• રવિવાર, 28 જૂન, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

સાડાઉના કેશવજી ગાલા (ઉં. 100) 16મીએ દેવલોક પામ્યા છે. તે લક્ષ્મીબેનના પતિ. કુંવરબાઇ જેવત પદુના પુત્ર. ઇન્દુમતી, ધીરજ, શશીકલા, મહેન્દ્ર, અલ્પેશના પિતા. વીરજી, લખમશી, ઉમરશી, શામજી, પાનબાઇ, વેલબાઇ, ખેતબાઇના ભાઇ. પાનબાઇ નરશી કુંવરજીના જમાઇ. ગુણાનુવાદ સભા 27મીએ શનિવારે 2થી 3.30. ઠે.: કરસન લધુ નિસર હોલ, 1લે માળે, દાદર. 

 

તલવાણાના સાકરબેન છેડા (ઉં. 86) 24મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સુંદરબેન પ્રેમજી રતનશીના પુત્રવધુ. અમૃતલાલના પત્ની. વિજય, સંજીવ, સમીર, વીણાના માતા. રાણબાઈ તેજશી શામજી સાવલાના પુત્રી. પ્રેમચંદ, મુલચંદ, નયના નેમચંદ, તારા બિપીન, નલિની પારસના બેન. પ્રા.: કરશન લધુભાઈ નિસર હોલ (દાદર). 4થી 5.30.

 

મોખાના મિથિલ વિસરીયા (ઉં. 30) 23મીએ અવસાન પામ્યા છે. તે રંજના વિસરીયાના પુત્ર. માહી (સપના)ના પતિ. જીજ્ઞા જીગર અનિલ દેઢીયાના ભાઇ. સુહાસીની વિલાસ કાશીરામ મોહીતેના જમાઇ. પ્રાર્થના રાખી નથી. નિ.: પ્રભાબેન દામજી વિસરીયા, 2/11, રોહીદાસ ભવન, 2જી રાબોડી, થાણા (પ.). 

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન 

ટાણાના સ્વ. સુરજબેન વીરચંદભાઈ શાહના પુત્ર ભુપતરાય (ઉં. 78) 25મીએ અરિહંતશરણ પામ્યા છે. તે વર્ષાબેન દોશીના ભાઈ. જનક દોશીના સાળા. કેવલ, ચિરાગના મામા. સ્વ. મનસુખલાલ તથા સ્વ. કેશવાલાલ મણિલાલ શાહ હકાણીના ભાણેજ. લૌ. વ્ય. બંધ છે.

 

સોરઠ વીસા શ્રીમાળી જૈન

જૂનાગઢના સ્વ. પ્રાણલાલ ઓતમચંદ શાહનાં પત્ની ઇન્દુમતીબેન (ઉં. 85) 25મીને ગુરુવારે અરિહંતશરણ પામ્યાં છે. તે મીના મિલન સંઘવી, નિતીન, અતુલ, પ્રીતિ વિરેન કામદાર, સ્વ. જિતેન, જ્યોતિ મનીષ પટેલનાં માતા. પ્રીતિ, સોનલ, શ્વેતાનાં સાસુ. જશન, દ્રષ્ટિ, રિયા, પરમ , ધ્વની, નિશાંત, ગૌરવ, હિતાક્ષીનાં બા. સ્વ. છગનલાલ અભેચંદ પારેખનાં પુત્રી. શત્રુંજય મહાતીર્થ ભાવયાત્રા, 28મીને રવિવારે  સવારે 10થી 1. ઠે.: પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (પ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

પીપળવા ગીરના અ.સૌ. પ્રતિભાબેન અજમેરા (ઉં. 64) 25મીએ અરિહંતશરણ પામ્યા છે. તે લલિતભાઈ અભેચંદભાઈ અજમેરાનાં પત્ની. ભાવનાબેન-નીતાબેન ચીમનભાઈ-છાયાબેન સ્વ. વસંતભાઈ સ્વ. હર્ષાબેન  સ્વ. અશ્વિનભાઈ-દર્શનાબેન પ્રફુલ્લભાઈ-રીટાબેન રાજુભાઈ-રૂપલબેન ધર્મેશભાઈ-રંજનબેન, દિલીપભાઈ સંઘરાજકા-ચંદનબેન કિરીટભાઈ જસાણી-દર્શિકાબેન ભાષિતભાઈ શાહનાં ભાભી. જીગ્નેશ, ધવલનાં માતા. જાગૃતિ, પ્રિયલનાં સાસુ. સ્વ. જયસુખલાલ હિમ્મતલાલ જસાણીનાં પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

