• શનિવાર, 20 એપ્રિલ, 2024

કરદાતાઓનું ભારણ ઓછું કરવા બ્રિટન ઘૂસણખોરોને જહાજો પર રાખશે : સુનક  

લંડન, તા.6: બીજા યુરોપિયન દેશોની જેમ બ્રિટન પણ ઘૂસણખોરીની સમસ્યાથી પરેશાન છે. હવે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું છે કે, ઘૂસણખોરો બોટનો ઉપયોગ કરીને બ્રિટનના દરિયા કિનારા પર આવવાનો પ્રયાસ કરે છે. તેને રોકવા માટે યુદ્ધસ્તરે કામ કરવામાં આવી રહ્યું છે. 

તેમણે કહ્યું હતું કે, બ્રિટનમાં ઘૂસતા પકડાઈ જનારા લોકોને કરદાતાઓના પૈસે હોટલોમાં રાખવા પડે છે. કરદાતાઓ પરનું ભારણ ઓછું કરવા માટે હવે બ્રિટન ઘૂસણખોરોને જહાજો પર રાખશે. આવું એક જહાજ આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઈ જશે અને વધુ બે જહાજ પણ તૈયાર કરવાની યોજના છે. દરેક જહાજ પર 1000 લોકોને રાખી શકાશે.