• શુક્રવાર, 24 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

દરિયાપુરી સંપ્રદાયના આચાર્ય ભગવંત બા.બ્ર..પૂ.વિરેન્દ્રમુનિજી .સા.ના આજ્ઞાનુવર્તીની .પૂ. હંસાબાઈ ..ના સુશિષ્યા બા.બ્ર..પૂ. હર્ષાબાઈ .. (ઉં. 84) 19મીએ રવિવારે કાળધર્મ પામ્યા છે. તે સંસાર પક્ષે રામાણિયાના જીવીબેન ઉમરશી સાવલાના પુત્રી. દામજી, ધનજી, ટોકરશી, લક્ષ્મી શામજી ગાલા, હેમલતા કુંવરજી શાહ, મીના રાયચંદ ગોગરી, તારા રમેશ દેઢીયા, ઝવેર નવીન મામણિયાના બેન

 

ફરાદીના સુંદરબેન દેઢિયા (ઉં. 90) 21મીએ અવસાન પામ્યા છે. તે પાનબાઈ વેલજીના પુત્રવધુ. ખીમજીભાઈના પત્ની. પાંચીબાઈ ખીમજી મારુના પુત્રી. પ્રવિણ, રંજન, સરલા, પ્રિતીના માતા. હીરજી, વલ્લભજી, જેઠાલાલ, તલકશી, સાકરબેન, લક્ષ્મીબેન, તારાબેનના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: પ્રવિણ દેઢિયા, 2104, બી વિંગ, 21મો માળો, ભવ્ય સુપ્રિમ, કોટક બેંકની ઉપર, પરેલ વિલેજ, મું.-12. 

 

નવાવાસના દિનેશ મોતા (ઉં. 68) 20મીએ અવસાન પામ્યા છે. તે ભગવતી નેમચંદના પુત્ર. અરૂણાના પતિ. જાગૃતિ, જય, રાજના પિતા. નલીની, હરીશ, દિપકના ભાઇ. મોંઘીબાઇ હીરજીના જમાઇ. પ્રા.: કરસન લધુ નિસર હોલ, દાદર (પૂ.). 2થી 3.30. 

 

બિદડા (..)નાં સુભાષ પોલડીયા (ઉં. 73) 20મીએ અવસાન પામ્યા છે. તે સ્વ. મણીબેન પ્રેમજી લાલજીના પુત્ર. સ્વ. હર્ષાના પતિ. ચિરાગ, નેહલના પિતા. હરખચંદ, મુલચંદ, રમેશ, ધીરજના ભાઇ. મંજુલા ખીમજીના જમાઇ. પ્રાર્થના રાખી નથી. નિ.: ચિરાગ પોલડીયા, કે-35, ડી. એલ. જૈન ચાલ, ડો. બી. . રોડ, ચીંચપોકલી, મું.-12. 

 

ગુંદાલાના આશાબેન બોયડ (ઉં. 78) 20મીએ અવસાન પામ્યા છે. તે પુરબાઈ શીવજી લાલજી ના પુત્રવધુ. કલ્યાણજીભાઈના પત્ની. પિયુષ, પ્રીતિ, વર્ષા (લીના)ના માતા. મણીબાઈ દામજીના પુત્રી. નવિન, બિપીન, વર્ષાબેન, પુષ્પાબેનના બેન. પ્રા.: કરશન લધુ નિસર હોલ, દાદર (.). 4થી 5.30. ચક્ષુદાન-ત્વચાદાન કર્યું છે.

 

તલવાણાના .સૌ. કસ્તુરબેન પોલડીયા (ઉં. 74) 20મીએ અવસાન પામ્યા છે. તે ખેતબાઈ માવજી ચાંપશીના પુત્રવધુ. મનસુખલાલના પત્ની. જ્યોતિ, આશા, અમરના માતા. ભમીબાઈ પોપટલાલ વીરજી મામણીયાના પુત્રી. સ્વ. લહેરચંદ, સ્વ. ખુશાલના બેન. પ્રા.: કરસન લધુ નિસર હોલ, દાદર (.). 12થી 1.30.

 

કપાયાના નાનબાઈ મારૂ (ઉં. 94) 20મીએ અવસાન પામ્યા છે. તે મેઘજીના પત્ની. વેલબાઈ માલશી રતુના પુત્રવધુ. અરાવિંદ, નિતીન, કીર્તિ, નિર્મળા, ગુણવંતી, સં.. પ્રફુલ્લાબાઈ ..ના માતા. કુંવરબાઈ વીરજી નથુના પુત્રી. કાનજી, ભવાનજી, લક્ષ્મીબેન, સુંદરબેન વેરશીના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: નિતીન મારૂ / કીર્તિ મારૂ. 1301/1202, માઈકલ એન્કલેવ, પી. કે. રોડ, મુલુંડ (.).

 

ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ધાંગધ્રાના રસીકલાલ ન્યાલચંદ શાહનાં પત્ની . સૌ. સ્નેહલતાબેન (ઉં. 93). તે પિયુષ- સ્વ. જયશ્રીબેન, નિશી- ભાસ્કરભાઈ, સ્વાતી- મયંકભાઈનાં માતા. દર્શિત-જયના, યાહવી, મેઘાનાં દાદી-નાની. પિયર પક્ષે સ્વ. ગુલાબચંદ માણેકચંદ જોબાલીયાનાં પુત્રી. સ્વ. જયંતીભાઈ, સ્વ. કાંતાબેન, સ્વ. કુસુમબેન, ભાનુબેન, સ્વ. સરોજબેન, ધીમંતભાઈનાં બહેન. મંગળવાર 21મીએ અરિહંતશરણ પામ્યાં છે. બન્ને પક્ષે લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી દેરાવાસી જૈન

જૂનાગઢના જયંતીલાલ હરખચંદ દોશી (ઉં. 92). તે સ્વ. ભાનુબેનના પતિ. જસ્મીનાના પિતા. દિનેશભાઈ શાહના સસરા 20મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મયાચંદભાઈ, સ્વ. મનસુખભાઈ, સ્વ. શાન્તાબેન, સ્વ. જશવંતીબેન, સ્વ. મહેન્દ્રભાઈના ભાઈ. પરમાણંદ મકનજી શેઠના જમાઈ. ગિરનાર ભાવયાત્રા કોલ્હાપુર મુકામે 23મીને ગુરુવારે રાખી છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઝાલાવાડ દશા શ્રીમાળી શ્વે. મૂર્તિપૂજક જૈન

વઢવાણના નિર્મળાબેન કોઠારી (ઉં. 96) બુધવાર 22મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. ચંપકલાલ લાલચંદ કોઠારીનાં પત્ની. કંચનબેન ભોગીલાલ ઝવેરીનાં દીકરી. વિરેન્દ્ર-વંદના, અતુલ-વર્ષા, મીના-કિર્તીકુમાર, રીટા-કેતનકુમારનાં માતા-સાસુ. સ્વ. અરવિંદભાઈ, સ્વ. કનુભાઈ, બિપીનભાઈ, સ્વ. નલિનીબેન, સ્વ. દમયંતીબેનનાં બેન. પ્રાર્થનાસભા-લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

અનાવિલ બ્રાહ્મણ 

હેમંતભાઈ દેસાઈ (ઉં. 69) 21મીએ અવસાન પામ્યા છે. તે જયંતીલાલ દેસાઈના પુત્ર. જયશ્રીના પતિ. ચાંદની ચિરાગ મિસ્ત્રીના પિતા. યંશના નાના. શૈલેષભાઈ, સ્વ. પંકજભાઈના ભાઈ. પ્રાર્થના સભા 24મીએ શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: ગ્રીન રીજ ટાવર-2, ક્લબ હાઉસ, ચીકુવાડી, લીંક રોડ, સિમ્ફોલી સ્ટેશનની પાછળ, બોરીવલી (.). 

