• શનિવાર, 09 મે, 2026
મારણ નોંધ
જૈન મરણ

કવીઓ જૈન

બિદડાના પ્રભાવતી મારૂ (ઉં. 79) 6ઠ્ઠીએ અવસાન પામ્યાં છે. તે લક્ષ્મીબેન નાનજી માણેકના પુત્રવધૂ. તલકશીના પત્ની. નિલેશ, અનીતા, ભાવેશના માતા. જેતબાઈ કેશવજી વિરજી છેડાના પુત્રી. હરખવંતી, લક્ષ્મીબેન, નર્મદાબેન, તારામતી, મુક્તાના બેન. પ્રાર્થનાસભા રાખી નથી. ઠે.ઃ ભાવેશ મારૂ, એ/202, પ્લેટીનમ્સ બિલ્ડિંગ, મોમાયા પાર્ક, વિલેજ રોડ, ભાંડુપ (પ.).

 

વડાલાના બા.બ્ર. સાકરબેન સાવલા (ઉં. 97) 6ઠ્ઠીએ અવસાન પામ્યાં છે. તે જેઠીબેન વેલજી રાયશીના પુત્રી. નાગજી, મોંઘીબેન શામજી, મીઠીબેન ઉમરશી, અમૃતબેન રામજી, વિમળાબેનના બેન. કુંવરબેન દેવજી દેઢીયાના દોહીત્રી. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ નાગજી વેલજી સાવલા, સાવલા સદન, શાંતિનગર, મંડપેશ્વર રોડ, બોરીવલી (પ.).

 

કાંડાગરાના લલિત છેડા (ઉં. 70) 5મીએ અવસાન પામ્યા છે. તે પાનબાઈ/ પુરબાઈ કુંવરજીના પુત્ર. ભાવનાના પતિ. શીતલ, ચિંતનના પિતા. ઉમરબેન મેઘજી, સાકરબેન નરશી, તારા સુરેન્દ્ર, નિર્મળા રમેશ, ઝવેર છગન, હંસા રમેશ, હેમા ચીમનલાલના ભાઈ. મણીબેન હીરજીના જમાઈ. પ્રાર્થનાઃ યોગી સભાગૃહ, દાદર (પૂ.). ટા. 4થી 5.30.

 

નાના ભાડિયાના ચંચળ ગડા (ઉં. 74) 4થીએ અવસાન પામ્યાં છે. તે સ્વ. ધનવંતી ધનજીના પુત્રવધૂ. પોપટના પત્ની. પાયલ, અંકુર, ભૈરવીના માતા. સ્વ. લક્ષ્મીબેન/ ઝવેરબેન કુંવરજીના પુત્રી. સ્વ. મુલચંદ, શાંતિલાલ, અનિલ, સ્વ. પ્રવિણના બહેન. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ પોપટ ગડા, એ-302, ડેક્કન પ્રગતિ, દુર્ગા રોડ, પલ્લાવરમ, ચેન્નાઇ.

 

કુંદરોડીના પોપટલાલ મામણીયા (ઉં. 83) 6ઠ્ઠીએ અવસાન પામ્યા છે. તે જીવીબાઈ ખીમજી મુરજી પુંજાના પુત્ર. ઉર્મિલાના પતિ. વિપુલ, પીંકીના પિતા. જીવરાજ, શામજી, ગાંગજી, કાંતિલાલ, હસમુખ, કલ્યાણજીના ભાઈ. જીવીબાઈ પ્રેમજીના જમાઈ. પ્રાર્થના રાખી નથી. નિ.ઃ પોપટલાલ મામણીયા ઃ 404, દ્વારકાદાસ રતનશી બિલ્ડિંગ, કડવા લેન, કોર્ટ નાકા, થાણા (પ.).

 

દશા શ્રીમાળી બેતાલીસ જૈન

માણસાના મહેન્દ્રભાઈ ભોગીલાલ શાહ (ઉં. 87) 5મીએ અરિહંતશરણ પામ્યા છે. તે અતુલભાઈ, રાજેશભાઈ, સંજયભાઈ, હીનાબેનના પિતા. પલ્લવીબેન, હેમંતીબેન સોનાબેન, શ્રીકાંતકુમારના સસરા. પ્રાર્થનાસભા 9મીએ સવારે 10થી 12.30. ઠે.ઃ પી.ડી. ખખ્ખર બેંકવેટ હૉલ, અસ્પી ઓડિટોરિયમ, 1લે માળે, મારવે રોડ, મલાડ (પ.).

 

દશા શ્રીમાળી સ્થા. જૈન

રાજકોટના સુભાષભાઈ સૌભાગ્યચંદભાઈ મોદીનાં પત્ની અ.સૌ. પ્રતિભાબેન (ઉં. 79) 6ઠ્ઠીએ અરિહંતશરણ પામ્યાં છે. તે કાર્તિક, શીતલનાં માતા. જયેશભાઈ, શીવાનીનાં સાસુ. સ્વ. અમુલખભાઈ, સ્વ. શાંતિભાઈ, સ્વ. હસમુખભાઈ, સ્વ. પ્રકાશભાઈ, સ્વ. મંજુલાબેન દૌલતભાઈ મોદી, વર્ષાબેન કિરીટભાઈ મહેતાનાં ભાભી. પિયર પક્ષે સ્વ. ધીરજલાલ વચ્છરાજ હેમાણી, ગં.સ્વ. સરયૂ ધીરજલાલ હેમાણી, સ્વ. પ્રફુલ્લભાઈ, સ્વ. દિલીપભાઈ, ઇલા, દીપક, નીતિનનાં બેન. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

હિન્દુ મરણ

હિન્દુ

પત્રાપસર (જૂનાગઢ)ના ડૉ. પ્રભુ સોલંકી (ઓર્થોપેડિક સર્જ્યન) (ઉં. 71) 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે પ્રીતિબેનના પતિ. આદિતિ, તન્વી, કશ્યપના પિતા. કુણાલ, વરુણ, રિયાના સસરા. પ્રાર્થનાસભા 9મીને શનિવારે સાંજે 5થી 7. ઠે.ઃ ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન, ગુરુનાનક રોડ, પીવીઆરની બાજુમાં, જુહુ, વિલે પાર્લે (પ.).

 

દશા પોરવાળ પાટણ

મુંબઈના કનૈયાલાલ માધવલાલ શાહ (ઉં. 98). તે સ્વ. કિશોરીબેનના પતિ. જનક, મીરાના પિતા. કામિની, અમરીશભાઈના સસરા. સ્વ. રેણુકાબેન, સ્વ. રાજેન્દ્રભાઈ, સ્વ. ભારતીબેન, ગં.સ્વ. અનસુયાબેનના ભાઈ બુધવાર, 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

પોરેચા દશા મોઢ માંડવિયા વણિક

પોરબંદરના સ્મિતા મહેતા (ઉં. 63) મંગળવાર 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. તે રાજેશ મહેતાનાં પત્ની. ચાર્મીનાં માતા. પિયરપક્ષે સ્વ. રસિકભાઈ પ્રભાબેનનાં પુત્રી. મીનાબેન દિપિકાબેન, અલકાબેન, રાજેશ પારેખનાં બેન. સસુરપક્ષે સ્વ. લલીતાબેન નાગરદાસ મહેતાનાં પુત્રવધૂ. પ્રાર્થનાસભા તથા લૌ. વ્ય. બંધ છે.

 

શિહોર સંપ્રદાય ઔદીચ્ય અગિયારસે બ્રાહ્મણ

કમળેજના સ્વ. ભરતકુમાર કે. જોષીનાં પત્ની છાયાબેન (ઉં. 62) 6ઠ્ઠીને બુધવારે કેલાસવાસ પામ્યાં છે. તે સર્વેશભાઈ, બીજલનાં માતા. સ્વ. કપીલાબેન કાંતીલાલ જોશીનાં પુત્રવધૂ. સ્વ. જશવંતરાય શાંતીલાલ મેહતાનાં દીકરી. સ્વ. રમેશભાઈ, સ્વ. અજીતભાઈ, દિનેશભાઈનાં ભાભી. પ્રાર્થનાસભા 9મીને શનિવારે સાંજે 4થી 6. ઠે. પાવનધામ, મહાવીર નગર, પાવનધામ માર્ગ, બીસીસીઆઈ ગ્રાઉન્ડની બાજુમાં, કાંદિવલી (પ.).

 

વૈષ્ણવ મોઢ વણિક

ઘાટકોપરના સ્વ. કાન્તિલાલ ખિમચંદ દેસાઈ તથા નિર્મળાબેનના પુત્ર અમિતભાઈ (ઉં. 61). તે રૂપાના પતિ. ડેનિસના ભાઈ. કુનાલ, નિયતી અક્ષય હરિયાણીના પિતા. સ્વ. તરલિકાબેન ઈન્દુભાઈ મણિયારના જમાઈ મંગળવાર 5મીએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા શુક્રવાર 8મીએ સવારે 10થી 11.30. ઠે. લાયન્સ કમ્યુનિટી હોલ, ગારોડિયા નગર, ઘાટકોપર (પૂ.).

