કવીઓ જૈન
તુંબડીના ચાંપશી સતીયા (ઉં. 89) 30મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. હીરબાઈ કુંવરજીના
પુત્ર. દમયંતીના પતિ. સ્વ. મહેશ, મુકેશ, ભારતીના પિતા. નાનજીભાઈ, મગનલાલ, (વેજબાઈ)
દેવકાંબેન, પાનબાઈ, નાનબાઈ, ઝવેરબેન, મણીબેનના ભાઈ. મઠાંબેન તેજશી મારૂના જમાઈ. પ્રાર્થના
રાખી નથી. નિ.: મુકેશ સતીયા, એઆરએ/31, વર્ધમાન નગર, ભુજોડી.
ભોજાયના કલ્યાણજી નાગડા (ઉં. 86) 1લીને સોમવારે અરિહંતશરણ પમ્યા છે. તે સ્વ.
ગંગાબાઈ નરશી રવજીના પુત્ર. સ્વ. રતનબાઈ રવજી દેશુ નાગડાના પૌત્ર. સ્વ. નાનબાઈ હિરજી
ડાઈયા વિકમાણીના દોહીત્ર. વેલબાઈ દામજી દેવજી સોની, મણીબેન દામજી પાલણ મારૂના ભાઈ.
પ્રાર્થનાસભા રાખી નથી. નિ.: મણીબાઈ દામજી મારૂ (કુવામાં બંગલાવાળા), ગામ : ભોજાય,
તાલુકો : માંડવી, કચ્છ ગુજરાત.
બિદડાના હસમુખ પોલડીયા (ઉં. 68) 29મીએ અવસાન પામ્યા છે. તે જવેરબેન ખીમજીના
પુત્ર. પ્રભાના પતિ. સ્વ. મિહીર, સૌરભના પિતા. રમેશ, દિનેશ, હિરેનના ભાઈ. વેલબાઈ પ્રેમજીના
જમાઈ. પ્રા.: શ્રીવ. સ્થા. જૈન સંઘ સંચાલિત કરસન લધુ નિસર હોલ, દાદર (પ.), ટા. 4થી
5.30.
સણોસરાના કેયુર વિસરીયા (ઉં. 49) 2મીએ અવસાન પામ્યા છે. તે કેસરબેન કલ્યાણજીના
પૌત્ર. નિર્મળા જયંતીના પુત્ર. દિવાળીબેન મેઘજી રવજીના દોહીત્ર. પ્રાર્થના રાખી નથી.
ઠે.: નિર્મળા વિસરીયા, 204, દેવબાપા સોસાયટી, ખારકર આળી, થાણા (પ.).
આધોઈના ભવાનજી નિસર (ઉં. 60) 29મીને શનિવારે અવસાન પામ્યા છે. તે ગં.સ્વ. મોંઘીબેન
લખમશી નિસરના પુત્ર. સ્વ. વિમળા અને ગં.સ્વ.
માયાબેનના પતિ. સ્વ. જેકી, હર્ષના પિતા. સ્વ. મનસુખ, કિશોર, કાંતા, અરૂણા, કુંવરના
ભાઈ. ગં.સ્વ. હરખુબેન ગેલાભાઈ પુનરાજ ગડા અને સ્વ. વિજયાબેન રમણીકલાલ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા બુધવાર, 3જીએ સવારે 10.30થી 12. ઠે.:
યોગી સભાગૃહ, દાદર (પૂ.).
વાગડ વી.ઓ. જૈન
આધોઈના ભવાનજી નિસર (ઉં. 60) 29મીને શનિવારે અવસાન પામ્યા છે. તે ગં.સ્વ. મોંઘીબેન
લખમશીના પુત્ર. સ્વ. વિમળા અને ગં.સ્વ. માયાબેનના પતિ. સ્વ. જેકી, હર્ષના પિતા. ગં.સ્વ.
હરમીત, એક્તાના સસરા. સ્વ. વિજ્યાબેન રમણીકલાલ વોરાના જમાઈ. પ્રાર્થનાસભા. બુધવાર,
3જીએ સવારે 10.30થી 12. ઠે.: યોગી સભાગૃહ, દાદર (પ.).