 

હાલાઈ સારસ્વત બ્રાહ્મણ 

કેશોદના ગં.સ્વ. ભાનુમતી સાતા. તે સ્વ. વ્રજલાલ મથુરાદાસ ચટ્ટ તથા સ્વ. લીલાવંતીબેન ચટ્ટના પુત્રી. સ્વ. નિરંજન અમૃતલાલ સાતાના પત્ની. સ્વ. નવીનભાઈ, સ્વ. અશ્વીનભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ ચટ્ટ, સુશીલાબેન ગીરજાશંકર પાઠકના બહેન, શાર્દુલ, અદિતિ પ્રચ્છકના માતા. સંધ્યા, પરિમલ પ્રચ્છકના સાસુ. 21મીએ મંગળવારે ગોલોકવાસ પામ્યા છે. પ્રાર્થના સભા 23મીએ ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ (મોટા ઉપાશ્રય), પારેખ લેન કોર્નર, સેન્ટ્રલ બેંકની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (.).

 

પરજિયા સોની 

મોવાણવાળા ગં.સ્વ. પુષ્પાબેન ધકાણ (ઉં. 78). તે સ્વ. નટવરલાલ દામજીભાઈ ધકાણનાં પત્ની. ભરતભાઈ, સચિનભાઈ, કિરણબેન, ગીતાબેનનાં માતા. વર્ષાબેન, દીપલબેન, વિરેનભાઈ, રાજનભાઈનાં સાસુ. પિયરપક્ષે સ્વ. ગોકળદાસ ખીમજીભાઈ ઘઘડાનાં દીકરી 19મીને રવિવારે શ્રીજીશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 23મીએ સાંજે 4થી 6. ઠે.: સોનીવાડી, વી. વી. હોલ, શિમ્પોલી, બોરીવલી.

 

ઇડર ઔદીચ્ય પિસ્તાલીસ જ્ઞાતિ 

બ્રહ્મપુરીના સ્વ. મહેન્દ્રભાઈ ઉમિયાશંકર વ્યાસ તથા સ્વ. દક્ષાબેનના પુત્ર પરેશભાઈ (ઉં. 44) 18મીએ કૈલાશવાસ પામ્યા છે. તે માન્યના પિતા. પ્રિતી ધર્મેન્દ્ર ત્રિવેદી, જાગૃતિ રોનક જાની, દેવાંગ, વિશાલ કપિલના ભાઈ. ધૃતિ શાહ, કાવ્યના મામા. કીર્તિભાઈ, અતુલભાઈ રાજેશભાઈ ભાનુપ્રસાદ ઠાકરના ભાણેજ. પ્રાર્થનાસભા 23મીએ 5થી 7. ઠે.: સોની વાડી, શીમ્પોલી સિગ્નલ, એસ. વી. રોડ બોરીવલી (.).

 

દમણિયા દરજી

દમણના સ્વ. હંસાબેન તથા સ્વ. જયંતિલાલ છગનલાલના પુત્ર ભરતભાઈ દમણિયા (ઉં. 63) શુક્રવાર, 17મીએ શ્રીરામશરણ પામ્યા છે. તે ગીતાબેનના પતિ. હાર્દિકના પિતા. કિરણ, નરેન્દ્ર, સ્વ. હિરાલાલ, મહેશના ભાઈ. સ્વ. વિજયાલક્ષ્મી તથા સ્વ. બાલકૃષ્ણ મંછારામ દમણિયાના જમાઈ. પ્રાર્થનાસભા રવિવાર, 26મીએ સાંજે 4થી 6. ઠે.: વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ લેન કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (.).

 

ઘોઘારી મોઢ વાણિક

ભાવનગરના મુકેશભાઈ દેસાઈ (ઉં. 68) 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નિર્મલાબેન જયંતીલાલ દેસાઈના પુત્ર. સ્વ. હીરાલક્ષ્મી ભગવાનદાસ મણિયારના જમાઈ. સ્વ. રૂપાબેન (મૃદુલાબેન)ના પતિ. પ્રિયંકાના પિતા. અશોકભાઈ, લૈલાબેન, ઉમાબેન, નીનાબેનના ભાઈ. બન્ને પક્ષની પ્રાર્થનાસભા ગુરુવાર, 23મીએ સાંજે 5થી 7. ઠે.: મહારાજા અગ્રસેન ભવન , ત્રીજો માળ, સ્વામિનારાયણ મંદિરની ઉપર, 90 ફૂટ રોડ, ગરોડિયા નગર, ઘાટકોપર (પૂ.). લૌ. વ્ય. બંધ રહેશે.

