• ગુરુવાર, 30 જુલાઈ, 2026
મારણ નોંધ
હિન્દુ મરણ

કપોળ 

સિહોરવાળા સ્વ. વિમળાબેન જીવરાજભાઈ સંઘવીના પુત્ર ભરતભાઈ (ઉં. 74). તે સ્વ. આશાબેનના પતિ. ચિરાગ, હેતલના પિતા. સ્વ. વાસંતીબેન હસમુખરાય મહેતા, સ્વ. મહેન્દ્રભાઈ - મધુકાંતાબેન, કિશોરભાઈ - ભાવનાબેન, હર્ષદાબેન જીતેન્દ્રભાઈ કરવત, સ્વ. મનોજભાઈ - રમાબેન સંઘવીના ભાઈ. રાકેશ-અંજલી, બેલા સંજય મહેતા, બીજલ ગૌતમ શાયરના કાકા 25મીને શનિવારે શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, 30મીએ સાંજે 5થી 7. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એસ. વી. રોડ, પારેખ લેન કોર્નર, કાંદીવલી (પ.). 

 

કોળી પટેલ

કોથાના સ્વ. બલ્લુભાઈ બાબુભાઈ પટેલના પત્ની ગં.સ્વ. સરોજબેન (ઉં. 66) રવિવાર, 26મીએ અવસાન પામ્યા છે. તે હિતેશ, પ્રજ્ઞેશના માતા. મનીષા, નિકીતાના સાસુ. સ્વ. રમેશભાઈ, રવિશંકરભાઈ, સુમનભાઈ, પ્રવિણભાઈ, નરેન્દ્રભાઈ (રાજુ), ગં.સ્વ. રમીલાબેન, મીનાબેન, સુશીલાબેન, કલાવતીબેનના ભાભી. જયશ્રીબેન, મીનાક્ષીબેન, સ્વ. જ્યોત્સનાબેન, નયનાબેન, યોગેશભાઈના બહેન. બન્ને પક્ષનું બેસણું ગુરુવાર, 30મીએ બપોરે 4થી 6. ઠે.: મુક્તિધામ, જોશી જાગીર હોલ (શાંતિધામ), સહાર રોડ, પારસી વાડા, અંધેરી (પૂ.). પુચ્છપાણી ગુરુવાર, 6ઠ્ઠીના બપોરે 3થી 5. ઠે.: સિદ્ધિસાઈ પ્રસાદ બિલ્ડિંગ, `બી' વિંગ, રૂમ નં. 704, સાઈવાડી, તેલી ગલ્લી, અંધેરી (પૂ.).

 

બ્રાહ્મણ

દીહોરના અ. નિ. ઇન્દુમતિ મહિપતરામ દવેના પુત્રી પૂર્ણિમા દવે 26મીએ અક્ષરવાસી પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

વીસા ખડાયતા

નડિયાદના આશ્વિ શાહ (ઉં. 17) 25મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે અક્ષય અને નેહાની દીકરી. સ્વ. કિરીટભાઈ અને ગીતાબેન શાહની પૌત્રી. ગોપાલભાઈ અને દીપ્તિબેન શાહની દોહિત્રી. વૈષ્વી શાહની બહેન. પ્રાર્થનાસભા 30મીને ગુરુવારે સાંજે 5થી 7. ઠે.: જલારામ હૉલ, શ્રી લોહાણા મહાજન વાડીની પાછળ, સરદાર પટેલ માર્ગ, કલ્યાણ (પ.).