નવાગામ - ચાઉના સ્વ. વેજીબેન રતનશી ખુથિયાનાં પુત્રવધુ. બાબુભાઈનાં પત્ની જવેરબેન
(ઉં. 74) સોમવાર, 1લીએ અવસાન પામ્યાં છે. તે પ્રેમીલા, રાયચંદ, ચંપક, વીણાનાં માતા.
ભાવના, કવિતા, કીશોર, પ્રકાશના સાસુ. સ્વ. ગોમાબેન કરસન રાઘવજી કારીઆનાં પુત્રી. પ્રાર્થનાસભા
3જીને બુધવારે બપોરે 2.30થી 4. ઠે.: યોગી સભાગૃહ, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, દાદર
(પૂ.).
આધોઈના કસ્તુરબેન હિરજી રણમલ સત્રા (ઉં. 83) રવિવાર, 30મીએ અવસાન પામ્યાં છે.
તે મહેન્દ્ર, જીતેન્દ્ર, રજંન, નિર્મળા, નયના, જવેર, મંજુલાનાં માતા. સ્વ. વર્ષા, શીતલ,
નેણશી, ભગવાનજી, હિતેષ, રતનશીનાં સાસુ. નિમેશ, વંશ, દૃષ્ટિ, મોક્ષા, જીનલ, દેવીકા,
ઉન્નતી, રિધ્ધી, હર્ષિતા, વિધીનાં દાદી-નાની. મુરઈબેન પાસુ માલશી તથા જેવાબેન માયા
ગાલાનાં દિકરી. પ્રાર્થના : કરશન લઘુ નીસર હોલ, 10.30થી 12.
વાગડ વી. ઓ. જૈન
મનફરાના સ્વ. દેવઈબેન રવજી સામત ગડાના પુત્ર હેમરાજભાઈ (ઉં. 85) શનિવાર, 29મીએ
અવસાન પામ્યા છે. તે સોનાબેન/ રતનબેનના પતિ. વિજય, હંસા, નયના, પ્રીતી, પ્રફુલ્લા,
ડીમ્પલના પિતા. પાંચાલાલ, માડણ, લખમણ, હરગણ, નેણશી, પ્રેમજી, પરમાબેનના ભાઈ. ચાંપુબેન
લાલજી લધા છેડા/ પુરીબેન ગાંગજી કરમશી ગાલાના જમાઈ. પ્રાર્થના ગુરુવાર, 4થીએ સવારે
10થી 11.30. ઠે.: યોગી સભાગૃહ, દાદર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
ટાણાંના શૈલેષ શાંતિલાલ હઠીચંદ સંઘવીનાં પત્ની અ.સૌ. રાજુલ (ઉં. 61) 1લીને સોમવારે
અરિહંતશરણ પામ્યાં છે. તે આર્થવ, કલ્પનાં માતા. પ્રિયમ આરોહીનાં સાસુ. વિપુલ, લત્તા
અભયકુમાર મહેતા, કૃપા ભાવેશકુમાર શાહનાં ભાભી. પિયરપક્ષે સ્વ. મંગળાબેન હિંમતલાલ ચત્રભુજ
શાહનાં દીકરી. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. ઠે.: શૈલેષ શાંતિલાલ સંઘવી, બી-36 સિલ્વર
એપાર્ટમેન્ટ, શંકર ઘાનેકર માર્ગ, પ્રભાદેવી, દાદર (પ.).
દશા શ્રીમાળી સ્થા. જૈન
ઉમરાળાના અરૂણભાઈ પોપટલાલ શાહ (ઉં. 78). તે જયશ્રીબેનના પતિ. મેહુલ, પારૂલના
પિતા. પૂર્વી, કેતન ડેલીવાળાના સસરા. જયચંદ્રભાઈ, કિરીટભાઈ, કિશોરભાઈ, સ્વ. દિલીપભાઈ,
સુરેશભાઈ, સ્વ. જશવંતીબેન, સ્વ. શશીકળાબેન, સ્વ. કનકબેન, ઈલાબેનના ભાઈ. સ્વ. હિંમતલાલ
શાંતિલાલ ભાયાણીના જમાઈ 1લીએ અરિહંતશરણ પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 4થીએ
10થી 12. ઠે.: સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રામ ઓટો મોબાઈલ સામે, શનિવાર પેઠ, કરાડ. લૌ.
