• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

રાયણના કાંતિલાલ ગડા (ઉં. 84) 12મીએ અવસાન પામ્યા છે. તે રતનબેન મીઠુભાઈના પુત્ર. પ્રભાબેનના પતિ. અરૂણા, લલિતના પિતા. પ્રભાબેનના ભાઈ. દેવકાંબેન રતનશી પાલણના જમાઈ. પ્રા.: યોગી સભાગૃહ, દાદર-પૂ. ટા. 4થી 5.30.

 

નાની ખાખરના વસંતલાલ સાલિયા (ઉં. 78) 16મીએ અવસાન પામ્યા છે. તે વેજબાઈ ઠાકરશીના પુત્ર. મંજુલાના પતિ. હરખચંદ, ચંદનના ભાઈ. લાછબાઈ વેલજી લખમશીના જમાઈ. પ્રાર્થનાસભા રાખી નથી. નિ.: હીરેન સાલીયા, 1, કૈલાસ આશિષ, આંબેડકર રોડ, મુલુંડ (પ.).

 

ભુજપુરના પ્રફુલ માલદે (ઉં. 68) 13મીએ અવસાન પામ્યા છે. તે નાનબાઈ જાદવજીના પુત્ર. પ્રવિણાના પતિ. સાહિલ, શીતલ, બિનલના પિતા. કલાવતિ, રસિક, લતા, નીતા, ભરત, ફાલ્ગુની, જયંત, રમણ, અનિલના ભાઈ.  મણીબેન વિસનજી દેવજી દેઢિયાના જમાઈ.  પ્રા.: શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ સંચાલિત કરસન લઘુ નિસર હોલ, દાદર (પ.). ટા. 2થી 3.30. 

 

પત્રીના મોરારજી સાવલા (ઉં. 84) 15મીએ અવસાન પામ્યા છે. તે રતનબાઈ ઉમરશીના પુત્ર. સ્વ. રંજનબેનના પતિ. ગિતેશના પિતા. ભાણજી, કરમશી, રાજબાઈ, નાનબાઈના ભાઈ. રતનબેન જેઠાલાલ હંસરાજ ગાલાના જમાઈ. પ્રા.: શ્રી કુર્લા ક.વી.ઓ. સમાજની કુર્લા મહાજન વાડી, એલ.બી.એસ. માર્ગ, (જુની પોસ્ટ અૉફિસની સામે), કુર્લા (પ.). 3થી 4.30.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

લુવારિયાના વોરા પ્રાણલાલ દુર્લભદાસ (ઉં. 90) સોમવાર, 14મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે નિર્મળાબેનનાં પતિ. સ્વ. રમણીકલાલ, સ્વ. દમયંતીબેન, સ્વ. જયસુખભાઈ- જસુમતીબેન, જસવંતરાય- પદમાબેન, સ્વ. નિર્મળાબેન, કાંતાબેન, શારદાબેન, કળાબેનના ભાઈ. પારૂલ- વિપુલ, વિશાખા- યતીન, ચેતનાબેન- જતીનકુમારના પિતા/સસરા. જય, ધ્વની, દિપ, કેવલ, શ્વેતા, વિરતીનાં દાદા-નાના. મણીલાલ હીરાચંદ દોશીનાં જમાઈ. સાદડી-લૌ. વ્ય. બંધ છે. ઠે.: બીપીએસ આકર્ષણ, 601, મુરાર રોડ, મુલુંડ (પ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન 

ઢસાના સ્વ. જયાબેન ચીમનલાલ શેઠના પુત્ર નિલેશભાઈ (ઉં. 59) 15મીને મંગળવારે અરિહંતશરણ પામ્યા છે. તે નીતાબેનના પતિ. રિદ્ધિ અર્પણકુમાર પટેલ, નિકીના પિતા. દક્ષા પરેશકુમાર કામદાર, જીજ્ઞેશ, કૃપાલીના ભાઈ. બિપીનભાઈ હરિલાલ કૉન્ટ્રાક્ટરના જમાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