 

બાલાસિનોર દશા નીમા વણિક

પરેશ શાહ (ઉં. 76) 26મીએ રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રસિકલાલ, સ્વ. શાંતાબેનના પુત્ર. પન્નાબેનના પતિ. પ્રતિમા, જીતુબાઈ, દીપ્તી મનોજભાઈના ભાઈ. સ્વ. ચંદ્રકાંતાબેન, સ્વ. કાંતિલાલના જમાઈ. સૂર્યબાળાબેન - રમેશચંદ્ર, લતાબેન - અજિતકુમાર, સ્વ. નરેન્દ્રભાઈ - સ્મિતા, પંકજ-રીટાના બનેવી. પ્રાર્થનાસભા ગુરુવાર, 30મીએ સાંજે 5થી 7. ઠે.: વનિતા વિશ્રામ, રીલાયન્સ હૉસ્પિટલની બાજુમાં. લૌ. વ્ય. બંધ છે.

 

દશા મેવાડા

મુંબઈના સ્વ. સુભદ્રાબેન તથા સ્વ. સન્મુખલાલ મહેતાના પુત્ર યોગેશભાઈ (ઉં. 82) તે સ્વ. ભારતીના પતિ. મિલાનના પિતા. સ્વ. અશોકભાઈ, સ્વ. સુલોચનાબેન, સ્વ. રમેશભાઈના ભાઈ. સ્વ. પુષ્પાબેન બળવંતરાય મણીલાલ મહેતાના જમાઈ 27મીના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી દશા દિશાવળ વણિક  

સનખડાના ચંદ્રકાંત ગીરધરલાલ કાનાણી (ઉં. 93). તે સ્વ. જ્યોતિબેનના પતિ. દેવેશ, બીનાના પિતા. બંસરી, વીરેન શાહના સસરા. ધ્રુવ, પાયલના દાદા. સાસરા પક્ષે સ્વ. શાંતિલાલ મોહનલાલ ઘીયાના જમાઈ 25મીએ શ્રીજીશરણ પામ્યા છે. સાદડી 30મીએ 4થી 6. ઠે.: ઓરા હૉટલ, બેન્કવેટ હોલ, ઉપરના માળે, બી/6 બ્રિન્દાવન એપાર્ટમેન્ટ, લિંક રોડ, યોગી નગરના જંક્શન, બોરીવલી (પ.).

જૈન મરણ

દશા શ્રીમાળી સ્થાનાક્વાસી જૈન 

બગસરાના સ્વ. ચંપાબેન ખુશાલદાસ મોદીના પુત્ર  વિજયભાઈ (ઉં.68) 26મીએ  અરિહંત શરણ પામ્યા છે. તે પારૂલબેનના પતિ. કીરણભાઇ, શોભનાબેન, મનીષાબેન, દીપ્તિબેનના ભાઈ.  પવનાબેનના જેઠ. ભવ્ય, ખુશીનાં જીપપ્પા. કમળાબેન રસિકલાલ પીપરીયાના જમાઈ. પ્રાર્થનાસભા 30મીએ ગુરુવારના રોજ સવારે 10 થી 12 કલાકે, આનંદમંગલ હોલ, બીજો માળ, હિંગવાલા ઉપાશ્રય, ઘાટકોપર. ચક્ષુદાન કર્યું છે. 

 

દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન

બોટાદ (કાનિયાડવાળા)ના જયદીપ શાહ (ઉં. 76) 26મીને રવિવારે અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મણીલાલ છોટાલાલ શાહના પુત્ર. કીર્તિદાબેનના પતિ. જગદીશભાઈ, સતીશભાઈ, સ્વ. વર્ષાબેન, નીલાબેનના ભાઈ. સ્વ. વિજિયાબેન ચંપકલાલ શાહના જમાઈ. કુનાલ-મનીષાના પિતા. લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ભાવનગરવાળા રમેશ નગીનદાસ શાહના પત્ની જાગૃતિબેન (જાસુદબેન) (ઉં. 83) 26મીએ રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે ઈપ્સિતના માતા. માનસી (માલા)ના સાસુ. પ્રવિણભાઈ, કલ્પના, પ્રતિભાબેન કિશોરભાઈ, રંજનબેન સુકેતુભાઈના ભાભી. પિયર પક્ષે સ્વ. રમણીકલાલ છોટાલાલ પારેખના પુત્રી. પ્રાર્થનાસભા ગુરુવાર, 30મીએ 4.30થી 6. ઠે.: ભારતીય વિદ્યા ભવન, ચૌપાટી.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ભંડારીયા (કામળીયા)ના સ્વ. મોહનલાલ રાયચંદ શાહના પુત્ર જયસુખલાલના પત્ની અનસુયાબેન (ઉં. 71) 26મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે મયુરી હિમાંશુ વેજાણી, જીગીશા જિનેશકુમાર શાહ, ધરા કરણકુમાર શાહના માતા. ચંદ્રકાંતભાઈ, કિશોરભાઈ, જયાબેન, પુષ્પાબેન, શારદાબેન, ભારતીબેનના ભાભી. પિયર પક્ષે ચુનીલાલ મગનલાલ દોશીના દીકરી. સાદડી 30મીએ ગુરુવારે બપોરે 3થી 5. ઠે.: એ-304, મહાવીર ગેલેક્ષી, ગણેશ સોસાયટી ઓફ જે. એન. રોડ, અપના બજાર પાસે, મુલુંડ (પ.).

 

ઝાલાવાડી વીસા શ્રીમાળી સ્થાનકવાસી જૈન  

વઢવાણના સ્વાતિબેન બિપીનભાઈ ધીરજલાલ શાહ (ઉં. 65) 25મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ઉમંગના માતા. હેનલના સાસુ. સ્વ. સુશીલાબેન જયંતીલાલ તુરખિયાના પુત્રી. સરોજબેન કિર્તીકુમાર શાહના દેરાણી. પરમ પૂજ્ય કરુણાબાઈ, રેખાબાઈ, ધર્મિષ્ઠાબાઈ, સિદ્ધિબાઈ મહાસતીજી, ઉષાબેન વિનોદભાઈ કોઠારી, સ્વ. સુરેખાબેન રમેશભાઈ સંઘવી, વર્ષાબેન કીર્તિભાઈ શાહના ભાભી. લૌ. વ્ય. તથા સાદડીની પ્રથા બંધ છે.

 

ઝાલાવાડી વીસા દેરાવાસી જૈન

બોટાદના સૂર્યકાન્ત કસ્તુરચંદ દેસાઈ (ઉં. 90) 25મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મંજુલાબેનના પતિ. પરેશ, રેનાના પિતા. કિરણબેન, ભાવેશકુમારના સસરા. સ્વ. લહેરચંદ શિવલાલ શાહના જમાઈ. નેહા, કેવલ, દેવના દાદા. બંને પક્ષની લૌ. વ્ય. બંધ છે.

 

કવિઓ જૈન

મોટા લાયજાના ગીરીશ છેડા (ઉં. 67) 26મીએ અવસાન પામ્યા છે. તે વેજબાઈ પોપટલાલના પુત્ર. ગુણવંતીના પતિ. ભાવિની, ચૈતાલી, અવનીના પિતા. વસંતલાલ, દિનેશ, જયાબેન ખુશાલ, વિમળાબેન ગાંગજીના ભાઈ. નેણબાઈ ઉમરશી સાલિયાના જમાઈ. પ્રા.: કરસન લધુ નિસર હૉલ, ટા. 2થી 3.30. 

 

ગુંદાલાના મીનાબેન પ્રેમજી છેડા (ઉં. 68) 25મીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. મુરીબાઈ વેલજી મોનાના પૌત્રી. લક્ષ્મીબેન પ્રેમજી વેલજી છેડાના પુત્રી. સ્વ. શાંતિલાલ, સ્વ. હેમકુંવર, સ્વ. અમૃતલાલ, સ્વ. કાંતીલાલના બહેન. સ્વ. ભચીબાઈ ખેતશી જીવરાજના દોહીત્રી. પ્રાર્થના રાખી નથી. નિ.: શકુંતલા છેડા, 46, સક્રિયા મંઝીલ, ડૉ. મહેશ્વરી રોડ, ડોંગરી, મું.-9.

