અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 26 : નૈઋઍત્યનું ચોમાસું આંદામાન ટાપુઓમાં બેસી ગયું છે અને 31મી મે સુધીમાં કેરળ પહોંચશે. મુંબઈમાં દસમી કે 11મી જૂને ચોમાસું બેસી જશે એવી આગાહી કોલાબા વેધશાળાના ડિરેક્ટર સુનીલ કાંબળેએ કરી છે. મુંબઈમાં હાલ ઉષ્ણતામાન 35 ડિગ્રી સેલ્સિયસ છે અને હવામાન ભેજવાળું છે. હવામાં ભેજનું ઊંચું પ્રમાણ આગામી થોડા દિવસ યથાવત્ રહેશે. કાંબળેએ જણાવ્યું હતું કે, મુંબઈમાં ચોમાસું સમયસર બેસશે, પણ કદાચ ત્રણથી ચાર દિવસ મોડું થઈ શકે છે. ચોમાસું કેરળ પહોંચે અને....