વ્ય. બંધ છે.
ઝાલાવાડી સ્થાનકવાસી વીસા શ્રીમાળી જૈન
ધ્રાંગધ્રાના સ્વ. મંગળાબેન અમુલખ શાહના પુત્ર શશીકાંતભાઈ (ઉં. 90) 1લીએ અરિહંતશરણ
પામ્યા છે. તે સ્વ. વિમળાબેનના પતિ. સ્વ. ગુણવંતલાલ, સ્વ. પુષ્પાબેન, સ્વ. રંજનબેન,
સ્વ. ભારતીબેન, આરતીબેનના ભાઈ. યોગેશ, નલીન, જયશ્રીના પિતા. સ્વ. જીવણલાલ છગનલાલ સંઘવીના
જમાઈ. દેહદાન કર્યું છે. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.
પાટણ જૈન
પાટણ સિદ્ધચક્રની પોળના અરુણાબેન શાહ (ઉં. 83) 28મીએ અરિહંતશરણ પામ્યાં છે.
તે જીતેન્દ્રભાઈ અમૃતલાલનાં પત્ની. મનિષાબેન હિતેનભાઈ, સ્વયમ્ભાઈનાં માતા. સ્વ. મનિષાબેન
તથા હિતેનભાઈ પ્રવિણચંદ્રનાં સાસુ. જૈનમનાં દાદી. મિતીનાં નાની. લૌ. વ્ય. બંધ છે.
ઝાલાવાડ શ્વે. મૂ. જૈન
વઢવાણના સુરેશ શાહ (ઉં. 74). તે સ્વ. શારદાબેન માણેકલાલ શાહના પુત્ર. નયનાબેનના
પતિ. હંસાબેન હર્ષદકુમાર વોરા, મયુર, મુકેશના બંધુ. મેઘના ચિંતનકુમાર ત્રિવેદી, પૂજાના
પિતા. સ્વ. ચંદનબેન સૂર્યકુમાર મણીયારના જમાઈ 1લીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ
છે.
પોરબંદર દશા શ્રીમાળી જૈન
કાંદિવલીના જસ્મીનાબેન દિલીપભાઈ કાપડીયા (ઉં. 83). તે સુનીલભાઈ, રિદ્ધિ દેવાંગભાઈ
શાહનાં માતા. ટીનાનાં સાસુ. પ્રદીપભાઈ, જાગૃતિબેન, ભરતભાઈ, ગીતાબેન, જીતેન, રશ્મિબેન,
જયશ્રીબેન અશ્વિનભાઈ શેઠનાં ભાભી. ભગવાનદાસ ધરમદાસ શાહનાં પુત્રી. વિરેન્દ્રભાઈ, દિપકભાઈ,
નિતિકાબેન, મહેન્દ્રભાઈ શાહનાં બેન 27મીએ અરિહંતશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી દશા શ્રીમાળી વણિક
મહેન્દ્રભાઈ શાહ (ઉં. 80) 1લીએ અવસાન પામ્યા છે. તે સ્વ. કાંતાબેન દયાલાલ શાહના
પુત્ર. કુસુમબેનના પતિ. સ્વ. દિવાળીબેન મોહનલાલ મહેતાના જમાઈ. ભારતીબેન પ્રવીણચંદ્ર
મહેતા, દામીનીબહેન હરીશભાઈ મહાજનીના ભાઈ. નિમેષ, ડોલી, કોમલના પિતા. લૌ. વ્ય. બંધ છે.
