• શનિવાર, 25 જુલાઈ, 2026
મારણ નોંધ
જૈન મરણ

દશા શ્રીમાળી ઝાલાવાડી સ્થાનકવાસી જૈન

થાનગઢના ભરતભાઈ પારેખ (ઉં. 82) 22મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. કાંતાબેન અને ડાહ્યાલાલ મોરારજી પારેખના પુત્ર. કુમુદબેનના પતિ. કનૈયાલાલ, પ્રવિણચંદ્ર, છાયાબેન, હંસાબેન, દીનાબેનના ભાઈ. અમી, રેશમા, પૂર્વીના પિતા. દિવ્યેશ, વિજયના સસરા. ત્વચાદાન કર્યું છે. પ્રાર્થનાસભા રાખી નથી અને લૌ. વ્ય. બંધ છે.

 

વીસા હુમ્મડ જૈન

ઇડરના ગં. સ્વ. પુષ્પાબેન સોપારીવાલા (ગાંધી) (ઉં. 85) 22મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. મણીબેન રવજીભાઈ સોપારીવાલાનાં પુત્રવધૂ. સ્વ. મંગુબેન ભાઈચંદભાઈ દોશીનાં પુત્રી. સ્વ. બાબુભાઈનાં પત્ની. સત્યજીત, વિજય, સંજય, શીલાનાં માતા. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થનાસભા રાખી નથી.

 

ઘોઘારી દશા શ્રીમાળી જૈન 

પાલિતાણાના નરેન્દ્રભાઈ (નાનુ) (ઉં. 69). તે સ્વ. શાંતિલાલ ગોરધનદાસ કપાસી તથા સ્વ. રમાબેનના પુત્ર. હેમંતભાઈ, સ્વ. જ્યોતિબેન જયેન્દ્રભાઈ દામાણી (નીમુબેન), પ્રવીણાબેન જશવંતરાય પારેખના ભાઈ. હિરેનના કાકા 20મીએ અરિહંતશરણ પામ્યા છે. લૌ. વ્ય. બંધ છે. પ્રાર્થના રાખી નથી.

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન

દિહોરના સ્વ. નાગજીભાઈ પ્રેમજીભાઈ ગાંધીના પુત્ર પ્રવિણચંદ્ર (ઉં. 87) 23મીને ગુરુવારે અવસાન પામ્યા છે. તે રસીલાબેનના પતિ. નિમેષ, અમીત, હિના નીતિન કુમાર, શિલ્પા મનીષ કુમારના પિતા. વિભા, મોના, નીતિન કુમાર, મનીષ કુમારના સસરા. દુર્લભજી ગોરધનદાસ પારેખના જમાઈ. ઠે.: નિમેષ પ્રવિણચંદ્ર ગાંધી, 403 આકૃતિ અબિચ, એસએન રોડ, તાંબેનગર, મુલુંડ (પ.). લૌ. વ્ય. તથા સાદડી રાખી નથી.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

મોરબીના સ્વ. મનહરલાલ દયાળજી દોશીનાં પત્ની જયાલક્ષ્મી (ઉં. 99). તે સ્વ. કાન્તિલાલ દયાળજી દોશી, સ્વ. પુષ્પાબેન રતિલાલ શાહનાં ભાભી. સ્વ. મુલજીભાઈ, સ્વ. કાન્તિલાલ, સ્વ. ચુનિલાલ, સ્વ. જેકુંવર શામળદાસ મોદી, સ્વ. રેવાકુંવર ઓતમચંદ શેઠ, સ્વ. મંછાબેન જગન્નાથ મહેતાનાં બેન. દિલિપ, મુકેશ, રાજેન્દ્ર, ભાવનાનાં માતા. આશા, નિતા, મીનાનાં સાસુ. 22મીને બુધવારે અરિહંતશરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌ. વ્ય. બંધ છે.

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ધોરાજીના નગીનદાસ હુકમચંદ દોશી (ઉં. 94) બુધવાર 22મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. ભાનુમતીના પતિ. કમલેશ તથા સ્વ. દિલીપના પિતા. સ્વ. રશ્મિ, જ્યોતિ, મંજુના સસરા. સ્વ. સનતભાઈ, ગં.સ્વ. લલિતાબેન, સ્વ. ધનીબેન, સ્વ. મધુબેનના ભાઈ. સ્વ. લાલચંદ અમરચંદ મોદીના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કવીઓ જૈન

મોટા આસંબીયાના હરખચંદ ગાલા (ઉં. 74) 21મીના અરિહંતશરણ પામ્યા છે. તે મણીબેન કાનજી પાસુના પુત્ર. જયવંતીના પતિ. કાજલ, રચના, રિદ્ધિ, નીલના પિતા. રમેશ, રતીલાલ મુલચંદના ભાઈ. સુંદરબેન મોનજી દેવજી રાંભીયાના જમાઈ. પ્રાર્થના રાખી નથી. ચક્ષુદાન કર્યું છે. ઠે. હરખચંદ ગાલા, 4, નીતા એપાર્ટમેન્ટ, ડૉ. કૉલોની રોડ, વિદ્યાવિહાર (પૂ.).

હિન્દુ મરણ

લુહાર સુથાર 

રાજુલાના સ્વ. મણીબેન તથા સ્વ. જેઠાભાઈ હરિભાઈ કવાના પુત્ર કનુભાઈ (ઉં. 68) 19મીના શ્રી અક્ષરવાસ પામ્યા છે. તે વિજયાબેનના પતિ. રિદ્ધેશ, કવિતા મકવાણાના પિતા. પુનમબેન, ડેનિશકુમાર મકવાણાના સસરા. સ્વ. લવજીભાઈ નાનજીભાઈ મકવાણાના જમાઇ. પ્રાર્થનાસભા 24મીને શુક્રવારે 5થી 7. ઠે. : લુહાર સુથાર જ્ઞાતિ મંડળ, કાર્ટર રોડ નં. 3, અંબાજી મંદિરની આગળ, બોરીવલી (પૂ.).

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક 

ડુંગરના કેતન મહેતા (ઉં. 59) તે ગં. સ્વ. કૈલાશબેન જુગલદાસ રતિલાલ મહેતાના પુત્ર. ઉર્વી (વિમલ)ના પતિ. રાધી સાહીલ મયુર શાહ, સ્વ. કરણના પિતા. શૈલેષ, ઈલેશ, ભારતી અનિલ મહેતા, નીતા ભરત જસાણી, રૂપા જયેશભાઇ બોટાદરાના ભાઈ. સ્વ. કાંતિલાલ વનમાળીદાસ દેસાઈના જમાઈ 22મીએ શ્રીજીશરણ પામ્યા છે. તેમની બંને પક્ષની  પ્રાર્થનાસભા 25મીએ 4થી 6. ઠે.: વર્ધમાન સ્થા. જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝ સામે, બોરીવલી (પ.) લૌ. વ્ય. બંધ છે.

 

વિસા સોરઠિયા વણિક

કણઝડીવાળાના સ્વ. મધુકાન્ત મથુરાદાસ શાહનાં પત્ની વાસંતીબેન ( ઉં. 73) તે પ્રશાંતના માતા, માનસીના સાસુમા, ધ્યાનના દાદી,  સ્વ. મથુરાદાસ શેષકારણ શાહનાં પુત્રી, 20મીએ શ્રીજી ચરણ પામ્યાં છે. પ્રાર્થના સભા 26મીએ રવિવારના  સાંજે 4 થી 6. ઠે. : શ્રી વર્ધમાન એસ. જે. સંઘ હૉલ, એલ.ટી. રોડ, ઓપોઝિટ ડાયમંડ સિનેમા, રાધે ક્રિષ્ન હોટલની બાજુમાં, બોરીવલી (પ.). 

 

વીસા સોરઠિયા વણિક 

કણઝડીવાળા બિપીનચંદ્ર મથુરાદાસ શાહનાં પત્ની ઉષાબેન (ઉં. 71) 20મીના શ્રીજીચરણ પામ્યાં છે. તે સીમા, ધવલનાં માતા. અંકુર, શ્વેતાનાં સાસુ. ઝીલ, કાનવનાં નાની-દાદી. સ્વ. ખુશાલદાસ માણેકચંદ શાહનાં પુત્રી. સ્વ. માણેકલાલ મથુરાદાસ શાહનાં વહુ. તેમની પ્રાર્થનાસભા રવિવાર, 26મીના સાંજના 4થી 6. ઠે.: શ્રી વર્ધમાન એસ.જે. સંઘ હૉલ, એલ.ટી. રોડ, ઓપોઝિટ ડાયમંડ સિનેમા, રાધે ક્રિષ્ન હોટલની બાજુમાં, બોરીવલી (પ.).

 

હાલાઈ લોહાણા

કરાચીવાળા સ્વ. જેરામદાસ ગણાત્રાના પુત્ર વસંતરાય (ઉં. 90) 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે કાનજી મુળજી સોમૈયાના જમાઈ. બીપીનભાઈ મહેતાના વેવાઈ. રશેસ, પુત્રવધૂ દિપાલી, આશા વિજય ઠક્કર, નિશાખા રાજેશ દોશીના પિતા. ભાનુબેન, હર્ષદભાઈ, રમેશભાઈના ભાઈ. લૌ. વ્ય. બંધ છે.

 

હાલાઈ લોહાણા

 કુવાડવાના ગં.સ્વ.ગંગાબેન (ઉં.88) તે સ્વ. ગોકુલદાસ પ્રેમજી ઠક્કરનાં પત્ની,  સ્વ. નારણદાસ, સ્વ. જમકુબેન સાંગાણીનાં પુત્રી,  સ્વ. ડો. ગોકુલભાઈ, સ્વ. નરોત્તમદાસ, સ્વ. સુશીલાબેન કારિયા, વીણાબેન કોટેચાનાં બહેન, સ્વ. ભરતભાઈ, સ્વ. હરેશભાઈ, વર્ષાબેન કિશોરભાઈ પોપટ, અલકા વિરલભાઈ માણેક, સરોજ શૈલેષભાઈ વિઠલાણીના માતા, ગીતાબેનના સાસુ, 22મીએ શ્રીજીચરણ પામ્યા છે.  (લૌ. વ્ય.બંધ છે.)

 

કચ્છી લોહાણા

કચ્છ નાગ્રેચાના સ્વ. મહાલક્ષ્મી જમનાદાસ ભીમજી બડીયાના પૌત્ર કશ્યપ (ઉં. 44) તે મીના કિરીટ જમનાદાસ બડીયાના પુત્ર. 21મીએ સ્વર્ગવાસ પામ્યાં છે. તે પૂર્તિના પતિ. કબીરના પિતા. દેવિકા જીગર કુંઢાડીયાના ભાઈ. ક્રાંતિ ગોવિંદ કોલગેના જમાઈ પ્રાર્થનાસભા 24મીએ શુક્રવારે સાંજે 5થી 7. નિ.: કવિ કાલિદાસ ઓડિટોરિયમ, કાલિદાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પી. કે. રોડ, મુલુંડ (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

ઉગલવાણવાળા સ્વ. કાશીબેન અમૃતલાલ રાઘવજી મહેતાના પુત્ર લક્ષ્મીદાસ (ઉં. 81) બુધવાર 22મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. મૃદુલાબેનના પતિ. સ્વ. ઉમેશ, રાજેશ, રૂપલ તુષાર મહેતાના પિતા. સ્વ. જયંતિભાઈ, સ્વ. ચુનીભાઈ, સ્વ. ધીરૂભાઈ, સ્વ. નટુભાઈ, સ્વ. મનુભાઈ, જગુભાઈ ખોડીયાર, સ્વ. કંચનબેન વિઠ્ઠલદાસ સંઘવી, સ્વ. જયાબેન બાલકૃષ્ણ ચિતલિયા, સ્વ. કાંતાબેન જગમોહનદાસ ગોરડિયા, ગં.સ્વ. જ્યોતિબેન ધરમદાસ વોરાના ભાઈ. સ્વ. ચંદ્રપ્રભાબેન ગોકળદાસ મોદીના જમાઈ. પ્રાર્થનાસભા 24મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.: શ્રી જલારામ હૉલ, પાર્લા. 

સ્પોર્ટ્સ
વધુ વાંચો
હેડલાઇન્સ