અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 27 : શિવસેના (ઠાકરે) દ્વારા સાંગલી અને વાયવ્ય મુંબઈ સહિત 17 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેરાત કરાતા કૉંગ્રેસએ નારાજગી વ્યક્ત કરી છે. રાષ્ટ્રવાદી (શરદ પવાર)ના અધ્યક્ષ શરદ પવારે પણ આ અંગે નાપસંદગી વ્યક્ત કરીને ઉદ્ધવ ઠાકરેને `ગઠબંધન ધર્મ' પાળવાની સલાહ આપી છે. છેલ્લા કેટલાક માસથી `મહાવિકાસ આઘાડી' સાથે સમજૂતી કરવાની વેતરણ કરી રહેલા પ્રકાશ આંબેડકરે પણ વંચિત બહુજન આઘાડીના નવ ઉમેદવારો જાહેર કરી દીધા છે. આમ `મહાવિકાસ આઘાડી'માં `િબગાડી' થઈ છે. તેમાંથી એક પછી એક નેતા અને પક્ષો અલગ થતાં `મહાવિકાસ આઘાડી' વેરવિખેર થઈ રહી છે. ઉદ્ધવ સેનાએ ઉમેદવારોના નામ જાહેર કરવા સાથે જ મહાવિકાસ આઘાડીનો બહુ ગાજેલો શંભુમેળો ચૂંટણી પહેલાં જ વેર-વિખેર થતો દેખાઈ રહ્યો છે.