• શનિવાર, 09 ઑગસ્ટ, 2025

મુંબઈમાં કબૂતરોની જાળીનું રૂા. 100 કરોડનું ટર્નઓવર

પક્ષી ઘરમાં ન આવે એ માટે લોખંડ તથા પ્લાસ્ટિકની જાળી બેસાડાય છે

મુંબઈ, તા. 7 : શહેરમાં કબૂતરખાના હટાવવા મામલે થઈ રહેલો વિવાદ હાલ ચર્ચાને ચદડોળે ચડયો છે. કબૂતરપ્રેમીઓ એમને ચણ નાખવાના હક મામલે આંદોલન કરી રહ્યાં છે. કબૂતરોને ચણ નાખવાને કારણે એમની સંખ્યા પણ વધે છે. જોકે, આ કબૂતરો ઘરની બાલ્કની અથવા તો એસી ડક્ટ પાસે રહેલી જગ્યા પર માળો બાંધીને