• શુક્રવાર, 27 જૂન, 2025

પહેલગામ હુમલામાં પાક સામે વધુ નક્કર પુરાવા

પહેલગામ આતંકી હુમલામાં પાકિસ્તાનની સામેલગીરીના વધુ મજબૂત પુરાવા સામે આવ્યા છે. નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી (એનઆઈએ)એ આ હુમલા માટે પાકિસ્તાનથી આવેલા લશ્કર-એ-તોયબાના આતંકીઓને આશ્રય આપનારા બે સ્થાનિક લોકોની ધરપકડ કરતાં આ કાવતરાની વધુ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પહેલગામ હુમલામાં પોતાનો હાથ ન હોવાના પાકિસ્તાનના જુઠ્ઠાણાભર્યા દાવાને પોકળ  ઠેરવતા નવા-નવા પુરાવા સામે આવી રહ્યા છે.  હવે તો એ પણ સાબિત થઈ રહ્યંy છે કે, આ હુમલાનું કાવતરું તો પાકિસ્તાનમાં ઘડાયું હતું તેની સાથોસાથ હુમલાખોર આતંકીઓ પણ ત્યાંથી આવ્યા હતા અને તેમને પાકિસ્તાની સરકારનો પૂરો સહયોગ પણ મળ્યો હતો.  

એનઆઈએ દ્વારા જે બે વ્યક્તિની ધરપકડ કરાઈ છે તેની પૂછપરછમાં સામે આવી રહ્યંy છે કે, આ હુમલા માટે પાકિસ્તાનથી આવેલા આતંકી પૈકીનો હાશિમ મુસા ઉર્ફે સુલેમાન ત્યાંના લશ્કરમાં પેરા કમાન્ડો રહી ચૂક્યો હતો. એમ મનાય છે કે, પાકિસ્તાની લશ્કરે તેના આ કમાન્ડોને આ આતંકી હુમલા માટે લશ્કર-એ-તોયબાની સાથે જોડયો હતો. આમ આ ઘટસ્ફોટથી આતંકીઓની સાથે હાથ મિલાવીને આતંકી હુમલા કરાવવાની પાકિસ્તાની લશ્કરની વ્યૂહરચના હોવાનું વધુ એક વખત સાબિત થયું છે.  

પહેલગામ હુમલાના સંદર્ભમાં ભારત આરંભથી કહેતું રહ્યંy છે કે, પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરના ઈશારે આ હુમલો થયે છે. હવે એનઆઈએની કસ્ટડીમાં બે આશ્રયદાતાઓ પાસેથી મળી રહેલી વિગતોએ ભારતની વાતને સાચી ઠેરવી છે. આની સાથોસાથ ભારતે પહેલગામ બાદ આદરેલાં અૉપરેશન સિંદૂર અને સિંધુ જળ સંધિ અંગે લીધેલાં પગલાં યોગ્ય હોવાનું પણ સાબિત થઈ રહ્યંy છે.  અધૂરામાં પૂરું આતંકીને આર્થિક મદદ પર નજર રાખતી વૈશ્વિક એજન્સી એફએટીએફે થોડા દિવસ અગાઉ કહ્યંy હતું કે, આટલો મોટો આતંકી હુમલો આર્થિક મદદ વગર શક્ય બને નહીં.  

ઉલ્લેખનીય છે કે, ભારત પરના તમામ મોટા આતંકી હુમલામાં પાકિસ્તાનની સક્રિય સામેલગીરી સામે આવતી રહી છે.  સંસદ પરનો હુમલો હોય કે પછી મુંબઈના બૉમ્બધડાકા હોય અથવા આતંકી હુમલો હોય કે પછી પઠાણકોટનો આતંકી હુમલો હોય, તમામમાં પાકિસ્તાનનો સીધો હાથ સામે આવ્યો છે. ચોતરફની ઝાટકણી અને ભારતનાં વળતાં પગલાં છતાં પાકિસ્તાન આતંકના તેના એજન્ડાને છોડતું નથી.  ખેરખર તો પાકિસ્તાનનો આતંક પ્રત્યેનો પ્રેમ એટલો બધો ગાઢ બની ગયો છે કે, તે હવે તેને છોડે એવી આશા રાખી શકાય તેમ નથી. ભારતે ફરીવાર એફએટીએફની ગ્રે યાદીમાં પાકિસ્તાન ઉમેરાય તે માટે વૈશ્વિક પ્રયાસ આદરવા જોઈએ અને તેની સાથોસાથ અમેરિકા તેના ઉપર સતત દબાણ રાખે તે માટેના સતત રાજદ્વારી પગલાં લેવા પર ધ્યાન આપવું જોઈએ.