મંગળવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 10મીને શનિવારે સાંજે 5થી 7. ઠે.: વાય.બી. ચવ્હાણ ઓડિટોરિયમ, મંત્રાલય.

 

સુરતી વીસા લાડ વણિક

જયશ્રીબેન (ઉં. 78). તે સ્વ. નંદકિશોર જગમોહનલાલ દલાલનાં પત્ની. દક્ષા, આશા, સુશીલ, સ્વ. અશોક, સર્યૂ, રંજન, સરોજનાં ભાભી. સ્વ. દેવયાનીબેન, ઇલાના દેરાણી-જેઠાણી. સ્વ. કિરણ, સંજય, યતીનનાં બહેન. વંદના, દક્ષાનાં નણંદ. કવિતા, કુનાલ, જસ્મીન, પાયલનાં ફઇબા 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. નિ. : વિઠ્ઠલદાસ નગર, સાંતાક્રુઝ (પ.) લૌ. વ્ય. બંધ છે.

 

પરજિયા સોની

લોઢવાવાળા ભાસ્કરભાઈ રાઠોડ (ઉં. 68). તે છગનલાલ કેશવજીભાઈ રાઠોડના પુત્ર. કુંદનબેનના પતિ 6ઠ્ઠીએ શ્રીરામચરણ પામ્યા છે. જયંતિભાઈ, ચીમનભાઈ, અરુણભાઈ, તારાબેન જ્યોતિબેનના ભાઈ. હેતલ ધવલકુમાર જગડા, જેસલ મિલનકુમાર ગોહીલ, અંકિતા આકાશકુમાર ઢાકા, ભાવિકા, કૌશલના પિતા. હર્ષ, નેહા, ઇશિકાના નાના. પ્રાર્થનાસભા 8મીએ સાંજે 5થી 6. ઠે.: સોનીવાડી, શીંપોલી, બોરીવલી.

 

કપોળ

સાવરકુંડલાવાળા સ્વ.ચંદ્રભાગા ઓધવજી મેહતાના પુત્રવધૂ અ.સૌ. જસવંતી (ઉં. 88). તે તુલસીદાસનાં પત્ની. સ્વ. વિનોદરાય, મધુકાંત, સ્વ. બળવંતરાયનાં ભાભી. પ્રકાશ- તૃપ્તિ , હિતેશ - જ્યોતિ, શીલા - સંજય,  આશા -  રવિન્દ્ર, અલકા - વિનયનાં માતા. સ્વ. મગનલાલ માંડલદાસ કીકાણીનાં પુત્રી 5મીને સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 8મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: ઉતોપિઆ બેન્કેટ્સ, યુનિવર્સલ સ્કૂલની બાજુમાં, સહકાર ટૉકીઝની સામે, તિલક નગર, ચેમ્બુર.

 

હાલાઈ લોહાણા 

ગં. સ્વ. ભારતીબેન (બેનાબેન) પ્રભુદાસ કારિયા (ઉં. 80). તે સ્વ. જયાબેન વૃજલાલ કરસનદાસ કરિયાનાં પુત્રવધૂ. અનિતા મજીઠીયા, સ્વ. અલ્પા પોપટ, કલ્પેશ, ભાવના ઠક્કરનાં માતા. પારૂલબેન, સ્વ. જયંતભાઈ, દિનેશકુમાર, નીરેન્દ્રકુમારનાં સાસુ. સ્વ. રંભાબેન ભીમજીભાઈ જેઠાભાઈ દત્તાનાં દીકરી. સ્વ. કંચનબેન પોપટ, મનસુખભાઇ, સ્વ.હિનાબેન રાજાણી, સ્વ. રંજનબેન ગણાત્રા, મધુબેન ગણાત્રા, રિટા મહેતાનાં ભાભી 7મીએ શ્રીજીશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. 

 

પાંચગામ વીસા ઝારોળા વણિક  

મહેસાણાના લલિતભાઈ કોઠારી (ઉં. 75). તે સ્વ. ચીમનલાલ અને સ્વ.કમળાબેન કોઠારીના પુત્ર. કરૂણાબેનના પતિ. નીતિ, સેતુના પિતા. સમીરકુમાર, શ્વેતાના સસરા. જક્ષના દાદા. મોક્ષના નાના 6ઠ્ઠીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 9મીએ 5થી 7. ઠે.: ક્લબ હાઉસ, રાધા બિલ્ડિંગ, સિદ્ધાર્થ નગર પાસે, ઠાકુર વિલેજ, બોરીવલી (પૂ.). 

 

ભાર્ગવ બ્રાહ્મણ  

ભરૂચના યોગીનચંદ્ર કૃષ્ણલાલ ગજાબ (ઉં. 90). તે તરલીકાબેનના પતિ. હેમાંગભાઈ, જીમીભાઈના પિતા. આરતીબેન, અંકિતા બેનના સસરા. કુણાલ, દર્શીની, દ્વિતી, આસ્થાના દાદા 6ઠ્ઠીએ શ્રીજીશરણ પામ્યા છે. બેસણું 8મીને ગુરુવારે સાંજે 5થી 7. નિ. : પોડિયમ 2 (પીટુ) એ વિંગ, પ્રેમ ભાવના એક્સ પોઇન્ટ, શતાબ્દી હોસ્પિટલની બાજુમાં, કાંદિવલી (પ.).

 

કપોળ

રાજુલાવાળા સ્વ. વ્રજલાલ જીવરાજ મહેતાના પુત્ર રમણિકભાઈ (ઉં. 91). તે સ્વ. મુક્તાબેનના પતિ. હર્ષા, ભુપેન્દ્ર, શૈલેશ, નરેશના પિતા. સ્વ. અનંતરાય, સ્વ. નગીનભાઈ, સ્વ. ધરમદાસભાઈ, સ્વ. યોગેશભાઈ, સ્વ. મંજુબેન ગુલાબબેનના ભાઈ. શૈલેશકુમાર, સોનલ, સપની, સુજાતાના સસરા. સ્વ. જયંતિલાલ કેશવજી વોરાના જમાઈ 5મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

સોરઠિયા બ્રહ્મક્ષત્રિય 

જેતપુરના સ્વ. ધનજીભાઈ મુળજીભાઈ પડિયાના પુત્ર કિરીટભાઈ (ઉં. 64). તે વર્ષાબેનના પતિ. ગૌરવ, યશના પિતા. ભરતભાઈ, ગીરીશભાઈ, દક્ષાબેન, હસમુખલાલ બોસમીયાના ભાઈ. મનસુખલાલ ચુનીલાલ જગડના જમાઈ 7મીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા 8મીએ 5થી 7. ઠે.: લોહાણા બાળાશ્રમ, મથુરાદાસ એક્ષટેનશન રોડ, અતુલ ટાવર પાસે, કાંદિવલી (પ.). 

 

હાલાઈ લોહાણા  

જામ સલાયા વિરપરિયાવાળા વૃજલાલ કરસનદાસ કાનાણી (ઉં. 86). તે પુષ્પાબેનના પતિ. સ્વ. વલ્લભભાઈ, સ્વ. જમનભાઈ, સ્વ. મુળજીભાઈ, સ્વ. રણછોડભાઈ, વૃન્દાવનભાઈના ભાઈ. જયેશ-જસ્મીન, હિના દિલીપભાઈ ચોલેરા, કાજલ ભરત પોપટ, નયના નીતિનભાઈ ચંદારાણાના પિતા. સ્વ. લાલજી જમનાદાસ બદીયાણીના જમાઈ. હરેશભાઈ, રાજેશના બનેવી 6ઠ્ઠીએ શ્રીજીશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.  

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો