• શનિવાર, 29 ઑગસ્ટ, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

કોડાયના પ્રીતી (ટમુ) લાલન (ઉં. 63) 25મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ચંચળબેન કલ્યાણજી લાલનના પુત્રવધૂ. વિપુલના પત્ની. હર્ષના માતા. ઉપેન્દ્ર, ભરતના ભાઈના પત્ની. સ્વ. હેમલતા લખમશી ગણસીના પુત્રી. સ્વ. કોકીલા, સ્વ. નૂતન, સ્વ. હર્ષદના બેન. પ્રાર્થના રાખી નથી. નિ.: વિપુલ લાલન, સી-54, ગોકુલ લાઈટ, વામન સાવંત રોડ, મરાઠા કોલોની, દહીંસર (પૂ.)

 

કોટડી મહાદેવપુરીના નીરંજના નાગડા/ શાહ (ઉં. 82) 26મીએ અવસાન પામ્યાં છે. તે પ્રેમાબેન ખીમજી નાગડાના પુત્રવધૂ. સ્વ. તારાચંદના પત્ની. સ્વ. વિપુલના માતા. મીઠીબાઈ રતનશી હીરજી ગાલાના દીકરી. પ્રવિણ, રમાબેન હંસરાજ સાવલા, નિરૂપમા કલ્યાણજી સાલીયા, સુધા શાંતીલાલ રાંભીયા, વિમળાબેન મુલચંદ ગડા, ઉમા રતનશી ગાલાના બહેન. પ્રાર્થના રાખી નથી. ઠે.: ડૉ. હિતેન દડિયા, 1004, કાલીન્દી, નીલકંઠ વેલી, રાજાવાડી, ઘાટકોપર (પૂ.).

 

દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન

ગોંડલના સ્વ. પ્રવિણચંદ્ર ચમનલાલ બાવીસીનાં પત્ની મધુકાન્તાબેન (ઉં. 88) 26મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે જનક-જસ્મીનનાં માતા. નિતા-કિરણનાં સાસુ. સ્વ. દુર્લભજી સૌભાગ્યચંદ ગાઠાણીનાં પુત્રી. મહેન્દ્ર-ગીરીશ, સ્વ. મુક્તાબેન હસમુખરાય સંઘરાજકા, મિનાક્ષી ઉમેશભાઈ મહેતાનાં બેન. લૌ વ્ય. તથા પ્રાર્થનાસભા રાખી નથી.

 

નૂતન સાડત્રીસ વીસા શ્રીમાળી જૈન

મુજપુરના સ્વ. સુશીલાબેન કેશવલાલ શાહનાં પુત્રવધૂ અ.સૌ. હેમલતાબેન (ઉં. 80) 24મીને સોમવારે અરિહંતશરણ પામ્યાં છે. તે બિપિનચંદ્રનાં પત્ની. ધારિણી, નેહાનાં માતા. રંજન રમેશ, હેમાલી શૈલેશ, કલ્પનાબેન વસંતલાલ, સ્વ. હંસાબેન પ્રવીણચંદ્ર, વર્ષાબેન દિલીપકુમારનાં ભાભી. પિયર પક્ષે સ્વ. શારદાબેન ભાઈલાલભાઈ શાહનાં દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા 29મીને શનિવારે સાંજ. 4થી 6. ઠે.: શ્રી હાલાઈ લોહાણા બાલાશ્રમ હૉલ, મથુરદાસ એક્સ્ટેન્શન રોડ, કાંદિવલી (પ.).

 

સોરઠ વીસા શ્રીમાળી જૈન

વંથલી સોરઠના સ્વ. રમણીકલાલ લવચંદ વસાનાં પત્ની કાંતાબેન (ઉં. 98) બુધવાર 26મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે ભારતી, સુનિલ, અનિલનાં માતા. હેમેન્દ્રકુમાર, રસના, રૂપાનાં સાસુ. બિનલ, સ્વ. આકિન, ભૂમિ, રાજનાં દાદી. પિયર પક્ષે સ્વ. રામચંદ ગોવિંદજી મહેતાનાં પુત્રી. પ્રાર્થનાસભા શનિવાર 29મીએ સાંજે 4થી 6. ઠે.: પરમ કેશવ બાગ, 1લે માળે, નવરોજી લેન, ઘાટકોપર (પ.).