 

ગુંદાલાના વશનજી સતરા (ઉં. 84) 26મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હીરબાઇ કુંવરજી વીરજીના પુત્ર. સ્વ. પુષ્પાના પતિ. મીના, તૃપ્તિ મનીષ, અતુલના પિતા. નાનબાઈ રામજી, કુંકુબાઈ લાલજી, દેમુબાઈ નાનજી, સંસાર પક્ષે લીં.અ.સં.પ.પૂ. કંચનબાઈ મહાસતીના ભાઈ. ભમીબાઈ નાનજી ભુલાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.: અતુલ વશનજી સતરા, આભાસ કોમ્પ્લેક્ષ, એ/302, મહેશ પાર્ક, તુલીંજ રોડ, નાલાસોપારા (પૂ.).

 

બિદડા (દ.ફ.)ના જ્યોતીબેન ગાલા (ઉં. 73) 26મીએ અવસાન પામ્યાં છે. તે ગંગાબેન રતનશી મેઘજીના પુત્રવધૂ. સ્વ. મુલચંદના પત્ની. દિપેશ, જીજ્ઞા, ભાવના, ભાવિનીના માતા. હીરબાઈ દામજી ચુનીલાલ છેડાના પુત્રી. નવિન, જીતેન્દ્ર, જગદીશ, અરાવિંદ, મધુબાલા અરાવિંદ ઠાકરશીના બેન. પ્રા.: શ્રી વ.સ્થા.જૈન શ્રા.સં.: કરશન લધુભાઈ નિસર હૉલ (દાદર). ટા. 4થી 5.30. 

 

ગોધરાના નવલ હરીયા (ઉં. 65) 27મીએ અવસાન પામ્યાં છે. તે મેઘબાઈ જેઠાલાલના પુત્રવધૂ. કિશોરના પત્ની. ભાવિકા, દર્શનના માતા. કેસરબેન નાગજીના પુત્રી. તારાચંદ, મણિલાલ, દામજી, મહેન્દ્ર, મોહન, જવેરચંદ, લક્ષ્મી, સાકરના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: દર્શન હરીયા, 204, મોડર્ન એપા. નં. ર, ગાર્ડન ગલ્લી, ઘાટકોપર (પ.). 

 

વડાલાના નાગજીભાઈ નિસર (ઉં. 91) 26મીએ અવસાન પામ્યા છે. તે વેજબાઈ દેવજી ધરમશીના પુત્ર. સ્વ. તારામતીબેન ના પતિ. કિરણ, જયેશ, વર્ષા, શીલા, શિલ્પા/ હીનાના પિતા. માવજી, વસનજી, મુલચંદ, સૂર્યકાંત, મણીબેન, ઝવેરબેન, શાંતાબેનના ભાઈ. ગોમીબાઈ ઉમરશી ના જમાઈ. પ્રા.: શ્રી હાલારી વીસા ઓસવાલ સમાજ, રણજીત સ્ટુડીયોની સામે, દાદર (પૂ.). ટા. 3.30થી 5.

 

કોટડી મહાદેવપુરીના ચંપકલાલ પાસડ (ઉં. 73) 26મીએ અવસાન પામ્યા છે. તે ગંગાબાઈ દેવરાજના પુત્ર. હંસાબેનના પતિ. જીજ્ઞા, ભાવિની, દિપાના પિતા. ખેતબાઈ ખેરાજ મુરજી, મુલબાઈ હેમરાજ દેવજી, લક્ષ્મીબેન દેવરાજ મેઘજીના ભાઈ. સોનબાઈ વસનજી વોરાના જમાઈ. પ્રાર્થના: હિંગવાલા મોટો ઉપાશ્રય, હિંગવાલા લેન, ઘાટકોપર (પૂ.). ટા. 4થી 5.30. 

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો