ટ્રાફિકને લીધે વિદ્યાર્થીઓને શાળાઓમાં પહોંચાડવામાં વિલંબ થઈ શકે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 24 : બાળ મંદિરથી ધોરણ-ચાર સુધીની શાળાઓ સવારે નવ બાદ શરૂ કરવાના સરકારના નિર્ણયનો બસચાલકોએ વિરોધ કર્યો છે. શહેરમાં સવારે 8થી 9 વાગ્યા દરમિયાન ટ્રાફિકજામમાંથી રસ્તો કાઢીને બાળકોને શાળામાં પહોંચાડવા કઈ રીતે એવો એમનો પ્રશ્ન છે. વળી, બાળ મંદિરથી ધોરણ-ચાર અને ધોરણ-પાંચથી ધોરણ-10 એમ બે