• શનિવાર, 25 માર્ચ, 2023

અયોધ્યામાં નેપાળથી આવેલી શાલિગ્રામ શીલાઓનું પૂજન

અયોધ્યા, તા. 2 : સાત દિવસની સફર ખેડીને 373 કિ.મી.નું અંતર કાપી નેપાળથી શાલીગ્રામની બે વિશાળ શીલા અયોધ્યા પહોંચી છે. રામસેવકપુરમ્માં 51 વૈદિક બ્રાહ્મણોએ આ પથ્થરોનું પૂજન કરાવ્યું હતું. 

છ કરોડ વર્ષ જૂના શાલિગ્રામના આ પથ્થરોમાંથી જ ભગવાન શ્રી રામ અને સીતાની મૂર્તિઓ બનશે. પૂજન પછી નેપાળના પૂર્વનાયબ વડાપ્રધાન વિમલેંદ્રનિધિ અને જાનકી મંદિરના મહંત તપેશ્વરદાસે ચંપતરાયને શીલાઓ સોંપી હતી. સરયુ નદીના પુલ પર ફુલ વરસાવીને, ઢોલ-ત્રાંસળા સાથે શાલીગ્રામના પથ્થરો સાથે પહોંચેલા રથનું ઉત્સવભર્યા માહોલમાં સ્વાગત કરાયું હતું.