રાષ્ટ્રપતિ મિર્જિયોયેવ સાથે મોદીની બેઠકમાં વિવિધ મહત્ત્વની સમજૂતી કરાઇ
નવી દિલ્હી, તા. 30 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ
શાવકત મિર્જિયોયેવ વચ્ચે તાશ્કંદમાં રવિવારે પ્રતિનિધિ મંડળ સ્તરની દ્વિપક્ષીય બેઠક
યોજાઇ હતી. આ બેઠકમાં બેય દેશોએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની સાથો સાથ આર્થિક
સહયોગ, રણનીતિક ભાગીદારી, વેપાર, ઊર્જા, ટેકનિક અને શહેરો વચ્ચે સહયોગ વધારવા સહિત
અનેક મહત્ત્વના ફેંસલા કર્યા હતા.