 

ઘોઘારી મોઢ વણિક

બોટાદના સ્વ. જશવંત કેશવલાલ મહેતાનાં પત્ની ગં. સ્વ. તરુલતા (ઉં. 80) મંગળવાર 21મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. જગદીશભાઈ, નલીનભાઈ, માલતીબેન રમેશભાઈ પરીખ, સ્વ. નલિનીબેન જગદીશભાઈ, હર્ષદા નલીનભાઈનાં ભાભી. ચેતન, આશિતનાં માતા. શિલ્પા, રૂપાનાં સાસુ. સ્વ. શાંતાબેન પોપટલાલ શાહનાં દીકરી. પ્રાર્થનાસભા ગુરુવાર 23મીએ સાંજે 4થી 6. ઠે.: પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (.).

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક

તળાજાના સ્વ. નંદલાલ ગોકળદાસ ગાંધીના પુત્ર ધનસુખલાલ (ઉં. 89). તે રસીલાબેનના પતિ. હસમુખભાઈ, અરવિંદ, મહેશ, ભરત, માયા પ્રવિણચંદ્ર મોદી, રશ્મી મહેશકુમાર મહેતા, પ્રતીભા દીપકકુમાર દાણીના ભાઈ. શાંતિલાલ રાયચંદ દેસાઈના જમાઈ સોમવાર 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

લુહાર સુથાર 

ભાવનગરના દીપકભાઈ કવા (ઉં. 60) 20મીએ શ્રીરામચરણ પામ્યા છે. તે સ્વ. ભીખાલાલ તથા સ્વ. પુષ્પાબેનના દીકરા. ઈલાબેનના પતિ. ધનવીના પિતા. જગદીશભાઈ, ઉર્મિલાબેન મહેશકુમાર કારેલિયાના ભાઈ. સ્વ. સવજીભાઈ રામજીભાઈ ચુડાસમા તથા ગં સ્વ. વાસંતીબેનના જમાઈ. બંને પક્ષનું બેસણું 23મીએ સાંજે 5થી 7. ઠે.: લુહાર સુથાર વેલ્ફરે સેન્ટર, બોરીવલી. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ ભાટિયા

ગં.સ્વ. દમયંતીબેન (ઉં. 88). તે સ્વ. દિલીપભાઈ મંગલદાસ ઉદેશીનાં પત્ની. સ્વ. ગુણવંતીબેન ગોકુલદાસ નેગાંધીનાં પુત્રી. દિપક, પ્રકાશનાં માતા. ભૈરવી, દિપ્તીનાં સાસુ. ગં. સ્વ. રેખા રણછોડદાસ આસર, સ્વ. ધનીબેન બિપીનભાઈ ઠક્કરનાં બહેન 22મીને બુધવારે શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા શુક્રવાર 24મીએ સાંજે 4.30થી 6. ઠે.: આદિત્ય એલીગન્સ સોસાયટી, 5મે માળે, માટુંગા રોડ (.). લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

સ્વ. સુધીરભાઈ વલ્લભદાસ સોનેચાનાં પત્ની સુધાબેન (ઉં. 73) 19મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે પૂજા-કૃપાનાં માતા. અભિલાષ, કૃષ્ણનાં સાસુ. સ્વ. રેવાલાલ જયંતીલાલ રાજપોપટનાં દીકરી. સ્વ. હંસાબેન અરવિંદભાઈ સોનેચા, સ્વ. નીતાબેન દિલીપભાઈ સોનેચા, ગીતાબેન રાજેશકુમાર દાવડાનાં ભાભી. લૌ. વ્ય. બંધ છે.