 

કચ્છી રાજગોર બ્રાહ્મણ

મસ્કાના હિરેન મહેતા (ઉં. 47) 6ઠ્ઠીએ કૈલાસવાસ પામ્યા છે. તે સ્વ. ભારતીબેન અને હિંમતભાઈના પુત્ર. સ્વ. ગંગાબેન અને સ્વ. શંકરજી હરિરામ મહેતાના પૌત્ર. સ્વ. જવેરબેન, સ્વ. જયશંકર કુંવરજી શિણાયના દોહિત્ર. ફાલ્ગુની રાકેશભાઈ પારેખ, બિજલ સમીરભાઈ રાયઠઠ્ઠાના ભાઈ. કાંતિલાલ શંકરજી મહેતા, રમીલાબેન કાંતિલાલ મહેતાના ભત્રીજા. પ્રાર્થનાસભા 8મીએ સાંજે 4થી 6. ઠે. ઘાટકોપર બ્રાહ્મણ સમાજવાડી, 3જે માળે, જોષી લેન, ઘાટકોપર (પૂ.).

 

ઘોઘારી દશા શ્રીમાળી વૈષ્ણવ વાણિક 

ભાવનગર (ભૂમ્બલી)ના સ્વ. કાંતાલક્ષ્મી કાંતિલાલ મહેતાના પુત્ર કિરણ મહેતા (ઉં. 76) 6ઠ્ઠીને બુધવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જ્યોતિબેનના પતિ. સ્વપ્નિલ, વિશાલના પિતા. સ્વ. સોનલ મનહરલાલ દેસાઈ, ભરત મહેતા, કલ્પના મુકેશ ભંખારીયાના ભાઈ. સ્વ. શાંતિલાલ પાનાચંદ દોષીના જમાઈ. પ્રાર્થનાસભા 9મીને  શનિવારે સાંજે 4થી 6. ઠે.ઃ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ સિનેમા સામે, બોરીવલી (પ.).

 

સૌરાષ્ટ્ર કડવા પાટીદાર

વેરાડના શાંતાબેન ભાલોડિયા (ઉં. 80). તે બાબુલાલભાઈનાં પત્ની. અતુલભાઈ, યોગેશભાઈ, ચંદ્રિકાબેન, પ્રફુલ્લાબેનનાં માતા. અસ્મિતા, શશીનાં સાસુ બુધવાર, 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. બેસણું 8મીને શુક્રવારે સાંજે 4.30થી 6. ઠે. ઃ શ્રી પાટીદાર સેવા સમાજ, સંત જ્ઞાનેશ્વર રોડ, નેન્સી કોલોની, બોરીવલી (પૂ.)અને સોમવાર 11મીએ સવારે 8થી 11. ઠે. ઃ શ્રી પાટીદાર સમાજ, વેરાડ.

 

કપોળ

ગ.સ્વ. કાંતાબેન બાબુભાઈ પારેખ રાજુલાવાળાના પુત્ર ભરતભાઈ 6ઠ્ઠીને બુધવારે શ્રીજી ચરણ પામ્યા છે. તે નીલાબેનના પતિ. નિલેશ, જલ્પાના પિતા. હરજીવનદાસ લક્ષ્મીદાસ મોદીના જમાઈ. સ્વ. પ્રવીણભાઈ, ચંદ્રકાંતભાઈ, રમેશભાઈ, જીતુભાઈ, સ્વ. ભાનુબેન વામનરાય મહેતાના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌ. પ્રથા બંધ છે.

 

લુહાર-સુથાર

અમરેલીના ગં.સ્વ. મધુબેન ડોડીયા (ઉં. 71) 5મીને મંગળવારે શ્રીજીચરણ પામ્યાં છે. તે સ્વ. ધનજીભાઈ મુળજીભાઈ ડોડીયાનાં પત્ની. તેજસભાઈ, જયશ્રીબેન જીતેન્દ્રભાઈ ચૌહાણ, પારૂલબેન અનિલભાઈ જીલકા, નયનાબેન ચેતનભાઈ મકવાણા, દિપાલીબેન ભાવિનભાઈ મકવાણા, હર્ષાબેન અવિનેશભાઈ સોલંકીનાં માતા. તેજલબેનનાં સાસુ. ગુણવંતભાઈ ચુનીભાઈ ચુડાસામાનાં બેન. ગં.સ્વ. રમાબેન ત્રિભોવનભાઈ ડોડીયાનાં દેરાણી. પ્રાર્થનાસભા 8મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.ઃ લુહાર-સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ વેલફેર સેંટર, વિશ્વકર્મા રોડ, અંબાજી મંદિરની પાસે, કાર્ટર રોડ નં. 3, બોરીવલી (પૂ.).

