• મંગળવાર, 31 માર્ચ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

ફરાદીના નયન મુલચંદ વીરા (ઉં. 63) શુક્રવાર, 27મીએ  અવસાન પામ્યા છે. તે કસ્તુરબેન લખમશીના પૌત્ર. સ્વ. કુસુમ, મૂલચંદ લખમશીના પુત્ર. મનોજ, જયેશના ભાઈ. લક્ષ્મીબેન નાનજી છેડાના દોહિત્ર. પ્રાર્થના રાખી નથી. ઠે.: મુલચંદ વીરા, એ-101, વિષ્ણુ સ્મૃતિ બિલ્ડિંગ નં. 1, જૂની વીવા કોલેજ સામે, વિરાર (પ.).

 

બિદડા વીરા ફરીયાના સુરેશ ભાણજી વીરા (ઉં. 78) 27મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. વેજબાઈ ભાણજી દેશરના પુત્ર. કાંતાના પતિ. જીતેદ્ર, ભૂમિના પિતા. સ્વ. ચંપક, સ્વ. કાંતી, સ્વ. અરાવિંદ, સ્વ. વિનોદ, સ્વ. નેમચંદ, સ્વ. પ્રેમલતા લાલજી ગાલા, કુસુમ ઝવેરીલાલ છેડા, મધુ રમણીક છેડા, હંસા રાજેશ સૈયાના ભાઈ. પદ્માબેન દામજી ભદ્રાના જમાઈ. પ્રાર્થના : 30મીને સોમવારે બપોરે 4થી 4.30. ઠે.: આરાધના હૉલ, દેરાસરની સામે, બિદડા.

 

ખંભાત વીસા શ્રીમાળી જૈન

ખંભાતના ચંદ્રકાંત રાયચંદ શાહ (ઉં. 87) 27મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. રક્ષીલાબેનના પતિ. પૂ.સા. મતિશ્રેણાશ્રીજી, સ્વ. મુક્તાબેન, સ્વ. ઇન્દુબેનના ભાઈ. ચારૂબેન, સ્વ. પાનુબેન, નિશાબેન, નીરવભાઈના પિતા. હેમંતકુમાર, કલ્પેશભાઈના સસરા. લૌ. વ્ય.  બંધ છે. ઠે.: 110, ગુલાલવાડી, કીકા સ્ટ્રીટ, ભારજા ભુવન, રૂમ નં. 52, મુંબઈ-4.

 

દિગંબર જૈન

ધ્રાગધ્રાના હસમુખલાલ શાહ (ઉં. 88) ગુરુવાર, 26મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મોતીબેન તથા સ્વ. છોટાલાલ ઠામરસીના પુત્ર. સુશીલાબેનના પતિ. ગાંડાલાલ પનજીના જમાઈ. રાજેશ, વિદેહા, પ્રજ્ઞા, સેજલના પિતા. તૃપ્તિબેન, દિલીપભાઈ, રાજેશભાઈ, પંકજભાઈના સસરા. લૌ. વ્ય. અને પ્રાર્થનાસભા રાખી નથી.

 

માંગરોળ દશા શ્રીમાળી જૈન

માંગરોળના નરેશભાઈ શાહ (ઉં. 71) શનિવાર, 28મીએ અરિહંતશરણ પામ્યા છે. તે કુસુમબેન જયંતીલાલ શાહના પુત્ર.  સ્મિતાબેનના પતિ. રાજ, કુંજલના પિતા. કમલભાઈ, સ્વ. માલીનીબેન દિપકભાઈ વોરાના ભાઈ. સ્વ. પ્રતાપરાય વિરચંદ બોટાદરાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડી શ્વાતંબેર મૂર્તિ પૂજક

મુળીના સ્વ. રમેશચંદ્ર શાંતિલાલ શાહના પત્ની ચંદ્રિકાબેન (ઉં. 72) 28મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ભૂમિકા, આશિષના માતા. વિરલકુમાર, કેજલના સાસુ. મનહરલાલ, સ્વ. ન્યાલભાઈ, પ્રવીણભાઈ, સ્વ શૈલેષભાઈ, હંસાબેનના ભાભી. અશ્વિનભાઈ જશુભાઈ દોશીના બહેન. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે. 

