• સોમવાર, 29 એપ્રિલ, 2024

અજય દેવગણ `શૈતાન ટુ' બનાવશે  

અજય દેવગણ, આર માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા સ્ટારર બ્લૅક મેજિક પર આધારિત `શૈતાન'ને બૉક્સ અૉફિસ પર સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી મેકર્સે ફિલ્મનો બીજો ભાગ બનાવવાનો નિર્ણય લીધો છે. અભિનેત્રી જાનકી બોડીવાલાએ જણાવ્યું હતું કે, `શૈતાન ટુ'માં કોઈએ ધાર્યું નહીં હોય એવા મુદ્દે ફિલ્મ બનશે. અજય દેવગણના બેનર હેઠળ શૈતાનનો બીજો ભાગ પણ બ્લૅક મેજિક પર આધારિત છે. વખતે કોઈ પરિવાર સાથે નહીં, પરંતુ મહારાષ્ટ્રના બ્લૅક મેજિક સેન્ટર ગણાતા કોંકણ વિસ્તાર પર આધારિત હશે અને તેના અલગ એંગલ પર આધારિત કથાને દર્શાવવામાં આવશે.

મેકર્સ ફિલ્મના બીજા ભાગમાં મૂળ સ્ટારકાસ્ટને રિપીટ કરશે એટલે કે ફરી એક વાર આર માધવન અને અજય દેવગણ ક્રીન શેર કરતાં જોવા મળશે. સાથે જાનકી બોડીવાલા અને જ્યોતિકાને પણ રિપીટ કરાશે. સપોર્ટિંગ કાસ્ટની પસંદગી બાદ ફિલ્મના શૂટિંગને શરૂ કરવામાં આવશે. અજય દેવગણે હાલમાં શૈતાનના બીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી નથી, પણ કહેવાઈ રહ્યું છે કે તે જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યો છે. નોંધનીય છે કે શૈતાન ગયા વર્ષે આવેલી ગુજરાતી ફિલ્મ `વશ'ની હિંદી રિમેક છે. ફિલ્મને બૉક્સ અૉફિસ પર સારો પ્રતિસાદ મળતા મેકર્સ તેનો બીજો ભાગ બનાવી રહ્યા છે.