 

હાલાઈ ભાટિયા

લાલપુરના અ. સૌ. શોભનાબેન (માલતીબેન) સુરેશ આશર (ઉં. 79). તે નીલેશ, ધર્મેશ, દેવાંગના માતા. માધવી, સીમાના સાસુ. સ્વ. રણજિત, દિલિપ, હરેશના ભાભી. સનતકુમાર તથા મુકેશ બાબુલાલ પાલેજા, બીના બહાદુર ઉદેશી, સ્વ. હેમલતા દીપક સરૈયાના બહેન. નિમય, જહન, મોરિસ્કા, ખુશ્બુ, યુનયના દાદી બુધવાર, 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે.  પ્રાર્થનાસભા શનિવાર, 9મીએ સાંજે 4.30થી 6. ઠે.ઃ આર્ય સમાજ, લિંકીંગ રોડ, સાંતાક્રુઝ (પ.).

 

ઘોઘારી લોહાણા

ભાવનગરના અ.સૌ. સ્મિતાબેન સંદિપભાઈ ઠક્કર (ઉં. 56). તે શિખાના માતા. શારદાબેન ચંદુભાઈ ઠક્કરના પુત્રી. કેતનભાઈ, નિકુંજભાઈ, જયેશભાઈના બહેન. હરેશભાઈ, જગદીશભાઈ, જયાબેન, અનસુયાબેન, કૈલાસબેન, નયનાબેન, રીટાબેનના નાના ભાઈના પત્ની બુધવાર, 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા શુક્રવાર, 8મીએ સવારે 10થી 12. ઠે.ઃ કપોળ વાડી, વાલચંદ સોસાયટી સામે,ગીતાનગર, ભાયંદર (પ.).

 

હાલાઈ ભાટિયા વીરજીયાણી

ગં.સ્વ. માલતી પ્રતાપાસિંહ (ઉં. 82). તે સ્વ. રાધાબેન લક્ષ્મીદાસ ચત્રભુજના પુત્રવધૂ. સ્વ. શકુંતલા લાલજી વેદના દીકરી. તેજસ, સંજય, મીનાક્ષીના માતા. તેજલ, અંજલિના સાસુ. અનુબેન, દમુબેન, વિજયના ભાભી 6ઠ્ઠીએ શ્રીજીશરણ પામ્યાં છે. પ્રાર્થનાસભા 9મીએ 4.30થી 6. ઠે.ઃ રેલ નગર, સોસાયટી હોલ, ચંદાવરકર એક્ષટેન્શન રોડ, રેલનગર, બોરીવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

 

પંચાલ સુથાર

દમણના ગં.સ્વ. મીનાક્ષીબેન (ઉં. 75). તે સ્વ. નવનીતલાલ જગજીવનદાસ પંચાલના પત્ની. જિતેન્દ્ર, હિતેન્દ્ર, રીનાના માતા. અમિષા, પ્રાચી, શૈલેશના સાસુ. ડિમ્પલ, હર્ષ , ભાવીના બા. મુકેશ જમનદાસ મિસ્ત્રીના બહેન 4થીને સોમવારે શ્રીજીચરણ પામ્યાં છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 8મીને શુક્રવારે સાંજે 5થી 7. ઠે.ઃ ઠે.ઃ જૈનમ બેન્ક્વેટ હોલ, સિંધિ કોલોની, રામનગર, શીતલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, બોરિવલી (પ.).

 

કપોળ

જાફરાબાદવાળા  સ્વ. જયાલક્ષ્મી લક્ષ્મીદાસ ગંગાદાસ ગોરડીયાના પુત્રવધુ.  સ્વ. લલિતભાઈના પત્ની વીણાબેન (ઉં. 77) બુધવાર, 6ઠ્ઠીએ શ્રીજીચરણ પામ્યાં છે. તે ભૈરવીના માતા. સ્વ. કનૈયાલાલ, સ્વ. છબિલદાસ, સ્વ. હસમુખરાયના ભાભી. પિયર પક્ષે સ્વ. દમયંતીબેન તથા સ્વ. નાગરદાસ ગાંધીના પુત્રી. લૌ. પ્રથા બંધ છે.