 

ઝા. વીસા. સ્થા. જૈન 

રાણપુરના અરુણાબેન (ઉં. 79). તે સ્વ. નવીનચંદ્ર નંદલાલ શાહના પત્ની. હિતેશ, નીરવ, બીના, મનીષાના માતા. વૈશાલી, નિકિતા, નિલેશકુમાર, રાજેશ કુમારના સાસુ. મહેન્દ્રભાઈ, બટુકભાઈ, ધીરજભાઈ, સુરેશભાઈ, સ્વ. જ્યોત્સનાબેન, સ્વ. હંસાબેનના ભાભી. પિયર પક્ષે અમૃતલાલ મગનલાલ સંઘવીના દીકરી 28મીએ અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે. ચક્ષુદાન કર્યું છે.

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા

મુંબઈના ગં.સ્વ. તરૂલતા જયંતિલાલ દાવડા (ઉં. 63). તે જીનીષના માતા. સ્વ. પ્રેમકુંવરબેન જમનાદાસ દાવડાના પુત્રવધૂ. પ્રાચીના સાસુ. સ્વ. પ્રભુદાસ દયાળજી વિઠલાણીના દીકરી. સ્વ. મીનાબેન મનહરલાલ મસરાણી, અંજના જીતેન્દ્ર શેઠ, સ્વ. ફાલ્ગુની ચેતન શાહના બહેન 27મીએ શ્રીજી પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

કરાચી (ફુર્લાવાળા)ના સ્વ. જમનાબેન હેમરાજ રચ્છના પુત્ર યોગેશભાઈ (ઉં. 79) 27મીએ પ્રભુચરણ પામ્યા છે. તે સુશીલાબેનના પતિ. સ્વ. કનકભાઈ, અરવિંદભાઈ, ભરતભાઈ, સતીષભાઈ, મુકુંદભાઈ, સ્વ. ઉર્મિલાબેનના ભાઈ. જીગ્નેશ, ભાવેશ, મનીષાબેનના પિતા. ફાલ્ગુની, નીલમ, સ્વ. ભાવેશકુમાર પંચમતીયાના સસરા. લાલજી કાલીદાસ તન્નાના જમાઈ. બંને પક્ષની પ્રાર્થનાસભા 30મીએ સોમવારે સાંજે 6થી 4. ઠે.: અગ્રસેન ભવન, સ્વામિનારાયણ મંદિર, 3જે માળે, 90 ફુટ રોડ, ઘાટકોપર (પૂ.).

 

હાલાઈ લોહાણા  

દેવળીયાના સ્વ. વિમલાબેન સિમરીયા (ઉં. 80). તે સ્વ. રસિકલાલ વાલજીભાઈ સિમરીયાના પત્ની. સ્વ. રતિલાલ શામજીભાઈ પાંધીના દીકરી. વિજય, મનીષ, દર્શના થારાનીના માતા. કાંતિભાઈ, સ્વ. નીતિનભાઈ, અનિલભાઈના ભાભી. સ્વ. ધીરુભાઈ, સ્વ. વિજયભાઈ, રસિકભાઈ, વનીતાબેન, નીતાબેન દત્તાનીના બહેન 25મીએ શ્રીજીશરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા 30મીએ 5થી 7. ઠે.: વર્ધમાન સ્થા. જૈન સંઘ, લોહાણા મહાજન વાડી સામે, એસ. વી. રોડ, કાંદિવલી (પ.). 

 

સોરઠીયા બ્રહ્મક્ષત્રિય  

ભાવનગરના સ્વ. જયાબેન ઈજ્જતરાય છાટબારના પુત્ર ભાવેશ (ઉં. 51) 27મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે રીનાબેનના પતિ. ભવ્ય, દેવના પિતા. શૈલેષ, મનોજ, નીતા હિતેન્દ્ર ટાટરીયા, જાગૃતિ હિતેશ ભેડાના ભાઈ. સ્વ. ગુણવંતીબેન પ્રવીણભાઈ પડિયાના જમાઈ. પ્રાર્થનાસભા 30મીએ 4થી 5. ઠે.: પુષ્પક 2, ખેતાન સોસાયટી, રૂમ નં 505, ટેલિફોન એક્ષચેન્જ સામે, એસ. વી. રોડ, મલાડ (પ.). લૌ. વ્ય. બંધ છે. 

