ભારતીય લોકશાહીના ઇતિહાસમાં કાળી ટીલી સમાન કટોકટીના દમનકારી શાસનનાં પ0 વર્ષ થયાં ત્યારે આખા દેશે ઇન્દિરા ગાંધી અને કૅંગ્રેસ પક્ષના કાળાં કારનામાંને એકી અવાજે વખોડી નાખ્યો. કટોકટી દરમિયાન આચરાયેલા દમનનો ભોગ બનેલા માટે ત્રાસ અને પીડાના ઘાવ હજી તાજા જ રહ્યા છે. બુધવારે કેન્દ્રીય પ્રધાનમંડળે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ આ કાળા દિવસને વખોડતો વિશેષ ઠરાવ પસાર કરીને દેશની લાગણીનો સીધો પડઘો પાડÎો હતો. કેન્દ્રીય પ્રધાનમંડળના વરિષ્ઠ સભ્યોએ લોકશાહી અને બંધારણની હત્યાને દેશ કદી વિસારી નહીં શકે એવો મત વ્યક્ત કર્યો હતો. દેશની લાગણીને માન આપીને 50 વર્ષ અગાઉના અત્યાચારી નિર્ણયને વખોડવાના સ્થાને કૉંગ્રેસે દેશમાં હાલ કટોકટી જેવી સ્થિતિ હોવાનો પાયાવગરનો આક્ષેપ કરીને પોતાની માનસિક્તા છતી કરી છે!
ઇન્દિરા ગાંધીએ ‘આંતરિક કટોકટી’ જાહેર કર્યા પછી જે અત્યાચાર
થયા હતા તે હજુ ભુલાયા નથી અને ભારતની નવી પેઢી પણ લોકતંત્ર અને સંવિધાને બક્ષેલા મૂળભૂત
અધિકારોની રક્ષા માટે જાગૃત રહે તે માટે ઈમર્જન્સીનાં પચાસ વર્ષ પછી સંવિધાન ‘હત્યા
દિવસ’ જાહેર થયો ત્યારે ખબર પડે છે કે આપણા વિપક્ષો હજુ પણ ઈમર્જન્સીનો બચાવ કરી રહ્યા
છે! ભવિષ્યમાં ભૂલેચૂકે પણ સત્તા મળે તો વિપક્ષો અને ન્યાયતંત્ર તથા મીડિયાના ગળે ટૂંપો
આપવા તૈયાર રહેશે! આથી જ અત્યારે ઈમર્જન્સીના અત્યાચારનો ઇતિહાસ યાદ આપીને નવી પેઢીને
જાગૃત કરવાની જરૂર છે.
કૉંગ્રેસ પ્રમુખ ખડગેથી લઈને મહારાષ્ટ્ર કૉંગ્રેસના પ્રમુખ
અને ઉદ્ધવ સેનાના પ્રવક્તા સંજય રાઉતે ઇન્દિરા ગાંધી અને ઈમર્જન્સીનો બચાવ કર્યો છે!
એમની દલીલ છે કે ઇન્દિરા ગાંધીએ બાબાસાહેબ આંબેડકરના સંવિધાનને અનુસરીને દેશને અરાજકતાથી
બચાવવા માટે આંતરિક કટોકટી જાહેર કરી હતી! સંજય રાઉત બચાવ - કરે છે પણ પ્રશ્ન ઈમર્જન્સી
જાહેર થયા પછી લોકો ઉપર જે અત્યાચાર થયા તે જોવાનું છે. સંવિધાન હેઠળ સત્તા મેળવીને
તેનો દુરુપયોગ કેવો થયો તે શું સંજય રાઉત - કે મલ્લિકાર્જુન ખડગે જાણતા નથી?
વિપક્ષી નેતાઓ - શરદ પવાર સહિત એવો આક્ષેપ કરે છે કે મોદી
સરકાર આવ્યા પછી અઘોષિત ઈમર્જન્સી અમલમાં છે! તેઓ શું એમ કહેવા માગે છે કે ન્યાયતંત્ર
અને મીડિયા પણ સરકાર દ્વારા નિયંત્રિત છે? જો આક્ષેપ થાય છે તો પણ ચૂંટણીમાં મોદીને
જનાદેશ મળ્યો છે અને તે પણ વારંવાર. જનતા વિપક્ષને નકારે, જાકારો આપે એટલે ચૂંટણી પંચ
સામે આક્ષેપ થાય છે તે પુરવાર કરી શકતા નથી. ચૂંટણી પંચ અને ન્યાયતંત્રે પણ આ મતલબના
આક્ષેપ સ્વીકાર્યા નથી. અને જો વિદેશી નેતાઓને ઈમર્જન્સીની સત્તાનો દૂર ઉપયોગ મંજૂર
હોય તો તેમણે ઓગણીસ - અથવા એકવીસ દિવસ જેલમાં રહેવાનો અનુભવ લેવો જોઈએ.
કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠકમાં વડા પ્રધાન મોદીએ તત્કાલીન
કૉંગ્રેસ સરકાર પર લોકશાહીને બાનમાં લેવાઈ હોવાનો ખાસ ઉલ્લેખ કરીને અખબારી સ્વતંત્રતાનો
ખાતમો કરાયો હતો તથા વિપક્ષી નેતાઓ અને સામાજિક આગેવાનોને જેલમાં પૂરીને તેમના પર અપાર
અત્યાચાર કરાયો હોવાનું જણાવ્યું. બેઠકમાં કટોકટીને લોકશાહીની હત્યા ગણાવતો ઠરાવ પસાર
કરીને બે મિનિટનું મૌન રખાયું હતું. કેન્દ્રીય પ્રધાનમંડળના આ ઠરાવ ઉપરાંત દેશભરમાં
બેઠકો અને ચર્ચાસભાઓ યોજાઈ રહી છે જેમાં કટોકટીની ત્રાસદાયક યાદોને વાગોળવામાં આવી
રહી છે.
વિટંબણા એ છે કે કટોકટીના સમયે અત્યાચારનો ભોગ બનેલા અમુક
નેતાઓ અને તેના રાજકીય પક્ષો વિપક્ષમાં રહીને હવે કૉંગ્રેસની ભાષામાં સૂર પુરાવવાનો
જરા પણ છોછ અનુભવતા નથી. તેઓ રાજકીય હિતો માટે
પોતે અનુભવેલા ત્રાસને વીસરી જાય એ આપણી લોકશાહી માટે શરમજનક ગણી શકાય. ખરેખર આપણી
લોકશાહીને પરિપક્વતા અને આદર્શ સ્થિતિ પામવામાં હજુ લાંબો પંથ કાપવાનો બાકી હોવાની
કડવી વાસ્તવિકતા સામે આવી છે.