• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

પવારના આક્રમક પ્રયાસ?

રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે છગન ભુજબળના કાર્યક્ષેત્ર નાસિકમાં સફળ રૅલી યોજ્યા પછી હવે મહારાષ્ટ્રના બે પ્રધાનો પ્રફુલ્લ પટેલ અને દિલીપ વળસે પાટીલના ક્ષેત્ર અનુક્રમે ગોંદિયા અને અંબેગાવમાં રૅલી યોજવાનું નક્કી કર્યું છે. આનો અર્થ થયો કે મૂળ રાષ્ટ્રવાદીમાં બળવો થયા પછી બંને રાષ્ટ્રવાદી એક થાય તે માટે અજિત પવાર અને તેમના સહકારીઓ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થયા નથી અને શરદ પવાર પક્ષને સક્રિય રાખવા અને લડી લેવાના અસલી મૂડમાં આવી ગયા છે. તેઓએ આખું મહારાષ્ટ્ર ખૂંદી વળવાની ઘોષણા પણ કરી છે.

કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી, ભાજપ, શિવસેના, મનસે એમ પાંચ પક્ષ મહારાષ્ટ્રના રાજકારણમાં છે. સરખામણીએ મનસેની શક્તિ બધામાં ઓછી છે. હવે રાષ્ટ્રવાદીમાં બે ભાગલા પડયા છે. બે શિવસેના છે. તેને લઈ પહેલાના પાંચ પક્ષો સાથે નવેથી તૈયાર થયેલાં બે જૂથ આવતી ચૂંટણીમાં એકબીજા સામે લડતાં દેખાશે. ઉપરાંત ટિકિટ નહીં મળે એટલે નારાજ નેતાઓ પણ `અપક્ષ'નો ઝંડો લઈ મેદાનમાં ઉતરશે. આમાં રાષ્ટ્રવાદીનો કેટલો ગજ વાગશે?

શરદ પવાર ભલે દાવો કરતા હોય કે લોકોને તેઓ પ્રતિ સહાનુભૂતિ છે, પણ ગામેગામ કામ કરનારા રાષ્ટ્રવાદીના કાર્યકર્તાઓમાં ઊભી ફૂટ પડી છે. યુવાન પેઢી અને જૂના લોકો મહારાષ્ટ્રમાં વધુ વિગતો માટે ઈ-પેપર વાંચો

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