• બુધવાર, 10 ડિસેમ્બર, 2025
મારણ નોંધ
હિન્દુ મરણ

આજક ગિરનારા બ્રાહ્મણ

ભૂલેશ્વર રામ મંદિરવાળા સ્વ. ગૌરીશંકર દુર્લભજી જોશીનાં પુત્રવધૂ ગં.સ્વ. નર્મદાબેન (ઉં. 94). તે સ્વ. નવીનચંદ્રનાં પત્ની. પન્નાબેન અનિલ પઢિયાર, નયનતિકા બિમલ દેસાઈ, નીલા નવીનભાઈ ભટ્ટ, સર્યું મનહરલાલ ઠાકર, રીટા વિજય ભટ્ટ, હર્ષા મહેન્દ્ર ઠાકર, અંબરીષ, કલ્પેશના માતા. મીના, ખ્યાતિના સાસુ. જિગ્ના, ભવિતા, ઋત્વિક, વિવેક, હર્ષના દાદી 6ઠ્ઠીએ શ્રીરામશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા ગુરુવાર 11મીએ સાંજે 5થી 7. ઠે.: 2303, મેરિડીયન, હીરાનંદાની મિડોસ, થાણે (પ.).

 

વાંઝા દરજી 

સાવરકુંડલાના ગં.સ્વ. ભાનુબેન (ઉં. 74) 8મીને સોમવારે શ્રી ગોપાલચરણ પામ્યાં છે. તે સ્વ. છગનભાઈ ભાણજીભાઈ ભરખડાનાં પત્ની. મનીષભાઈ, અશ્વિનભાઈનાં માતા. પ્રાર્થનાસભા 9મીને મંગળવારે સાંજે 4થી 6. ઠે.: વાંઝા જ્ઞાતિ વાડી, મથુરાદાસ રોડ, કાંદીવલી (પ.).

 

આયરા વાણંદ

જીરાગઢના સવિતાબેન બાબર (ઉં. 74) 7મીને રવિવારે રામચરણ પામ્યાં છે. તે સ્વ. મોહનભાઈ બાબરનાં પત્ની. મનોજ, જીતુ, મનીષાનાં માતા. સ્વ. કાનજીભાઈ, દેવજીભાઈ, જયાબેન, મંજુબેનનાં ભાભી. કિશ, નિશિલનાં દાદી. પ્રાર્થનાસભા 11મીને ગુરુવારે સાંજે 4થી 6. ઠે.: વિરેશ્વર મહાદેવ મંદિર, પ્લોટ નં. 22, એમ. જી. રોડ, સીંધુ વાડીની બાજુમાં, ઘાટકોપર (પૂ.).

 

નવગામ વિસાનાગર વણિક સમાજ

માણસાના હેતલ શાહ (ઉં. 40) રવિવાર 7મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ઉર્મિલનાં પત્ની. નલિનીબેન રજનીકાંત ગોકલદાસ શાહનાં પુત્રવધૂ. હર્ષાબેન રાજેશભાઈ રમણલાલ શાહનાં પુત્રી. યાશીનાં મમ્મી. અર્પણાબેન દેવાંગ પરીખનાં ભાભી. પ્રાર્થનાસભા મંગળવાર 9મીએ સાંજે 5થી 7. ઠે.: ઠઠ્ઠાઈ ભાટિયા સેવા ફંડ, હોલ નં. 4, શંકર લેન, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

દશા પોરવાડ

કપડવંજના કેતન પરમાનંદ શાહ (જાલીવાલા). તે સ્વ. પ્રફુલ્લ વંદના શાહના પુત્ર. ચારુલતાના પતિ. તપસ્વીની, જીંદગી શાહના પિતા. સ્વ. બાપુલાલ અને સ્વ. ભાનુમતિ મૌનના જમાઈ 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા મંગળવાર 9મીએ સાંજે 5થી 7. ઠે.: ઈન્ડિયન મેડિકલ એસોસિયેસન, જનાર્દન રામજી મહાત્રે માર્ગ, ચંદન સિનેમા પાછળ, જેવીપીડી સ્કીમ, જુહુ.

 

કપોળ

રાજુલાવાળા સ્વ. વિમળાબેન ગંગાદાસ શાહ (દોશી)ના પુત્ર જસવંતરાય (ઉં. 75) રવિવાર, 7મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રાજુલબેનના પતિ. રશ્મિ, પિંકેશ, હિરલના પિતા. ચેતન, અમી, નીરજના સસરા. સ્વ. ઠાકોરલાલ અમૃતલાલ મોદીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. 

