• મંગળવાર, 03 માર્ચ, 2026
મારણ નોંધ
હિન્દુ મરણ

શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસો બ્રાહ્મણ

હોઈદડના ગં.સ્વ. ચંદ્રિકાબેન બધેકા (ઉં. 85). તે અ.નિ. ચંદ્રશંકર નાનજીભાઈ બધેકાના પત્ની. યોગેશભાઈ, દીપકભાઈ, મીનાક્ષીબેન અનિલકુમાર ભટ્ટ, ઉષાબેન યોગેશકુમાર દવે, રેખાબેન હિતેશકુમાર પંડ્યાના માતા. મહેશ્વરી, માયાના સાસુ. રાધિકા રિશી, સિદ્ધિ, નિરાલી, શિવાંગ ના દાદી. અ.નિ. દેવકુંવરબેન ભવાનીશંકર જોષીના દીકરી 28મીને શનિવારે અક્ષર નિવાસી પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 2મીને સોમવારે સાંજે 4થી 6. ઠે.: અમૃતબાગ જોષી હોસ્પિટલની નીચે, રેલવે સ્ટેશનની સામે, વિરાટ (પ.).

 

હાલાઈ ભાટિયા

ગં.સ્વ. ભાનુમતી બિપીન નેગાંધી (ઉં. 91). તે સ્વ. હીરજી ગોરધનદાસ આશરના પુત્રી. સ્વ. બિપિન જીવણદાસ નેગાંધીના પત્ની. નરેન્દ્ર, મિતેશ, પૂનમ ઉદય, કલ્પના પરેશ, સ્વાતિ સંતોષના માતા. રેનુ, હેમાના સાસુ. જુતિકા, સ્વ. ટીના, ખુશ્બુ, રાહુલના નાની 27મીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા સોમવાર, 2જીએ સાંજે 5થી 6.30. ઠે.: ભાટિયા ભાગીરથી હૉલ, દાદી શેઠ અગિયારી લેન, મુંબઈ-2. લૌ. વ્ય. બંધ છે.

 

લુહાર સુથાર 

પાંચ તલાવડાના બટુકભાઈ મેઘજીભાઈ મકવાણા (ઉં. 79) 28મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે મંગળાબેનના પતિ. હરિભાઈ જીવરાજભાઈ મકવાણાના કાકા. દિલીપભાઈ, મહેશભાઈ, રેખાબેન રમેશભાઈ રાઠોડના પિતા. ત્રિભોવનભાઈ નારણદાસ પરમારના જમાઈ. પ્રાર્થનાસભા 2જીને સોમવારે સાંજે 5થી 7. ઠે.: લુહાર સુથાર વેલફેર સેન્ટર, આંબા માતાજી મંદિરની બાજુમાં, કાર્ટર રોડ નંબર ત્રણ, બોરીવલી (પૂ.). 

 

જુઠાણી દશા શ્રીમાળી વણિક 

માળીયા હાટીના ગં.સ્વ. ઉર્મિલા કિશોરચંદ્ર જુઠાણી (ઉં. 73). તે સ્વ. કિશોરચંદ્ર હરકિશનદાસ જુઠાણીના પત્ની. દીપા ભાવિન પારેખ, હિતેશ, તુષારના માતા. સ્વ. ગુલાબબેન ગોરધનદાસ ઘોડાઘ્રાણીની પુત્રી. બીના રમેશ જુઠાણીના જેઠાણી. સ્વ. કંચનમણી અરુણચંદ્ર અડોદરા, તરૂલત્તા શશીકાંત મજિદિયા, કલ્પના કિરીટ દોશીના ભાભી 28મીને શનિવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 5મીને ગુરુવારે સાંજે 3.30થી 5.30. ઠે.: શ્રી સ્વામિનારાયણ મંદિર, 90 ફીટ રોડ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ.).

 

નવગામ વીસા દિશાવાળ વૈષ્ણવ

બાલીસણાના ગં.સ્વ. રસીલાબેન બાલકૃષ્ણ ખેમચંદ શાહ (ઉં. 73) શનિવાર, 28મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. જશોદાબેન ગોરધનદાસ નાથાલાલ  શાહના દિકરી. જાગૃતિબેન ચેતનકુમાર મોદી, ભાવેશાબેન અલ્પેશકુમાર શાહના માતા. ચેતનકુમાર જીતેન્દ્રભાઈ મોદી, અલ્પેશકુમાર હર્ષદભાઈ શાહના સાસુ. કિંજલ દેવલકુમાર મોદી, દિશા, દર્શિલ, દર્શિના નાની. નીતાબેન નલીનભાઈ શાહના બેન. લૌ. વ્ય. બંધ છે.