 

દશા નાગર વણિક

સુરતના ભરતભાઈ જસવંતલાલ શેઠ (ઉં. 88) 20મીને સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તે હર્ષદાબેનના પતિ. સિદ્ધાર્થ શેઠના ભાઈ. પારૂલ, પિનાંકના પિતા. હેતલ, વિનયભાઈના સસરા. રોનિત, તનિષાના દાદા. પ્રાર્થનાસભા શનિવાર 25મીએ સાંજે 5થી 7. ઠે.: જલારામ હોલ, જોગર્સ પાર્ક સામે, એન. એસ. રોડ 6, હતકેશ સોસાયટી, જેવીપીડી સ્કીમ, વિલે પાર્લા (.).

 

કપોળ

ચાવંડના સ્વ. કાંતિલાલ રાઘવજી કાણકિયાનાં પત્ની ભાનુમતીબેન (ઉં. 94), મંગળવાર, 21મીએ શ્રીજીશરણ પામ્યાં છે. તે ગં.સ્વ. ભારતીબેન મુકેશભાઈ કાચરિયા, સ્વ. ભૂપેન્દ્રભાઈ, સ્વ. મુકેશભાઈ, દેવેન્દ્રભાઈ, સ્વ. મિપુલભાઈનાં માતા. ગં.સ્વ. દક્ષાબેન, સ્વ. હીનાબેન, હીરલબેન, ગં.સ્વ. પ્રીતિબેનનાં સાસુ. અંકિત, મીતા, આરતી, વિરાજ (કેવિન), ધ્રુવનાં દાદી. પિયર પક્ષે રામજી આણંદજી મહેતાનાં દીકરી. પ્રાર્થનાસભા રાખી નથી અને લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ગુંદરણના સ્વ. વિજયાબેન જયંતિલાલ કેશવજી સંઘવીના પુત્ર વિરેશ (ઉં. 69) 20મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નિશાના પતિ. ખુશ્બુ જાસ્મીન મહેતા, ગૌરવના પિતા. સ્વ. નીતિનભાઈ, ધર્મિષ્ઠા રવીન્દ્ર મહેતા, સુધા જીતેન્દ્ર મહેતા, લતા મુકેશ મહેતા, સંધ્યા અશોક મહેતાના ભાઈ. અમૃતલાલ લક્ષ્મીચંદ ભુવાના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

શિહોરવાળા ગં.સ્વ. ભારતીબેન ધિરેન્દ્ર જગમોહનદાસ મહેતા (ઉં. 78). તે ચેતન, નિમિષનાં માતા. ડિમ્પલ, મનીષાનાં સાસુ. પિયર પક્ષે સ્વ. વિઠ્ઠલભાઈ મગનલાલ કાણકિયાનાં દીકરી. રમેશભાઈ, બીપીનભાઈ, પ્રવિણભાઈ, પદ્માબેન હરકિસનદાસ દોશી, કુમુદબેન હિરાલાલ સંઘવી, ભાનુબેન રમેશચંદ્ર મહેતાનાં ભાભી. પુષ્પાબેન ભુવા, મંગુબેન પારેખ, જસુબેન મહેતા, ઈંદુબેન મહેતા, જ્યોતીબેન, મિનુબેન, દિપ્તીનાં બહેન. 21મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

હિન્દુ

સ્વ. પ્રભુદાસભાઈ હંસરાજભાઈ મશરૂના દીકરા સ્વ. કિરીટભાઈનાં પત્ની ભારતીબેન (ઉં. 71) 22મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે વૈભવ, શીતલનાં માતા. સિદ્ધીનાં સાસુ. વેદાંતનાં દાદી. પ્રાર્થનાસભા શુક્રવાર 24મીએ સાંજે 4થી 6. ઠે.: જી-1, સ્વામિની રેસિડેન્સી, એચડીએફસી બૅન્કની બાજુમાં, શાંતિ મંદિરની સામે, વાશી (.). 

સ્પોર્ટ્સ
વધુ વાંચો
હેડલાઇન્સ