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
વલ્લભીપુરના સ્વ. હસુમતિબેન ચંપકલાલ વેલચંદ દોશીના પુત્ર કિરણભાઈ (ઉં. 65) 1લીને સોમવારે અરિહંતશરણ પામ્યા છે. તે નિતાબેનના પતિ. બકુલભાઈ, અમિતભાઈના ભાઈ. કિન્નરી મનનકુમાર ઝવેરીના પિતા. વનમાળીદાસ જુઠાલાલ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
હાલાઈ લોહાણા
અંધેરીના સ્વ.મુક્તાબેન વૃજલાલ કેસરીયાના પુત્ર ચેતનભાઈ (ઉં. 70) 1લીને સોમવારે
શ્રીજીચરણ પામ્યા છે. તે મીનાબેનના પતિ. રાહુલના પિતા. સુધીરભાઈ, દીપકભાઈ, વિભૂતિબેનના
ભાઈ. દમયંતિબેન વસંતલાલ પૂજારાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 4થીને ગુરુવારે સાંજે
5થી 7. ઠે.: જાનકીબાઈ હૉલ, ભવન્સ કૉલેજ પાસે, અંધેરી (પ.). લૌ. વ્ય. બંધ છે.
કચ્છી બ્રહ્મક્ષત્રિય
મઉં મોટીના ગં.સ્વ. પુષ્પાબેન (ઉં. 75). તે સ્વ. વિશ્રામ કુંવરજી રાજાવાઢાનાં
પત્ની. સ્વ. લીલાવતી કેશવલાલ ભટ્ટનાં પુત્રી 1લીને સોમવારે રામશરણ પામ્યાં છે. તે અમિત,
મનીષ, દક્ષા પ્રકાશકુમાર દુબલનાં માતા. નીતા, રશ્મી, પ્રકાશકુમાર કાંતિલાલ દુબલનાં
સાસુ. મીનલ નેજુલકુમાર હિંગુ, ક્રિશી કૃણાલકુમાર સોનેજી, મીત, નીશી, સ્વસ્તિ, રિતેશ,
ફોરમનાં નાની-દાદી. પ્રાર્થનાસભા 3જીને બુધવારે સાંજે 4થી 5. ઠે.: પાંજીવાડી, કાંજુરમાર્ગ
(પૂ.). દશાવ પ્રથા બંધ છે.
વીસા સોરઠિયા વણિક
ગણોદવાળા નવનીતલાલ મોહનલાલ કાલિદાસ કોઠારીનાં પત્ની જ્યોતિ (ઉં. 81). તે ચેતન,
સ્વાતિ આલોક ઝવેરીનાં માતા. સ્વ. ઉજમબેન માણેકલાલ જગજીવન શાહનાં પુત્રી ગુરુવાર,
27મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
ટપ્પર (સોનારવાલી)ના સ્વ. લવજી માવજી રાયમંગ્યાનાં પત્ની ગં. સ્વ. મંગલાબેન
(ઉં. 91) 30મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે સીતાબેન લીલાધર માણેકનાં પુત્રી. સ્વ. કિશોરભાઈનાં
બહેન. સ્વ. કીર્તિ, વિજય, શૈલેષ, માલતી મહેન્દ્ર તન્નાનાં માતા. ગીતા, રાજશ્રી, રેખાનાં
સાસુ. પ્રાર્થનાસભા રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
કચ્છી લોહાણા
કચ્છ લખપતના સ્વ. કાશીબાઈ લક્ષ્મીકાંત વલ્લભદાસ ઠક્કર મોટનપુત્રાનાં પુત્રવધૂ.
ચેતનાબેન જીતેન્દ્ર ઠક્કર (ઉં. 78) 28મીને શુક્રવારે પ્રભુ શરણ પામ્યા છે. તે ધીરેન,
જસ્મીના શાલીન જોબનપુત્રા, હિના હિતેન દાવડા, મનિષા વિશાલ ચંદેનાં માતા. મીનલનાં સાસુ.
ખુશાલી, પૂજનનાં દાદી. સ્વ. સુંદરબેન વિઠ્ઠલદાસ રતનશી ચંદેનાં પુત્રી. મુંબઈમાં પ્રાર્થનાસભા
રાખી નથી. લૌ. વ્ય. બંધ છે.