ઝા. દશા શ્રીમાળી સ્થા. જૈન

વિંછીયાના સ્વ. હરિલાલ નંદલાલ અજમેરાના પત્ની ગં.સ્વ. સુભદ્રાબેન (ઉં. 94). તે રાજેશ, હેમંતીના માતા. જયશ્રીબેન, સંજયભાઈ તલસાણીયાના સાસુ. પિયર પક્ષે સ્વ. મોહનલાલ મોતીચંદ શાહના દીકરી. વિનીત, મીરલ અમર શાહ, બિંદી ધવલ શાહ, આનંદ તલસાણીયાના દાદી-નાની 16મીને બુધવારે અરિહંતશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

સોરઠ વીસા શ્રીમાળી જૈન

વંથલી સોરઠના હાલ ગ્રાંટ રોડ સ્વ. શશીકાંત લવચંદ વસાનાં પત્ની જ્યોત્સ્નાબેન (ઉં. 78) ગુરુવાર, 17મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે અંજલિ, નેમિષનાં માતા. ધર્મેશભાઈનાં સાસુ. ધાન્યાનાં નાની. પિયર પક્ષે ધોરાજી નિવાસી પ્રભાશંકર જયશંકર દોશીનાં પુત્રી. સાદડી તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી જૈન

ધોરાજીના સ્વ. મથુરભાઈ જાદવજી લાઠીયાનાં પત્ની ગં.સ્વ. મંજુલાબેન (ઉં. 98) 13મીને રવિવારે અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. ફુલચંદ રાયચંદ શાહનાં દીકરી. ભૂપેન્દ્રભાઈ, જીતેન્દ્રભાઈ, હરેશભાઈ, સ્વ. ભારતીબેન રાજુભાઈ ગાઠાણી, હર્ષાબેન કમલેશભાઈ મહેતા, ભાવનાબેન સતીષભાઈ બાટવીયાનાં માતા. લતાબેન, રીટાબેન, સ્વ. આશાનાં સાસુ. રૂષભ, જય, રોનક, દિપ, મિનલ, ચાંદનીનાં દાદી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ગોંડલના મીરાબેન રમેશચંદ્ર સંઘાણીના પુત્ર મનીષભાઈ (ઉં. 48) 16મીએ અરિહંતશરણ પામ્યા છે. તે મિત્તલના પતિ. યશવી, ફિયોનીના પિતા. અભિષેકના ભાઈ. પ્રવિણાબેન પ્રવીણભાઈ કામદારના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર 19મીએ 3.30થી 5.30. ઠે.: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય (મોટા ઉપાશ્રય), એસ.વી. રોડ, કાંદિવલી (પ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ધ્રોળના સ્વ. પ્રવિણચંદ્ર રતિલાલ મહેતા તથા સ્વ. હંસાબેનના પુત્રી નયનાબેન (ઉં. 67) 11મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. પ્રફુલભાઈ, હર્ષાબેન, રાજેશભાઈના બહેન. નીતાબેન, સ્વાતિબેનનાં નણંદ. ચેતનભાઈનાં સાળી. સ્વ. ચંદનબેન, સ્વ. મંજુબેન, સ્વ. લીલમબેન, ગજેન્દ્રભાઈના ભત્રીજી. ચક્ષુદાન કર્યું છે. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

ભાવનગરના સ્વ. હસુમતીબેન મનસુખલાલ શાહના પુત્ર રાજેશ (ઉં. 65) 15મીએ સ્વર્ગવાસ પામ્યા છે. તે રૂપાબેનના પતિ. વિધિ દીપ ગુઢકા, ખુશ્બુ વિનિત મામણીયાના પિતા. ભદ્રેશ, સ્વ. કલ્પના, પારૂલ અતુલકુમાર શાહના ભાઈ. પુષ્પાબેન રજનીકાંત શાહના જમાઈ. ચક્ષુદાન કર્યું છે. લૌ. વ્ય. બંધ છે.