 

સોરઠ વીસા શ્રીમાળી જૈન 

મોટી પાનેલીના સ્વ. મોહનલાલ પોપટલાલ મહેતાના પુત્રવધૂ કુમુદબેન મહેતા (ઉં. 79) 25મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે સ્વ. ચંદ્રકાંત (બટુકભાઈ)ના પત્ની. હંસાબેન દિનેશકુમાર મહેતા, ઇન્દુબેન નલીનકાંત શાહ, સ્વ. કિર્તીભાઈ, સ્વ. સુરેશભાઈ, દિવ્યેશ, ફાલ્ગુની, તોરલ, મેઘા, જીનાના ભાભી. સરોજબેન, શોભનાબેનના જેઠાણી. સ્વ. જગજીવન પોપટલાલ સોલાણીના દીકરી. પ્રાર્થનાસભા તારીખ 30મીને રવિવારે સવારે 10થી 12. ઠે.: નર્મદાબેન મોહનલાલ મહેતા આયંબિલ ભવન, શ્રી સોલસુંબા જૈન દેરાસરની પાછળ, ઉમરગામ. ચક્ષુદાન કર્યું છે.

 

દશા શ્રીમાળી દિગંબર જૈન 

લખતરના સ્વ. શાંતાબેન ભોગીલાલ દોશીના દીકરી સરોજબેન શાહ (ઉં. 73) 24મીએ અરિહંતશરણ પામ્યાં છે. તે નગીનદાસ હરજીવનદાસના પત્ની. સોનલ, જગદીશભાઈના માતા. કમલેશભાઈ શાંતિલાલ પારેખના સાસુ. ભૂપેન્દ્રભાઈ, ભરતભાઈ, સ્વ. રમેશભાઈ, જીતુભાઈના બહેન. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

વીસા ઓસવાળ જૈન 

અમદાવાદના નયનાબેન અમરેશભાઈ સોદાગરના પુત્ર ધવલભાઈ (ઉં. 47) 25મીએ અરિહંતશરણ પામ્યા છે. તે હેમાલીના પતિ. જીયા, કુકીના પિતા. ધનલના ભાઈ. સ્વ. દિલીપભાઈ શાહના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 1204, હવા મહલ, શિવાજી ચોક, દફતરી રોડ, મલાડ (પૂ.).

 

ઘોઘારી વીસા શ્રીમાળી જૈન 

મહુવાના શશીકાંત પ્રેમચંદ દોશી (ઉં. 85) 26મીએ અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. વિલાસબેનના પતિ. સ્વ. દલસુખરાય, સ્વ. ચંદ્રકાંતભાઈ, જયાલક્ષ્મી ગુણવંતરાય દેસાઈ, સ્વ. નિર્મળાબેન કાંતિલાલ દોશી, સ્વ. હંસાબેન નવીનચંદ્ર સંઘવીના ભાઈ. મુકેશભાઈ-રેખાબેન, પ્રદીપભાઈ-સોનલબેન, કમલભાઈ-ભાવના, ઉદય-સ્મિતા, જીનેશ-દિપાલી, નિમેષ-મિતાલી, કવિતા શરદ વસા, ઝરણાં નિલેશ દોશીના કાકા. સાસરા પક્ષે ગીરધરલાલ મૂળચંદ સંઘવીના જમાઈ. લૌ. વ્ય. બંધ છે. ઠે.: 703, ઓમ શિવ આશિષ, અશોક ચક્રવતી રોડ, કાંદિવલી (પૂ.). 

હિન્દુ મરણ

હાલાઈ લોહાણા

કેશોદના અ.સૌ. ઉષાબેન (ઉં. 79). તે છોટાલાલ રાયચુરા (રાયચડા)નાં પત્ની બુધવાર 26મીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે અનુરાધા રોશન ઠાકરનાં માતા. આદિત્ય, વરુણનાં નાની. સ્વ. વિજયાબેન- સ્વ. જમનાદાસ (મગનલાલ) રાયચુરા (રાયચડા)નાં પુત્રવધૂ. સ્વ. નિર્મલાબેન- સ્વ. નરેન્દ્રભાઈ પરષોતમદાસ રાયચુરાનાં પુત્રી. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે. 

 

નવગામ ભાટિયા

મલાડના નિર્મલાબેન કિશોરભાઈ ઉદેશી (ઉં. 84). તે સ્વ. કિશોરભાઈ ગોરધનદાસ ઉદેશીનાં પત્ની. અમલાબેન, પારુલબેનનાં માતા. હર્ષદભાઈ ગુજરાથીનાં સાસુ. સ્વ. નારણદાસ તથા સ્વ. દિવાળીબેન વેદનાં પુત્રી. સ્વ. વિજયાબેન ગોરધનદાસ ઉદેશીનાં પુત્રવધૂ 26મીએ શ્રીજીચરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કચ્છી લોહાણા

