• શનિવાર, 25 માર્ચ, 2023

અદાણી જૂથને કેટલી લોન આપી ?  

બૅન્કોને રિઝર્વ બૅન્કનો સવાલ

નવી દિલ્હી, તા. 2 હિંડનબર્ગના અહેવાલને પગલે અદાણી જૂથની મુશ્કેલી સતત વધી રહી છે એવામાં આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશની વિભિન્ન બેંક પાસેથી અદાણી જૂથને અપાયેલી લોનમાં બેંકની કેટલી હિસ્સેદારી છે એ અંગે અહેવાલ માગ્યો છે. સરકાર અને સૂત્રોના હવાલેથી મળેલી જાણકરી અનુસાર કેન્દ્રીય બેંક દ્વારા અદાણી જૂથમાં રોકાણ અને લોન બાબતે જાણકારી આપવા માટે કહ્યું છે.  

આરબીઆઈએ આ સૂચના અદાણી જૂથના શેરમાં આવેલા ભારે ઘટાડાની અસર બેંકો પર ન પડે એ માટે  આરબીઆઈએ આ નિર્ણય લીધો છે. આ ઉપરાંત ગઈકાલે જ અદાણીએ અદાણી એન્ટરપ્રાઈઝનો એફપીઓ પણ પાછો લઇ લીધો હતો. આજના કારોબારી સત્રમાં પણ અદાણી સમૂહના શેરમાં ભારે ઘટાડો યથાવત્ રહ્યો હતો.  

ઉલ્લેખનીય છે કે, અદાણી જૂથે ભારતની અલગ-અલગ બેંકો પાસેથી આશરે 80,000 કરોડનું ઋણ લીધું છે. આ રકમ અદાણી જૂથના સમગ્ર ઋણનું 38 ટકા છે. કેટલીક બેંકના અધિકારીઓનું માનીએ તો કેટલીક આંતરરાષ્ટ્રીય રાટિંગ એન્જસીઓએ પણ અદાણી જૂથ પરના ઋણની જાણકારી માગી છે.