 

પાટણ વીસા શ્રીમાળી જૈન

પાટણના રજનીકાંત શાહ (દેવડાવાળા) (ઉં. 92). તે સ્વ. મંજુલાબેનના પતિ. સ્વ. તારાબેન મણીલાલ સ્વરૂપચંદના પુત્ર. સ્વ. જયંતિભાઈ, સ્વ. સારાભાઈ, સ્વ. જશવંતભાઈ (બાલુભાઈ), રમેશભાઈ, સ્વ. સુભદ્રાબેનના ભાઈ. સ્વ. સુરજમલ ગભરૂચંદના જમાઈ. નિમિષ - મોના, રૂપેન - કોમલના પિતા બુધવાર, 16મીએ અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શનિવાર, 19મીએ સાંજે 4.30થી 6.30. ઠે.: સોફિયા કૉલેજ હોલ, બ્રીચકેન્ડી, મુંબઈ.

હિન્દુ મરણ

લુહાર સુતાર 

જેતપુરના સ્વ. મગનભાઈ વાલજીભાઈ તથા સ્વ. મંજુલાબેન, હંસાબેન ઉમરાણિયાના પુત્ર ભાવિનભાઈ ઉમરાણીયા (ઉં. 48) 14મીને સોમવારે શ્રી રામચરણ પામ્યા છે. તે દિપાલીબેનના પતિ. સ્વ. જયંતીભાઈ, સ્વ. અરંવિદભાઈના ભત્રીજા. સ્વ. મણીભાઈ પરષોતમભાઈ ડોડિયાના જમાઈ. વત્સલના પિતા. પ્રાર્થનાસભા 18મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: શ્રી લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ -3, વિશ્વકર્મા ચોક, બોરીવલી (પૂ.).

 

પરજિયા સોની 

લાઠીના સ્વ. સોની ડાયાલાલ કાશીરામ ભગત સુરુના પુત્ર કિશોરભાઈ (ઉં. 76) 16મીએ શ્રીજીશરણ પામ્યા છે. તે જ્યોત્સનાબેનના પતિ. રાજેશ, નિતેશ, ગૌરાંગના પિતા. સ્વ. દેવયાનીબેન, સ્વ. જીતેન્દ્રભાઈ, સ્વ. વિજયભાઈ, સ્વ. રમેશભાઈના ભાઈ. સ્વ. સોની વ્રજલાલ ભાનજીભાઈ ધકાણના જમાઈ. પ્રાર્થનાસભા 18મીએ 10થી 12. ઠે.: સોની વાડી, શીમ્પોલ રોડ, બોરીવલી (પ.).

 

કચ્છી લોહાણા

નખત્રાણાના ખીમજીભાઈ જોબનપુત્રા 16મીને બુધવારે રામશરણ પામ્યા છે. તે સ્વ. મૈયાબેન નારાણજી જોબનપુત્રાના પુત્ર. શર્મિષ્ઠાબેન (સમુબેન)ના પતિ. પૂજા, અંકિતના પિતા. સ્વ. ભગવાનલાલ કરુણાશંકર વ્યાસના જમાઈ. સ્વ. નર્મદાબેન માવજીભાઈ જોબનપુત્રા, ગં.સ્વ. જયાબેન દયારામ જોબનપુત્રા, ગં.સ્વ. લતાબેન ચંદ્રકાંત જોબનપુત્રા, સ્વ. ઝવેરબેન રતનશી કોઠારી, મંગળાબેન, ગં. સ્વ. દમયંતીબેન લક્ષ્મીકાંત કોઠારીના ભાઈ. પ્રાર્થનાસભા 18મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: પદ્માવતી બેન્કવીટ હોલ, ફિફથ ફલોર, શિવસેના અૉફિસની ઉપર, એમ. જી. રોડ, મુલુંડ (પ.).

 

કચ્છી ભાટિયા

હિંમતસિંહ વેદ (ઉં. 86) 16મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જમનાબેન તુલસીદાસ રામદાસ વેદના પુત્ર. સુરેખાબેનના પતિ. સ્વ. ચંદાબેન, નેણશી હરિદાસ કજારિયાના જમાઈ. કેતન, હર્ષિકા હમીર આશર, પ્રીતિ ધર્મેશ ટોપરાના પિતા. વર્ષાબેનના જેઠ. પ્રાર્થનાસભા 18મીએ સાંજે 4થી 5. ઠે.: ગીતા મંદિર, કાવલા નાકા, કોલ્હાપુર.