• મંગળવાર, 14 એપ્રિલ, 2026
મારણ નોંધ
હિન્દુ મરણ

મેઘવાળ 

કેસરબાઈ ચૌહાણ (ઉં. 71) 4થીને શનિવારે અવસાન પામ્યાં છે. તે સ્વ. મૂળજીભાઈ ગાવિંદભાઈ ચૌહાણના પત્ની. પ્રદીપભાઈ, જેસીંગ, અશોક, જ્યોતિ, સચિનના માતા. દીના, જયા, રૂપા સચિન મારૂના સાસુ. સ્વ. માલીબેન સ્વ. નથુભાઈ મેઘા કોળીના દીકરી. બારમું 14મીને મંગળવારે સાંજે 5. ઠે.: એ-2 નવરંગ હા સો., સામંત રાઠોડ માર્ગ, તુલસી વાડી, મું-34.

 

હિન્દુ

મઉ કચ્છના સ્વ. ગાવિંદજી ડુંગરશી દૈયા. ગં.સ્વ. હંસાબેનના પતિ. અનિતા રાજેશ ધેરાઈ, જયેશ, કવિતા કલ્પેશ કોઠારીના પિતા. કૃષ્ણા જયેશ દૈયાના સસરા.  પ્રતીક, વરુણ, મિત રાજેશ ઘેરાઈ, અરિજિત, મીરા કલ્પેશ કોઠારીના દાદા-નાના. સ્વ. કિશોરભાઈ, સ્વ. પ્રતાપભાઈના ભાઈ. સ્વ. દમયંતી કરસનદાસ ચોથાનીના જમાઈ 11મીએ સ્વર્ગસ્થ પામ્યા છે. પ્રાર્થના સભા  13મીએ સાંજે 4થી 5. ઠે.: શિવ ગણેશ મંદિર, આહિંસા નગર, ઔરંગાબાદ. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા  

રેહા મોટા (ગુરૂજીવાળા)ના રમેશચંદ્ર પોપટ (ઉં. 89) 9મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. રૂક્ષ્મણીબેન ત્રીકમજી સુંદરજી પોપટના પુત્ર. સ્વ. જાદવજી મૂલજી કતીરાના જમાઈ. લીલાવંતીબેન (બેબીબેન)ના પતિ. અલકાબેન પંકજભાઈ દનાણી, હેમંત, શિતલબેન હેમંતભાઈ માણેકના પિતા. ગં.સ્વ. સરસ્વતીબેન ચત્રભુજ મજેઠીયા, ગં.સ્વ. ગોદાવરીબેન તુલસીદાસ રૂપારેલ, લતાબેન (સ્મિતાબેન) સુરેશકુમાર કારીયા, મહેશભાઈ, ભારતીબેનના ભાઈ. પ્રાર્થનાસભા સોમવાર, 13મીએ સાંજે 5.30થી 7. ઠે.: પદ્માવતી બેન્કવેટ હોલ, પાંચમે માળે,પ્રણવ કોમર્શિયલ પ્લાઝા, શિવસેના ઓફિસની ઉપર, મહાત્મા ગાંધી રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે. 

 

કપોળ

રાજુલાવાળા સ્વ. ભાનુમતી પ્રાણલાલ ભુતાના પુત્રી વર્ષા (ઉં. 74). તે ભરતભાઈ, હેમાંગીની દેસાઈ, હીના મણીયાર, પારુલ પરીખના બેન. પ્રવીણાના નણંદ. નીરવ-ગીતાના ફઈ. રીઆના-રીવાનના દાદીફઈ 11મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ફોર્ટ-સોનગઢવાળા સ્વ. કાંતાબેન ખુશમનલાલ મહેતાના પુત્ર જીતેન્દ્રભાઈ (જીતુભાઈ) (ઉં. 79) 11મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે જ્યોતિબેનના પતિ. નિશીતા મધુકર શાહ, માધવી સમીર ભૂતા, મિતલના પિતા. સ્વ. જગદીશભાઈ, સ્વ. યોગેશભાઈ, સ્વ. ગાર્ગીબેન, ગીતાબેન બિપીનચંદ્ર વોરા, સુજનભાઈના ભાઈ. દુર્લભદાસ ગોકળદાસના જમાઈ. પ્રાર્થનાસભા 16મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: બોરીવલી, કપોળ વાડી (પૂ.). લૌ. પ્રથા બંધ છે.

 

કચ્છી દશા મોઢ માંડલિયા

નરેન્દ્રભાઈ કાંતિલાલ મહેતા (ઉં. 75). તે હંસાબેનના પતિ. તેજસ, દેવેનના પિતા. અશ્વિન, ભરત, બકુલ, મીલન સુરેશકુમાર સોલંકી, પ્રજ્ઞા અજયકુમાર શાહ, મીના ધીરેન મહેતાના ભાઈ. મોના, વૈશાલીના સસરા. સ્વ. નાથાલાલ નાનજી દેસાઈના જમાઈ. શનિવાર, 11મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

પંચાલ

પાટણ)ના નિરૂપમાબેન પંચાલ (ઉં. 70) 10મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે ભોગીલાલ કેશવલાલ પંચાલના પત્ની. ચંદ્રેશ, ચેતન યોગીતના માતા. હિતેનકુમારના સાસુ. વિનોદ ઉત્તમચંદ પંચાલના બહેન. બન્ને પક્ષનું બેસણું 13મીએ સાંજે 4થી 7. ઠે.: સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ ટ્રસ્ટ, 3જા કુંભારવાડામાં રાખી છે.

