ચીની સેનાની ઘૂસણખોરી : રાહુલ ગાંધીના દાવાથી લોકસભા સ્થગિત
નવી દિલ્હી, તા.
2 : રાષ્ટ્રપતિના અભિભાષણ ઉપરની ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ
ડોકલામનો મુદ્દો ઉઠાવતાં ભારે ઊહાપોહ અને હોબાળો મચ્યો હતો. કૉંગ્રેસ સાંસદે પૂર્વ
સેનાધ્યક્ષ મનોજ મુકુંદ નરવણેના અપ્રકાશિત પુસ્તક અને એક લેખના હવાલે સરકારને ઘેરવાનો
પ્રયાસ કર્યો હતો. જેની સામે શાસક ભાજપે વાંધો લીધો….