• ગુરુવાર, 14 મે, 2026

કેન્દ્ર સરકારે 14 કૃષિ પેદાશોના ટેકાના ભાવ વધાર્યા : સૂર્યમુખીમાં 662 અને કપાસમાં 557 રૂપિયાનો વધારો

આગામી ખરીફ સિઝન માટે ખેડૂતોને બે લાખ 60 હજાર કરોડ રૂપિયા ચૂકવવાની તૈયારી     

અમારા પ્રતિનિધિ તરફથી 

મુંબઈ, તા. 13 : ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકારે આજે કપાસ, સૂર્યમુખી, ચોખા તથા વિવિધ કઠોળ સહિતની 14 કૃષિ પેદાશોના ટેકાના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. વડા પ્રધાનનાં નેતૃત્વ હેઠળની આર્થિક બાબતોની કૅબિનેટ કમિટી (સીસીઈએ)એ માર્કાટિંગ સિઝન 2026-27 માટે આ વધારો જાહેર કર્યો.....