 

હાલાઈ લોહાણા 

રાજકોટના અ.સૌ. ધર્મિષ્ઠાબેન બુદ્ધદેવ (ઉં. 78). તે મનહરલાલના પત્ની. સ્વ. પ્રભાબેન તથા સ્વ. રણછોડદાસ મેઘજી બુદ્ધદેવના પુત્રવધૂ. સ્વ. ધનજીભાઈ કુરજી અમલાણીના દીકરી. ગં.સ્વ. મનીષા, કિરણ, ભાવિનના માતા. સ્વ. મહેશકુમાર વિનોદભાઈ મજીઠીયા, ક્રિષ્ના, સ્મિતાના સાસુ શુક્રવાર, 27મીએ શ્રીજીચરણ પામ્યાં છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવાર, 30મીએ સાંજે 4થી 6. ઠે.: શ્રી પનવેલ લોહાણા મહાજન વાડી, રવજી ભીમજી રંગપરિયા માર્ગ, મીરચી ગલ્લી, પનવેલ.

 

હાલાઈ લોહાણા

વલસાડના ભરતના પત્ની અ. સૌ. માલતીબેન (ઉં. 70) 29મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ગં.સ્વ. વિજ્યાબેન પ્રાણજીવનદાસ ગોકાણીના પુત્રવધૂ. તૃપ્તિ, પૂર્વી, કૌશલના માતા. વિશાલ, દિપેન, રિંકલના સાસુ. ગં.સ્વ. માનવંતીબેન ભવાનજી ધનજી ઠક્કરના પુત્રી 29મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા સોમવાર, 30મીએ સાંજે 4થી 6. ઠે.: શ્રીમ પ્લોટ નં. 5, સૂર્યદર્શન સોસાયટી નં. 3, એન રોડ, તીથલ સેગવી રોડ, તીથલ, વલસાડ.

 

લુહાર સુતાર

ધોરાજીવાળા દીપકભાઈ લીલાધરભાઈ દાવડાના પત્ની  શિલ્પાબેન (ઉં. 56) શનિવાર, તા. 28મીએ  શ્રીજીચરણ પામ્યાં છે. તે ધવલભાઈના માતા. ભીખુભાઈ હીરાભાઈ ગોહિલના દીકરી. પ્રવીણભાઈ અમૃતલાલ દાવડાના નાના ભાઈના પત્ની. દેવેન નવીનચંદ્ર દાવડા, રમાબેન દિનેશકુમાર પરમારના ભાભી.  પ્રાર્થનાસભા સોમવાર, 30મીએ સાંજે 5થી 7. ઠે.: નવસમાજ મંડળ હોલ, દીક્ષિત રોડ, સેટલાઈટ હોટેલની બાજુમાં, વિલે પાર્લે (પૂ.).

 

પરજીયા સોની  

વાઘણીયાના વસંતભાઈ થડેશ્વર (ઉં. 68) 28મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે  જ્યોત્સનાબેનના પતિ. રામભાઈ મેરામભાઈ થડેશ્વરના પુત્ર. મધુબેન મુળજીભાઈ જગજીવનદાસ ધકાણના જમાઈ. નિતા જીગર સલ્લા, મિતા દર્શિત શાહના પિતા. પુન્ય, આદિના નાના. લૌ. વ્ય. બંધ છે.

 

સોરઠીયા સારસ્વત બ્રાહ્મણ  

માંગરોળના સ્વ. ગીરધરલાલ ચુનીલાલ જોષીના પત્ની ગં.સ્વ. પ્રવીણાબેન જોષી (ઉં. 79) 28મીએ કૈલાસવાસી પામ્યાં છે. તે ચુનીલાલ જેષટારામ ભટ્ટના દીકરી. મહેશ, ઉમેશના માતા. દર્શનાબેનના સાસુ. મેઘા ચેતન કલયાણી, સાગર જૈનમના દાદી. પ્રાર્થનાસભા 30મીને સોમવારે સાંજે 4થી 6. ઠે.: સાંઈનાથ મેદાન, સાંઈબાબા મંદિર પાસે, ખોત વાડી, બેઝટ રોડ, શાન્તાકુઝ (પ.). 

વ્યાપાર
વધુ વાંચો