અંજારના સ્વ. સાકરબાઈ દયાળજી ઠક્કરના પુત્ર મધુસુદન (ઉં. 85) 24મીને સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. જમનાદાસ, સ્વ. રામદાસ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. છોટાલાલ, સ્વ. જમનાબહેન જમનાદાસ ઠક્કર, ગં.સ્વ. પ્રેમિલાબહેન, પ્રવિણભાઈ ઠક્કરના ભાઈ. સ્વ. મૃદુલાબહેન (બેબીબહેન) લક્ષ્મીકાંત સોમૈયા, ગં.સ્વ. નીનાબહેન અશોકભાઈ માણેક, વિક્રમ, પ્રતાપ જ્યોતિબહેન. ભાવનાબહેન, ચેતન એન્જિનિયર અમીત, વિરેન (નાનુ)ના કાકા. રાજીવ, ગં.સ્વ. મીતાબહેન કિશોરભાઈ ભગદેના મામા. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

ઘોઘારી લોહાણા

દેવરાજિયાવાળા સ્વ. દિવાળીબેન શાંતિલાલ સાદરાણીના પુત્ર ગુણવંતરાય સાદરાણી (ઉં. 82) 26મીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે રસીલાબેનના પતિ. સ્વ. રમણીકલાલ તલક્ષી રાજાણીના જમાઈ. સ્વ. ચંદ્રકાંતભાઈ, સ્વ. વિનોદભાઈ, વિજયાબેન લક્ષ્મીદાસ રૂપારેલિયાના ભાઈ. શિલ્પા, મમતા, પ્રતીકના પિતા. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 29મીને શનિવારે સાંજે 4થી 6. ઠે.: શ્રી વર્ધમાન મહાવીર સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, પારેખ ગલી કોર્નર, એસ. વી. રોડ, કાંદિવલી (પ.).

 

ભટ્ટ મેવાડા બ્રાહ્મણ 

દેત્રોલીના ગં.સ્વ. નૂતનબેન હેમંત જોશીના પુત્ર બ્રિજેશ જોશી (ઉં. 30). તે રીમાના પતિ. હૃશિવના પિતા. યશના ભાઈ. રક્ષાબેન નીતિન ગોહિલના જમાઈ 22મીએ એકાલિંગજી શરણ પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા રવિવાર, 30મીએ બપોરે 4થી 6. ઠે.: ભાટિયા ભાગીરથી ટ્રસ્ટ હોલ 88, દાદી શેઠ અગિયારી લેન, મું.-2.

 

નાગર બંધારા

ખંભાતના સ્વ. મનહરલાલ ઝવેરી 26મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. રતનલાલ તથા સ્વ. મણિબેન પુત્ર. સ્વ. ઇન્દિરાબેનના પતિ. સ્વ. પ્રેમાનંદ નાગરના જમાઈ. જયશ્રીબેન, કનકબેન, હર્ષદભાઈ, ચેતનભાઈ, મીનાક્ષીબેનના પિતા. અશોકકુમારના સસરા. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ 

વાવેરાવાળા સ્વ. પુરુષોત્તમદાસ નરસીદાસ પારેખના પત્ની ભાનુમતીબેન (ઉં. 98). તે ભરત-ચંદ્રિકા, કીર્તિ-રેખા, રાજુલ-વર્ષા, મુકેશ-ફાલ્ગુનીના માતા. સ્વ. જેકોરબેન નાગરદાસ ગોરડીયાના પુત્રી. સ્વ. શાંતાબેન ભાઈલાલ દોશી, સ્વ. ભાનુબેન દુર્લભદાસ ગોરડીયાના ભાભી. સ્વ. વિમળાબેન, સ્વ. ભાગીરથીબેન, સ્વ. જવાહરભાઈ, સ્વ. ધનલક્ષ્મીબેન, નરેન્દ્રભાઈના બહેન 25મીએ શ્રીજીશરણ પામ્યાં છે. લૌ. વ્ય. બંધ છે.

 

કપોળ

અમરેલીવાળા સ્વ. મંગળાબેન જેઠાલાલ મથુરાદાસ પારેખના પુત્ર સ્વ. મધુસુદનના પત્ની ગં.સ્વ. ચંદ્રિકાબેન (ઉં. 77). તે મનીષ, જીગ્નેશ, જાગૃતિબેન સંજયભાઈ ગાંધી, માધવીબેન રાજનભાઈ જાનીના માતા. સ્વ. મંજુબેન, પદ્માબેન, વીણાબેન, સરોજ  જીતુભાઈ પારેખના ભાભી. સ્વ. જયાબેન શાંતિલાલ રામજીભાઈ મોદીના દીકરી 25મીએ શ્રીજીચરણ પામ્યાં છે. ઉત્તરક્રિયા અમરેલી મુકામે રાખી છે.

​સિટી ન્યૂઝ
વધુ વાંચો
વ્યાપાર
વધુ વાંચો
સ્પોર્ટ્સ
વધુ વાંચો