 

કચ્છી સારસ્વત બ્રાહ્મણ

સાંધાણવાળા ગં.સ્વ. મણીબેન વાલજી કાનજી ચંડીચઠ્ઠના પુત્ર પ્રતાપભાઈ (ઉં. 79). તે સ્વ. ચંદ્રિકાબેનના પતિ. સ્વ. પ્રેમાબેન મંગલદાસ દેવીદાસ ખટરીયાના જમાઈ. ગં.સ્વ. સરસ્વતીબેન મનહરલાલ છાંગાણી, સ્વ. શિવદાસભાઈ, સ્વ. હરિશંકરભાઈ, સ્વ. કસ્તુરબેન સૂર્યશંકર સોનપારના ભાઈ. ગં.સ્વ. જયશ્રીબેન દિનેશ ગાવડીયા, શિલ્પા મનીષ જેઠા, સ્વ. અલ્પાબેન, વૈશાલી ચેતન ખીંયરા, ઉર્વશી સંદીપ ચંડીચઠ્ઠના પિતા શુક્રવાર 5મીએ રામશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

કલ્યાણપુરના સ્વ. ગોમતીબેન માધવજી પલણના પુત્ર અરવિંદભાઈ (ઉં. 75). તે ચંદાબેનના પતિ. પ્રતિક, અંકુરના પિતા. સ્વ. શશીકાંતભાઈ, વિણાબેન રજનીકાંત તન્નાના ભાઈ. સ્વ. રાધાબેન ઈન્દ્રજીત સેજપાલના જમાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 9મીએ સાંજે 5થી 6.30. ઠે.: કચ્છી લોહાણા મહાજન વાડી, ગ્રાઉન્ડ ફલોર, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ સારસ્વત બ્રાહ્મણ

કરાચીવાળા સ્વ. શિવશંકર જોષીના પુત્ર અશ્વિનભાઈ (બાબુભાઈ) (ઉં. 85) 6ઠ્ઠીએ શિવશરણ પામ્યા છે. તે સ્વ. લતાબેનના પતિ. સ્વ. ભાનુમતી દામોદરદાસ લાલજી સોમૈયાના જમાઈ. નિલેશ, નિલમ અશ્વિનકુમાર ભૂરાના પિતા. નિધિ, પલક, નિરાલી ભાર્ગવ ભૂરા, યાશી ધવલ ભૂરા, ધ્યુમનના બાપુજી. લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

કચ્છ-આરીખાણાના સ્વ. લક્ષ્મીબાઈ વેલજી વીરજી ઠક્કરના પુત્ર નરેશ (ઉં. 78) 29મીએ શ્રી રામશરણ પામ્યા છે. તે કલ્પનાબેનના પતિ. આલોક, અવનીના પિતા. સ્વ. શિવેન્દ્ર, ચંદ્રસેન, સ્વ. સરસ્વતીબેન હરીશ ભાટે, ગં.સ્વ. મધુરીબેન ચંદ્રકાંત કોટક, સ્વ. ભગવતીબેન નવીન ચંદ્રિયાની, સ્વ. જ્યોતિબેન, સ્વ. લાલજીભાઈ, સ્વ. ઉષાબેન નરેન્દ્ર ઠક્કર, ગં.સ્વ. નીનાબેન અરવિંદ ઠક્કરના ભાઈ. સ્વ. મેનાબેન પુરુષોત્તમ ભલ્લાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

જૈન મરણ

કવીઓ જૈન

રતાડિયા ગ.ના અંકિત છેડા (ઉં. 38) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે મંગીબેન લાલજીના પૌત્ર. મધુ અશ્વિનના પુત્ર. ઉર્વી રાજ કારીયાના ભાઇ. રતનબેન આસુ વેલજીના દોહિત્ર. પ્રા.: કરસન લધુભાઇ નિશર હોલ, દાદર (પ.). 2થી 3.30. 

 

વરંડી મોટીના શાંતિલાલ દેઢીયા (ઉં. 74) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે કોકીલાના પતિ. વેલબાઈ વિરજીના પુત્ર. જીનેશ, વિરલના પપ્પા. સાકર, હેમચંદ, ઝવેર, મહેન્દ્ર, નવલ, ગીરીશ, સુરેશના ભાઈ. દેવકાબેન ભવાનજી ગડાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: કોકીલા દેઢીયા, એચ-403, નવનીતનગર, દેસલેપાડા, ડોંબિવલી (પૂ.).

 

કાંડાગરાના રમેશ ગાલા (ઉં. 75) 5મીએ અવસાન પામ્યા છે. તે તેજબાઈ રતનશીના પુત્ર. વાસંતીના પતિ. દિપેશ, દિલેશ, નિમેશ, લીના, કવિતા, પૂનમના પિતા. કાંતિલાલ (છોટું), નયનબાળા, કુંજલતાના ભાઈ. કંકુબેન રતનશી દેઢિયાના જમાઈ. પ્રા.: કરસન લધુ નિસર હોલ, દાદર (પ.). 4થી 5.30. 

