અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 21 : રાજ્યમાં અૉગસ્ટ-સપ્ટેમ્બર
2025 દરમિયાન થયેલા ભારેથી અતિ ભારે વરસાદને કારણે ખેતી પાકોમાં મોટા પાયે નુકસાન થયું
હતું. જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જેવા 5 જિલ્લાના 18 તાલુકાના લગભગ
800 ગામોમાં કૃષિપાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોને આ નુકસાનીનું વળતર મળી રહે
એટલે ગુજરાત સરકારે નવા વર્ષ અગાઉ જ રૂા. 947 કરોડના કૃષિ રાહત પેકેજની જાહેરાત…..