ભારતની આર્થિક અને વ્યૂહાત્મક શક્તિમાં દેશના નાગરિકોની રાષ્ટ્રભક્તિ હંમેશાં ચાવીરૂપ રહી છે. પાકિસ્તાનના આતંકવાદની સામે ભારતે છેડેલાં અૉપરેશન સિંદૂરની ટીકા કરનાર તુર્કી અને અઝરબૈજાનની સામે ભારતીયોનો ગુસ્સો ભભૂકી ઊઠયો છે. પાકિસ્તાનને સમર્થન આપી ચૂકેલા આ બન્ને દેશોને પાઠ ભણાવવા ભારતભરમાં દેખાવો થઈ રહ્યા છે અને તેમનો વેપારી બહિષ્કાર કરવાની હાકલ થઈ રહી છે. હાલત એવી છે કે, ભારતીય વેપારીઓએ તુર્કીના સરફજન અને આરસ જેવી વસ્તુઓની આયાત બંધ કરવાના નિર્ણય લઈ લીધા છે, તો ભારતીય પ્રવાસીઓ અને ટ્રાવેલ એજન્સીઓએ તુર્કી અને અઝરબૈજાનના પ્રવાસ રદ કરવા શરૂ કરી દીધા છે, તો અૉલ ઇન્ડિયા સિને વર્કર્સ ઍસોસિયેશને પણ આ બન્ને દેશોની સાથે સંકળાયેલી કોઈપણ જાતની ફિલ્મ સંબંધી પ્રવૃત્તિમાં ભાગ ન લેવાની હાકલ પોતાના સભ્યોને કરી છે.
ઉલ્લેખનીય
છે કે, તુર્કી અને અઝરબૈજાન બન્ને ભારત સાથેના વેપારથી સારી એવી આવક કરે છે, પણ આતંકના
મામલે પાકિસ્તાનને સમર્થન આપવામાં જરા પણ છોછ અનુભવતા નથી. આ બન્ને દેશેના દ્વિપક્ષીય
વેપારના આંકડા નોંધપાત્ર રહ્યા છે. ગયા વર્ષે એપ્રિલ મહિનાથી આ વર્ષે ફેબ્રુઆરી વચ્ચે
ભારતે તુર્કી પાસેથી 2.84 અબજ ડૉલરની આયાત કરી હતી. ભારત તુર્કી પાસેથી અલગ પ્રકારના
આરસ, તાજાં સરફજન, સોનું, શાકભાજી, સિમેન્ટ અને લાઈમસ્ટોન ઉપરાંત ખનિજ તેલ, લોખંડ,
સ્ટીલ, રસાયણ અને મોતીની આયાત કરે છે. ભારત તેની કુલ આયાતનો 0.પ ટકા હિસ્સો તુર્કી
પાસેથી મગાવે છે. ભારત અઝરબૈજાન પાસેથી પશુઓનો ચારો, ચામડું, જૈવિક રસાયણ અને તેલની
આયાત કરે છે. આ આયાત બંધ થાય તો સ્વાભાવિક રીતે બન્નેનાં અર્થતંત્ર પર અવળી અસર પડી
શકે છે. ખાસ તો તુર્કીમાં ભારતીય પ્રવાસીઓની
સતત વધી રહેલી સંખ્યાથી ત્યાંના પ્રવાસન ઉદ્યોગને મોટો ફાયદો થઈ રહ્યો છે. અંદાજે
24 લાખ ભારતીય પ્રવાસીઓ વર્ષે તુર્કી જતા હોય છે, તો અઝરબૈજાનમાં 2023માં 2.4 લાખ ભારતીય
ટૂરિસ્ટો ગયા હતા. આ ઉપરાંત ડેસ્ટિનેશન વાડિંગ માટે પણ આ રાષ્ટ્ર ભારતીયોમાં પ્રિય
છે. આ ઉપરાંત ભારતીય ફિલ્મ ઉદ્યોગ શાટિંગ માટે તુર્કીના લૉકેશનને ભારે પસંદ કરે છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં અઝરબૈજાનમાં પણ ભારતીય ફિલ્મોનાં શાટિંગ થવા લાગ્યાં છે.
આ બધાંને કારણે આ રાષ્ટ્રોનાં અર્થતંત્રને મોટો ફાયદો થઈ રહ્યો છે. ઐતિહાસિક
દૃષ્ટિએ પણ ભારત-અઝરબૈજાન અને ભારત-તુર્કી વચ્ચેના સંબંધો સારા રહ્યા છે અને ભારતીય
ફિલ્મો અને કલાકારો પણ આ દેશોમાં ખાસ્સા લોકપ્રિય છે.
ભારત
સરકારે સત્તાવાર રીતે આ બન્ને દેશો સાથે કોઈ પ્રતિબંધ જાહેર કર્યા નથી. માત્ર વિમાન
મથકોએ સેવા આપતી તુર્કીની સેલેબી કંપનીની સામે કાર્યવાહી કરાઈ છે, પરંતુ રોષે ભરાયેલા
ભારતીયો તુર્કી અને અઝરબૈજાનની સામે મોરચો ખોલવાના ઈરાદાને વધુ મક્કમતા સાથે અમલી બનાવે
તો પણ બન્ને દેશોને આર્થિક રીતે મોટો ફટકો પડી શકે તેમ છે. ખાસ તો વ્યાપારી સંગઠનો
અને વિવિધ ઉદ્યોગ સંસ્થાઓએ પોતાના સભ્યોને હાકલ કરી છે કે, ભારતવિરોધી આ બંને દેશો
સાથે વેપાર વ્યવહાર બંધ કરી દો. દેશ સામે અત્યારે જે પરિસ્થિતિ છે, તે જોતાં વેપારી
વર્ગે કરેલી આ પહેલ દૂરગામી અસર કરનારી સાબિત થશે. વળી, આ બંને દેશોમાં પ્રવાસન માટે
જનારા ભારતીયોએ બાકિંગ રદ કરી દેશપ્રેમનો પરિચય આપ્યો છે. હવે વેપારી ગૃહો આયાત રોકી
દે તો પાકિસ્તાન સમર્થક આ દેશોને વાસ્તવિકતાનું ભાન થઈ શકે તેમ છે. તુર્કી અને અઝરબૈજાન
બન્નેએ યાદ રાખવું જોઈએ કે, ચીન જેવી આર્થિક મહાસત્તા પણ ભારતના રોષને કારણે મુશ્કેલીમાં
મુકાઈ ગઈ હતી, તો તેમની તો કોઈ વિસાત જણાતી જ નથી. આવનારો સમય આ બન્ને ગુસ્તાખોને ઘૂંટણિયે
પાડીને દુનિયાને સ્પષ્ટ સંદેશો આપવાનો બની રહેશે કે ભારત અને ભારતીયો હવે નબળા નથી.