કોઈ હુમલો કરશે તો જવાબ આપીશું એમ પણ જણાવ્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 30 : હિન્દુ ધર્મ અને હિન્દુત્વનો આત્મા સહિષ્ણુતા અને સર્વ સમાવેશકતામાં
સમાયેલો છે. હિન્દુઓનાં લોહીમાં જ સહિષ્ણુતા છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે અમારે
કોઈનો માર ખાવો, કોઈ હુમલો કરે તો અમે તેનો ચોક્કસ પ્રતિકાર કરશું, પરંતુ હિન્દુઓ પોતે
કોઈના પર હુમલો કરતા નથી, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું
છે.