નડિયાદ દશા ખડાયતા વણિક
ગં.સ્વ. સ્નેહલતાબેન પરીખ (ઉં. 79). તે સ્વ. રોહિત મનહરલાલ પરીખનાં પત્ની. પ્રેમલ,
ધ્રુમલનાં માતા. ગોપી, તન્વીનાં સાસુ. ઇશા, શિખા, અનિષાનાં દાદી 1લીએ શ્રીજીચરણ પામ્યાં
છે. પ્રાર્થનાસભા 4થીએ સાંજે 5થી 7. ઠે.: પાટીદાર સમાજ, ફ્રેંચ બ્રીજ, ઓપેરા હાઉસ,
મુંબઈ.
હિન્દુ
વિરમગામના દિનેશભાઈ કેશવલાલ સોની (ઉં. 72) 30મીને રવિવારે શ્રીજી ચરણ પામ્યા
છે. તે સ્વ. નયનાબેનના પતિ. અમિતના પિતા. પ્રાર્થનાસભા 4થીને ગુરુવારે બપોરે 4થી સાંજે
6. ઠે.: ફ્લેટ નં. 2602, 26મો માળ, ધવલગિરી બિલ્ડિંગ, યશોધામ રોડ, દિંડોશી બસ ડેપોની
સામે, ગોરેગામ (પૂ.). લૌ. વ્ય. બંધ છે.
કપોળ
મહુવાવાળા ત્રિભોવનદાસ ખીમજી ગાંધીના પુત્ર મહેન્દ્રભાઈનાં પત્ની જયશ્રીબેન
(ઉં. 77) 29મીને શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે પ્રિતી, જતીન, કેતકીનાં માતા. શાંતિલાલ
પાનચંદ મહેતાનાં દીકરી. સ્વ. હરકીશનભાઈ, સ્વ. કરસનભાઈ, નગીનભાઈનાં ભાઇનાં પત્ની. સ્વ.
મંછાબેન, શશીકળાબેન, જ્યોત્સનાબેનનાં ભાભી. સર્વપક્ષની પ્રાર્થનાસભા 4થીને ગુરુવારે
સાંજે 4થી 6. ઠે.: પાવનધામ, એમસીએ ક્લબની સામે, મહાવીરનગર, કાંદિવલી (પ.). લૌ. વ્ય.
બંધ છે.
કપોળ
મહુવાવાળા સ્વ. વિમળાબેન નગીનદાસ નાગરદાસ શેઠના પુત્ર જ્યોતિન્દ્ર (ઉં. 73)
30મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે દક્ષાના પતિ. ઉમંગી ભાવિક દેસાઈ, પ્રતિકના પિતા. મહેન્દ્ર,
સ્વ. ભૂપેન્દ્ર, સ્વ. પ્રતિભા મોહિત મહેતા, વર્ષા બિપીન મહેતા, સ્વ. હેમંતના ભાઈ. સ્વ.
દેવાનંદ ઋષિના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
કપોળ
જાફરાબાદવાળા સ્વ. સવિતાબેન વૃજલાલ વોરાના પુત્ર રમેશભાઈ (ઉં. 65) 30મીને રવિવારે
શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. દિપ્તીબેનના પતિ. રવિ, રિયાના પિતા. પ્રતિમા, કરણના સસરા.
સ્વ. બાબુભાઈ ભગવાનદાસ મહેતાના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.
દશા સોરઠીયા વણિક
મહુવાના સ્વ. તારાબેન દેવચંદભાઈ તલાટીના પુત્ર પ્રકાશભાઈ (ઉં. 74) 29મીએ શ્રીજીશરણ
પામ્યા છે. તે જ્યોત્સ્નાબેનના પતિ. જીપ્સી રિતેશ શાહ, ખ્યાતિ, ઉષ્મા આદિત્ય મહેતાના
પિતા. સ્વ. કલ્પનાબેન, કૌશિકા, સ્વ. લીના, રાજુ, રિટાના ભાઈ. સ્વ. જસવંતીબેન ચીમનભાઈ
પારેખના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.