 

કોડાયના લક્ષ્મીબેન લાલન (ઉં. 90) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે રતનબેન હંશરાજ રાજપાલ કાપડિયાના પુત્રવધુ. ખીમજીના પત્ની. જીતેન, ભારતી સુરેશ શાહ, ભાવના મધુસુદન ગાલા, પ્રીતિ કિશોર દેઢિયા, મીના પંકજ ગાલાના માતા. રતનબેન દેવજી સોનીના પુત્રી. જાદવજી, રૂક્ષ્મણી ગાંગજી દેઢિયા, પુષ્પા કરમશી ગાલાના બેન. પ્રાર્થના સભા 9મીએ મંગળવારે જબલપુરમાં રાખી છે. નિ.: જીતેન કે લાલન 15 પુષ્પકુંજ કોલોની, શારદા ટોકીઝ પાસે, ગોરખપુર, જબલપુર.

 

નાના ભાડિયાના વેજબાઈ લખમશી રાંભીયા (ઉં. 103) 4થીએ અવસાન પામ્યા છે. તે રતનબેન ડુંગરશીના પુત્રવધુ. સ્વ. ભાગ્યવંતી, સ્વ. પ્રવીણ, બંશીના માતા. જેઠીબાઈ મેઘજી ખીમજી બૌવાના પુત્રી. કોરશી, પદમશી, નાનબાઈ દામજી, પાનબાઈ શામજીના બેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: બંશીલાલ લખમશી રાંભીયા, નાનો વાસ ફરીયો, નાના ભાડિયા. 

 

અમરાવતીના પીયુષ નિબજીયા (ઉં. 62) 5મીએ સ્વર્ગસ્થ પામ્યા છે. તે નવલબેન ભવાનજી દેવરાજ, નાથબાઈ હંસરાજ ગોસરના જમાઈ. શૈલાના પતિ. સ્વ. કવરી રૂપચંદના પુત્ર. હિરલ, કલશના પિતા. તેજકિરણ, સુભાષચંદ્ર, ત્રિલોકચંદ્ર, શાંતી, લતાના ભાઈ. ઠે.: શૈલા પિયુષ નિબજીયા, સુમેર કલશ એપાર્ટમેન્ટ, રવિ કિરણ નગર, ડો. પી. એસ. સ્કૂલની પાસે, અમરાવતી (મહારાષ્ટ્ર). 

 

મચ્છુકાંઠા વીસા શ્રીમાળી જૈન

અરણીટીબાં (વાકાંનેર)ના ગં.સ્વ. શાંતાબેન દેવચંદભાઈ શાહના પુત્ર કિશોરભાઈ (ઉં. 78) 7મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. તે ઉર્મિલાબેનના પતિ. નિકીતા, ખુશ્બુના પિતા. વિકીકુમાર, કલ્પેશકુમારના સસરા. ગં. સ્વ. કુમુદબેન અરવિંદભાઈ શાહ, નલિનીબેન રસિકભાઈ શાહ, પૂનમબેન સુરેશભાઈ શાહ, ગં. સ્વ. હીનાબેન વિનોદભાઈ શાહના ભાઈ. સાસરા પક્ષે ગલાલચંદ ગોપાલજી દેસાઈના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

ધારી (આંબરડી)ના સ્વ. શાંતાબેન ત્રંબકલાલ જાટકીયાના પુત્ર કંચનભાઈ (ઉં. 88). તે સ્વ. નિર્મલાબેનના પતિ. જયભાઈ, સોનલબેન, રાકેશભાઈ, શીતલબેનના પિતા. મનીષાબેન, વિપુલભાઈ મહેતા, પારૂલબેન, જતીનભાઈ દોશીના સસરા. સ્વ. શારદાબેન નાનાલાલ સંઘવી, સ્વ. હિંમતભાઈ, સ્વ. પ્રવિણભાઈ, સ્વ. રમેશભાઈ, ઈન્દુબેન વિજયભાઈ શેઠ, સ્વ. પ્રફુલ્લભાઈ, દિવ્યાબેન બિપીનભાઈ દોશીના ભાઈ. સ્વ. લીલાવંતીબેન પ્રભુદાસ ગોસાળીયાના જમાઈ રવિવાર 7મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

મોટા આંકડીયાના સ્વ. લાભકુંવર ભાઈચંદ રવાણીના પુત્ર નટવરલાલ (ઉં. 72) 8મીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે પ્રતિભાબેનના પતિ. મિતેશ, નીનાના પિતા. સ્વ. લલિતભાઈ, સ્વ. પ્રફુલ્લભાઈ, ભૂપેન્દ્રભાઈ, પ્રદીપભાઈ, નિશા બિપીન બાવીસીના ભાઈ. સ્વ. જયાબેન શાંતિલાલ તેજાણીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી દેરાવાસી જૈન