જૈન મરણ

ઝાલાવાડી સ્થા. વીસા શ્રીમાળી જૈન

જોરાવરનગરના સ્વ. તારાબેન જયંતિલાલ દોશીના પુત્રવધૂ જશ્મીના (ઉં. 67). તે ઉદયભાઈના પત્ની. નિકીતા સાગરભાઈ શાહ, જીનલ કુલદીપ મોરેના માતા. જ્યોતિબેન ચેતનકુમાર ગાંધી, હર્ષાબેન કાંતિલાલ ગાંધી, મીનાબેન અલ્પેશભાઈ શાહ, મીરાબેન ભદ્રેશભાઈ વોરા, રાજુભાઈના ભાભી. સ્વ. રસીલાબેન હિંમતલાલ શાહના પુત્રી. મહેશભાઈ રાજેશભાઈ, પૂર્ણાબેન, નીનીબેનના બેન 27મીને શુક્રવારે અરિહંતશરણ પામ્યાં છે. ચક્ષુદાન કર્યું છે. પ્રાર્થનાસભા 2જીને સોમવારે સાંજે 5થી 6.30. ઠે.: લાયન્સ કમ્યુનિટી હૉલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ.).

 

સુરત વીસા ઓસ્વાલ મૂર્તિપૂજક જ્ઞાતિ

આશાબેન જવેરી (ઉં. 76) 28મીને શનિવારે દેવલોક પામ્યાં છે. તે સ્વ. ઇન્દિરાબેન સુમતિચંદ જવેરીના પુત્રવધૂ. સ્વ. શૈલેષભાઈના પત્ની. સ્વ. માલવિકાબેન દિલીપભાઈ વકીલ, માયાબેન સુભાષભાઈ વકીલ, શરદભાઈ-ભાવનાબેન જવેરીના ભાભી. સમિત-પાયલ, રચના-મહુલભાઈના કાકી. સ્વ. ઇન્દિરાબેન શાંતિચંદ જવેરીના પુત્રી.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

રાજકોટના દીનાબેન ઉદાણી (ઉં. 77) શનિવાર, 28મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે નલીનભાઈ લક્ષ્મીચંદ ઉદાણીના પત્ની. હિરેન, હિતેશના માતા. હેતલબેન, નિકિતાબેનના સાસુ. તનિષ્કા, હિત, ત્વિશાના દાદી. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડ શ્વેતાંબર મૂર્તિપૂજક વીસા શ્રીમાળી જૈન  

બગડના ગં.સ્વ. લતાબેન બારભાયા (ઉં. 62) 28મીને શનિવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રતિકભાઈ, જીમિતભાઈના માતા. સ્વ. મહેશભાઈ બારભાયાના પત્ની. હરેશભાઈ, અશોકભાઈ, સ્વ. શરદભાઈ, ધીરેન્દ્રભાઈ, સ્વ. કિરણભાઈ, હિતેન્દ્રભાઈ, હેમેન્દ્રભાઈના ભાભી. નિર્મલાબેન રમણીકલાલ કિરચંદ શાહના પુત્રી. દીપક રમણીકલાલ, રશ્મી, માલા, જયશ્રી, નીલાના બેન.  લૌ. વ્ય. બંધ છે.

 

કવીઓ જૈન

ભુજપુરના મોનજી દેઢિયા (ઉં. 87) 27મીએ અવસાન પામ્યા છે. તે મેધબાઈ વેલજી ભારમલ દેઢિયાના પુત્ર. રૂક્ષ્મણીબેનના પતિ. રતનબેન રામજી પાલણ છેડાના જમાઈ. ખીંયશી, રતનબેન, હેમકુંવર (હંસા)ના ભાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: વિમળાબેન રામજી છેડા, ઓતરો ફરીયો, બિદડા. 

 

ગેલડાના કલ્યાણજી વોરા (ઉં. 81) 28મીએ અવસાન પામ્યા છે. તે રાજબાઈ લખમશીના પુત્ર. પ્રભાબેનના પતિ. જયેશ, ઉમેશના પિતા. નાનજી, ગણપત, મણીબેન પ્રેમજી, લીલાવંતી મણીલાલના ભાઈ. કેસરબેન દામજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ઠે.: ઉમેશ વોરા, 202, મનીષા ઈલાઈટ, પી. કે. રોડ, મુલુંડ-80. 

 

ગઢશીશાના નિર્મલ વીસરીયા (ઉં. 71) 27મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે લક્ષ્મીબાઈ વેરશી ગંગરના પુત્રી. પ્રદીપના પત્ની. સાકરબાઈ લક્ષ્મીચંદ વીસરીયાના પુત્રવધૂ. સમીર, ભક્તિ, ખ્યાતિ, ધૃતિના મમ્મી. પ્રાર્થના રાખી નથી. નિ.: સમીર પ્રદિપ વિસરીયા, એસ જી કોમ્પ્લેક્સ, કુતબીગુડા, હૈદરાબાદ.

 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો
હેડલાઇન્સ