પાડરશીંગાના જેકુરબેન રતિલાલ જીવરાજ મહેતાના પુત્ર સ્વ. હર્ષદભાઈનાં પત્ની તરૂણાબેન (ઉં. 76) ગુરુવાર, 25મીએ અવસાન પામ્યાં છે. તે રિતેશ, પાયલનાં માતા. અરવિંદભાઈ, કિર્તીભાઈ, જ્યોત્સનાબેન અરવિંદભાઈ ઝવેરી, સ્વ. ભારતીબેન શરદભાઈ શાહનાં ભાભી. દલીચંદ મુળજી પારેખનાં દીકરી. બંને પક્ષોની સાદડી 27મીએ શનિવારે સાંજે 3થી 5. ઠે.: ડોંગરી શ્વેતાંબર તપગચ્છીય મૂ. જૈન સંઘ (હોલ), શાંતિ બિલ્ડિંગ, ગ્રાઉન્ડ ફલોર, નવરોજી હિલ રોડ નં. 2, ભાજી ગલી, મુંબઈ.

 

વેરાવળ દશા શ્રીમાળી જૈન

વેરાવળના અતુલભાઈ વ્રજલાલ વોરા (ઉં. 69) 23મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ જસ્મીનાબેનના પતિ. બંદીશના પિતા. વિરતીના સસરા. સ્વ. સુરેખાબેન મનસુખલાલ શાહ, સુરેશભાઈ, દિલીપભાઈ, હર્ષાબેન મુકેશભાઈ જોબાલિયાના ભાઈ. સ્વ. મણિલાલ દિપચંદ મહેતાના જમાઈ. પ્રાર્થનાસભા 27મીએ 10થી 11.30. ઠે.: આરાધના ભવન, પાંચમે માળે, 6બી, નાથાલાલ પારેખ માર્ગ, ચંદ્રવિલા ગુજરાતી ક્લબ ની બાજુમાં માટુંગા (પૂ.).

 

જામનગર વીસા પોરવાડ વણિક જૈન

જામનગરના સ્વ. કુસુમબેન વિનોદરાય પારેખના પુત્ર કેતનભાઈ (ઉં. 63) 25મીએ અરિહંતશરણ પામ્યા છે. તે ફાલ્ગુનીબેનના પતિ. રુષભના પિતા. મીનાબેન કમલેશકુમાર દોશી, ભરતભાઈ, હિમાંશુભાઈના ભાઈ.  શ્વસુર પક્ષે જ્યોત્સનાબેન જસવંતલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા 27મીને શનિવારે 4થી 6. ઠે.: અલિકા હોલ, લોખંડવાલા ટાઉનશીપ, કાંદિવલી (પૂ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

પુષ્પાબેન દોશી (ઉં. 94). તે સ્વ. મનહરભાઈ દોશીનાં પત્ની. સ્વ. સમરથબેન તથા હરિભાઈ દોશીનાં પુત્રવધૂ, દર્શનાબેન, અભયભાઈનાં માતા. અલિપ્તનાં દાદી. સ્વ. સમરથબેન તથા સ્વ. રામજીભાઈ વિરાણીનાં પુત્રી 26મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

ઔદીચ્ય સહત્ર સાઠા બ્રાહ્મણ

ટીટોઈના ઈશાન ઠાકર (ઉં. 32). તે જિનેશ તથા મિતાબેનના પુત્ર. સ્વ. અરવિંદભાઈ ગૌરીશંકર ઠાકર, સ્વ. બબીબહેનના પૌત્ર. અનિલભાઈ ચિમણલાલ ત્રિવેદી, મધુબહેન અનિલભાઈના દોહિત્ર. સ્વ. ભારતીબહેન દિલીપભાઈ શુક્લ, ગીતાબહેન નિતીનભાઈ ભટ્ટ, પારૂલ કિરીટ ભટ્ટના ભત્રીજા. મિનલ ત્રિવેદીના ભાણીયા રવિવાર 21મીએ દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા 28મીને રવિવારે સાંજે 5થી 7. ઠે.: લવન્ડર બાગ, પહેલે માળે, 90 ફીટ રોડ, બાપ્સ સ્વામી નારાયણ મંદિર પાસે, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી રાજગોર બ્રાહ્મણ

