• મંગળવાર, 28 જુલાઈ, 2026

જૈન ચાતુર્માસ પ્રવેશમાં જાપાની 81 શ્રાવક-શ્રાવિકા સામેલ થયાં

શ્રી વિજય જયંતસેન મહારાજની પ્રેરણાથી શિષ્યના પ્રવેશની ઐતિહાસિક ઘટના

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 27 : જૈન સમુદાયમાં સાધુ-ભગવંતો ચાર મહિના એક જગ્યાએ સ્થિર થઈ રહ્યા છે ત્યારે રવિવારે ભાયંદરમાં એક અભૂતપૂર્વ ઘટના બની હતી, જેમાં શ્રી વિજય જયંતસેન સૂરીશ્વરજી મહારાજસાહેબના શિષ્ય મુનિ શ્રી નિરુપણરત્ન વિજય મ.સા. આદિના ચાતુર્માસ પ્રવેશ વખતે એક-બે નહીં, પણ જપાનથી આવેલા 81 શ્રાવક....