 

ઘોઘારી મોઢ વણિક

રાજકોટના ગં.સ્વ. ગુણવંતી અડાલજા (ઉં. 80) 8મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. નરેન્દ્રભાઈના પત્ની. સૂર્યકાંતા જયંતીલાલ વોરાનાં પુત્રવધૂ. સ્વ. મથુરીબેન શિવલાલભાઈ પારેખનાં પુત્રી. ચેતન, સ્વ. જતીનના માતા. સ્વ. ઉષાબેન, સ્વ. જ્યોતિબેન, મીરાબેન, મુકેશભાઈ, દિવ્યેશભાઈના ભાભી. લૌ. વ્ય. બંધ છે.

 

વીસા લાડ  

કાંદિવલીના શૈલેષભાઈ (ઉં. 73). તે સ્વ. ઉર્મિલાબેન તથા સ્વ. રવીન્દ્રભાઈ છોટાલાલ દેસાઈના પુત્ર. સ્વ. ઉષાબેનના પતિ. કુણાલના પિતા. દીક્ષિતાના સસરા. હિનલના દાદા 9મીએ શ્રીજીશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

કપડવંજ દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક  

મુંબઈના ઉષાબેન દાણી (ઉં. 80) 8મીને બુધવારે  શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. પ્રફુલભાઈના પત્ની. સ્વ. પૂનમચંદ અને સ્વ. લીલાવતીબહેન શાહના પુત્રી. સ્વ. ગોરધનદાસ અને સ્વ. હસુબેનના પુત્રવધૂ. રસેશ, બિંદુ, નિકુંજ, સૌરભના માતા. સ્વ. મુકુંદભાઈ, સ્વ. સુશીલાબહેન, સ્વ. રમેશભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. હરીશભાઈ, સ્વ. જશવંતભાઈના બહેન. લૌ. પ્રથા બંધ છે.

જૈન મરણ

કવીઓ જૈન

ગોધરાના ઝવેરચંદ દેઢિયા (ઉં. 86) 11મીએ અવસાન પામ્યા છે. તે રતનબેન દેવજી હીરજીના પુત્ર. નિર્મળાબેનના પતિ. સંસાર પક્ષે પૂ. માર્ગભૂષણવિજયજી મ.સા., અશોક, સરિતાના પિતા. આણંદજી, પાનબાઈના ભાઈ. કસ્તુરબેન કુંવરજી જેઠાભાઈના જમાઈ. પ્રા.: શ્રી માટુંગા જૈન આરાધના ભવન, શ્રી સુમતિનાથ જિનાલય, 5મો માળ, નાથાલાલ પારેખ માર્ગ, કિંગ સર્કલ, માટુંગા (સે.રે.) ટા.: 3થી 5.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન 

સરધારના સ્વ. સુશીલાબેન પ્રમેશચંદ્ર કાંતિલાલ ગાંધીના પુત્ર નિમેષ (ઉં.59). તે દિપ્તીના પતિ. જેવિનના પિતા. સ્વ. પારૂ-મહેશભાઈ, ચારૂ-યોગેશભાઈ, મયુરી-ધીરેન, સોનલ-વિનોદના ભાઈ. નીલાબેન રમેશચંદ્ર શાહના જમાઈ શનિવાર, 11મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. 

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ખાંભાના મંગળાબેન દોશી (ઉં. 84) 11મીને શનિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. કાંતિલાલ પાનાચંદ દોશીના પત્ની. સ્વ. નીતિનભાઈ, યોગેશભાઈ, ભાવેશભાઈ, સ્વ. કવિતાબેન કિરીટકુમાર અજમેરા, સ્વ. નંદાબેન મનીષકુમાર મહેતા, હેતલબેન નિલેશકુમાર રાઠોડના માતા. સુનિતાબેન, હર્ષાબેન, જયશ્રીબેનના સાસુ. નિર્મલ-પૂજા, ઋષભ-ભૂમિકા, પંક્તિ-પારસ, મેઘા-નીરવ, ફોરમ-મહેક, વિરાજ-ડોલી, યશના દાદી. પ્રયાન, સ્વરા, વીર, હિવા, રુહી, રાજવીર, યુવરાજના પરદાદી. પ્રાર્થનાસભા/માતૃ વંદના મંગળવાર, 14મીએ સવારે 10થી 12. ઠે.: આંગન બેન્ક્વેટ હૉલ, કેન્ટ ટાવર, ટીપીએસ રોડ, ફેક્ટરી લેન, લઘુબંધુ જ્વેલર્સની ઉપર, બોરીવલી (પ.).

 

ઝાલવાડી દિગંબર મુમુક્ષ જૈન 

થાનના સ્વ. રમેશચંદ્ર કસ્તુરચંદ દોઢીવાળાના પત્ની ભાનુબેન (ઉં. 82) 11મીએ અવસાન પામ્યાં છે. તે બીના પિયુષભાઇ શાહ, હિના સુધીરભાઈ શેઠ, રીના અલ્પેશ શાહ, સીમા જીતેન્દ્ર ગાંધીના માતા. અવલ મિતિ, ફોરમ, પ્રણવ, રિમિના નાની. ચંપાબેન કસ્તુરચંદ દોઢીવાળાના પુત્રવધૂ. મરઘાબેન હિંમતલાલ ડગલીના દીકરી. લૌ. વ્ય. બંધ છે. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
હેડલાઇન્સ