• શનિવાર, 27 એપ્રિલ, 2024

પંજાબે બેંગલુરુને આપ્યો 177 રનનો લક્ષ્યાંક  

બેંગલુરુ, તા. 25 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)-2024ની છઠ્ઠી મૅચમાં પંજાબ કિંગ્સ (પીબીકેએસ) રોયલ ચેલેન્જર્સ બેંગલુર (આરસીબી)ને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. છેલ્લે બેંગલુરુની ટીમે દસ ઓવરમાં બે વિકેટે 85 રન કર્યા હતા. અૉપનર વિરાટ કોહલી 32 બૉલમાં 50 રને રમતમાં હતો. 

પહેલાં સોમવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ બાટિંગ કરતા પીબીકેએસએ 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા. કેપ્ટન શિખર ધવને 37 બૉલમાં 45 રનની ઇનિંગ રમી હતી. જીતેશ શર્માએ 27 રન અને પ્રભસિમરન સિંહે 25 રનનું યોગદાન આપ્યું હતું. છેલ્લી ઓવરોમાં શશાંક સિંહે 8 બૉલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલને 2-2 વિકેટ મળી હતી. યશ દયાલ અને અલ્ઝારી જોસેફને એક-એક વિકેટ મળી હતી. 

પંજાબ કિંગ્સની ઇનિંગ્સનો અંત આવી ગયો છે. અલ્ઝારી જોસેફે છેલ્લી ઓવરમાં 20 રન ખર્ચ્યા હતા. સાથે પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન બનાવ્યા હતા અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન શિખર ધવને 37 બૉલમાં 45 રન બનાવ્યા હતા. તે ટીમનો ટોપ સ્કોરર હતો. મોહમ્મદ સિરાજ અને ગ્લેન મેક્સવેલે 2-2 વિકેટ લીધી હતી. યશ દયાલ અને અલ્ઝારી જોસેફને એક-એક વિકેટ મળી હતી.