સુરેન્દ્રનગરના સ્વ. લલ્લુભાઈ લક્ષ્મીચંદ દોશી તથા સ્વ. અંજવાળીબેન દોશીનાં પુત્રવધૂ તથા અજીતકુમાર દોશીનાં પત્ની તરુલતા (ઉં. 76) 21મીએ દુબઈમાં અરિહંતશરણ પામ્યાં છે. સ્વ. નંદલાલ દેવચંદ શાહ તથા મરઘાબેનનાં દીકરી. જીગ્નેશ, ફાલ્ગુની, અલ્પેશના માતા. શીતલ, ભાવેશ હિમતલાલ કપાસી, નમ્રતાના ના સાસુ. લૌ. વ્ય. બંધ છે. ઠે. : 15-16, સ્નેહરશ્મિ સોસાયટી, ટેકડી બંગલો, પાંચપખાડી, થાણે (પ.). 

 

દશા શ્રીમાળી સ્થા. જૈન 

મોરબીના સ્વ. મણિલાલ કાંજી મહેતાના પુત્ર જયેન્દ્રભાઈ શાહ (ઉં. 80) 7મીએ અરિહંતશરણ પામ્યા છે. તે રંજનબેનના પતિ. સાગર, વૈશાલીના પિતા. નીરવ ગાઠાણીના સસરા. સ્વ. પ્રવીણભાઈ, સ્વ. ચીમનભાઈ, સ્વ. મંજુલાબેન, સ્વ. રમાબેન, સ્વ. સરોજબેનના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

દેવગાણાના મંજુલાબેન રવજીભાઈ માનચંદ શાહના પુત્ર અલ્પેશભાઈ (ઉં 59) રવિવાર, 7મીએ અરિહંતશરણ પામ્યા છે. તે નીશાબેનના પતિ. યશ્વીના પિતા. અશોકભાઈ, અતુલભાઈ, કલ્પેશભાઈના ભાઈ. કાંતીલાલ ગોપાળજી સંઘવીના જમાઈ. સ્મરણાંજલી ગુરુવાર, 11મીએ સવારે 10થી 12. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી સંઘ, એલ.ટી. રોડ, બોરીવલી (પ.). 

 

બેતાલીસ વીસા શ્રિમાળી જૈન

સવાલાના કુસુમબેન શાહ (ઉં. 69) 6ઠ્ઠીને શનિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. અશ્વિનભાઈનાં પત્ની. મિલન, પાયલનાં માતા. પૂજા, ઉપેન્દ્રકુમારનાં સાસુ. માહિર, વીરનાં દાદી. સ્વ. પદ્મા બાબુલાલ શાહનાં પુત્રવધૂ. માતૃવંદના 9મીને મંગળવારે સવારે 10થી 12. ઠે.: મુક્તિ કમલ હોલ, દહિસર, શાંતિનાથ જૈન દેરાસર પાસે,  દહિસર (પ.).

 

વીસા નીમા જૈન

કપડવંજના ચિરાગ શાહ (ઉં. 54) 7મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રંજનબેન નિરંજનભાઈ શાહના પુત્ર. સુષ્માબેનના પતિ. કૃષિતા, નીલના પિતા. નિખિલ, સપનાબેનના ભાઈ. ઇન્દ્રવદનભાઈ ચીમનલાલ ગાંધીના જમાઈ. શ્રી શત્રુંજય ભાવયાત્રા 9મીએ સવારે 10થી 12. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી ઉપાશ્રય, 4થા માળે, એસ. વી. રોડ, શંકર મંદિરની સામે, કાંદિવલી (પ.).

 

દશા શ્રીમાળી સ્થા. જૈન 

ગોંડલના સ્વ. સુશીલાબેન તથા સ્વ. ગુણવંતલાલ કપૂરચંદ કામદારના પુત્ર જયેન્દ્રભાઈ (ઉં. 62) 7મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હીનાબેનના પતિ. કુશલના પિતા. માલતીબેન વિજયભાઈ અજમેરા, જયશ્રીબેન, હિનાબેન, અજયભાઈના ભાઈ. સ્વ. રસિકલાલ ન્યાલચંદ સંઘવીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: બી -41, બદ્રીનાથ એપાર્ટમેન્ટ, સોની વાડી, શીમ્પોલી રોડ, બોરીવલી (પ.). 

સ્પોર્ટ્સ
વધુ વાંચો
હેડલાઇન્સ