બોરીવલીના વિજયાબેન રાજગોર (ઉં. 58). તે સ્વ. દિનેશચંદ્રનાં પત્ની. સ્વ. ઝવેરબેન કાશીરામ રાજગોરનાં પુત્રવધૂ. રૂપલ, હાર્દિકનાં માતા. હરિશંકરભાઈના ભાઈનાં પત્ની. ચારુબેન રસીકલાલ નાકરનાં ભાભી. સ્વ. રતનબેન ભવાનીશંકર નાકરનાં પુત્રી 25મીએ રામશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 27મીને શનિવારે 4થી 6. ઠે.: કચ્છી રાજગોર મિત્રમંડળ હૉલ, લવકુશ બિલ્ડિંગ, રજે માળે, પાંચ રસ્તા, કીર્તિ મહેલ હોટલની ઉપર, મુલુંડ (પ.).

 

દશા શ્રીમાળી વૈષ્ણવ

ભુમલીના સ્વ. અરવિંદભાઈ કેશવલાલ મોદીનાં પત્ની ગં.સ્વ. પ્રમોદાબેન (ઉં. 91). તે સ્મિતાબેન પારેખનાં માતા. જયેશભાઈ ગૌતમભાઈ પારેખનાં સાસુ. સ્વ. ઘનશ્યામભાઈ મથુરાદાસ મહેતાનાં બહેન. સ્વ. વિનોદભાઈ, કનુભાઈ, સુરેન્દ્રભાઈનાં ભાભી 26મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 204 આશિયાના કો-હાઉસિંગ સોસાયટી, બોન બોન, નિયર વર્સોવા મેટ્રો સ્ટેશન, 7 બંગલોઝ, અંધેરી (પ.).

 

દશા શ્રીમાળી વણિક

અ.સૌ. ભદ્રિકાબેન (ઉં. 72). તે મહેન્દ્રભાઈ નવનીતલાલ દલાલનાં પત્ની. સ્વ. દેવેન્દ્ર, સ્વ. રાજેન્દ્ર (શ્યામભાઈ), સ્વ. કિશોર, રવિન્દ્ર, હરેન્દ્ર, હંસા રણજીત પરીખ, નરેન્દ્ર, પલ્લવી વિનય શાહ, દિપકનાં ભાભી. પિયર પક્ષે ગં.સ્વ. સુશીલાબેન સુંદરલાલ મોદીનાં પુત્રી. સુનીલભાઈનાં બહેન. જાસ્મીન બહેનનાં નણંદ ગુરુવાર 25મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 27મીએ શનિવારે સાંજે 5થી 7. ઠે.: લક્ષ્મીનારાયણ મંદિર, માધવબાગ એ.સી. હૉલ, સી.પી. ટેન્ક સર્કલ, મુંબઈ-4.

 

મારૂ સોની

મુંબઈના અરૂણભાઈ ઝવેરી (ઉં. 68) 25મીને ગુરવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રમાબેન રમણિકલાલના પુત્ર. રૂપલબેનના પતિ. ફ્રેનીલ, અનુષ્કાના પિતા. સ્વ. ભરતભાઈ રેખાબેન, દેવીબેન, કુસુમબેન, પ્રીતીબેનના ભાઈ. પ્રમીલાબેન પ્રમોદભાઈ મિત્રીના જમાઈ. પ્રાર્થનાસભા 27મીને સાંજે 4થી 6. ઠે.: માટુંગા મું. 19.

 

હાલાઈ લોહાણા

કુર્લાના તારામતી ભગવાનદાસ વિઠલાણી (ઉં. 83). તે લક્ષ્મીબેન ભગવાનદાસ વિઠલાણીનાં પુત્રી. વિજયકુમાર હરીદાસ ગણાત્રાનાં માતા. દક્ષાબેનનાં સાસુ. શિવાંગ, તેજસ અમન અગ્રવાલના દાદી 25મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.